________________
(૩૮૪ )
પ્રીત્રષડલ વૃતિ ઉત્તરાદ્ધ દેવતાઓએ મોટા મહત્સવપૂર્વક નૃત્ય કરવા માંડયું. પછી વિમાનને વિષે કમલના નીચેના ભાગમાં શ્રી વજસૂરિએ બેસીને આકાશમાં તે વિમાનને ચલાવ્યું. વિમાન આકાશ માર્ગે ચાલવા લાગ્યું એટલે તેની સાથે વિમાનમાં બેઠેલા દેવતાઓ પણ ગાયન કરતા અને વાછત્ર વડાગતા છતાં ચાલવા લાગ્યા. દેવતાઓથી વિંટલાયલા અને વિમાનમાં બેઠેલા શ્રી વાસ્વામી, બાકથી દૂષિત એવી પુરિકા નામની નગરી પ્રત્યે આવી પહોંચ્યા. આકાશમાં વિમાનને જોઈ નગરીનિવાસી લોક ઉંચું જોઈ હર્ષ પામતા છતા પરસ્પર કહેવા લાગ્યા.
અહે! શ્રદ્ધમતના મ્હોટા પ્રભાવને જોઈ દેવતાઓ બુદ્ધપ્રતિમાનું પૂજન કરવા માટે આવે છે, માટે બુદ્ધ પ્રભુને નમસ્કાર થાઓ.” આવી રીતે બદ્ધ લેકે કહેતા હતા એવામાં શ્રી વાસ્વામી વિમાનવડે આકાશમાં ગાંધર્વ નગરની શોભાને દેખાડતા છતા અરિહંત મંદીરમાં ગયા. ત્યારે તે ગ્લાનિ પામેલા મુખવાળા બાદ્ધ લોકે ફરી કહેવા લાગ્યા કે “અહો ! જિનમતની આ હેાટી પ્રભાવના થઈ. અમે એ ચિંતવ્યું હતું કાંઈ બીજું અને થયું પણું કાંઈ બીજુ. આજેજ આ બદ્ધશાસનના પહેલા જ થએલા લાઘવપણને ધિક્કાર થાઓ! ધિક્કાર થાઓ !!
પછી પણ પર્વને દિવસે દેવતાઓએ અરિહંત પ્રભુના મંદીરમાં માણસને અગોચર એવું મહેસું સમવસરણ રચ્યું. જભક દેવતાઓના સમૂહે કરેલી અરિહંતશાસનની પ્રભાવનાને જોઈ રાજાએ બદ્ધધર્મને ત્યજી દઈ શ્રી અરિહંતના ધર્મને પિતે સ્વીકાર્યો.
પછી મમતારહિત એવા શ્રીવજગુરૂ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા સૂર્યની પેઠે લોકને પ્રતિબંધ કરવા માટે દક્ષિણ દિશામાં ગયા. ત્યાં એક દિવસ તેમને લેમ્બ ( સલેખમ ) ને વ્યાધિ થશે. પછી પોતાના સાધુઓએ ઉપચાર માટે આણેલા સુંઠના ગાંગડાને હાથમાં લઈ “ હું તેને ભજન કરી રહ્યા પછી ભક્ષણ કરીશ.” એમ ધારી પાંચ આચારના નિધિ રૂપ શ્રીવજસ્વામીએ તે સુંઠના ગાંગડાને પિતાના કાન ઉપર મૂક્યો. સ્વાધ્યાયના ધ્યાનમાં લીન આત્માવાલા તે પૂજય મહાત્મા શ્રીવાજવામી ભજનને અંતે પણ કાન ઉપર રહેલી સુંઠને ભક્ષણ કરવી ભૂલી ગયા. પછી સંધ્યા સમયે પ્રતિક્રમણ અવસરે મુહપત્તિથી દેહનું પડિલેહણ કરતાં તે સુંઠને ગાંગડે પૃથ્વી ઉપર પડયે. ખટ શબ્દ કરીને પડેલી સુંઠને જઈ શ્રીવાસ્વામીને સ્મૃતિ આવી. તેથી તે પોતાની નિંદા કરવા લાગ્યા કે મને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ !! જે મને આ મહટે પ્રમાદ થયે. પ્રમાદથી નિર્દોષ એ સંયમ ક્યારે પણ પાળી શકાતું નથી, અને સંયમ વિના જીવવું એ પણ નિરર્થક છે. માટે હવે હું હારા દેહને ત્યાગ કરીશ. ” આવી રીતે શ્રી વજ સ્વામી વિચાર કરતા હતા. એવામાં સામટે બાર વર્ષને દુકાળ પડયે. પછી શ્રીવાસ્વામીએ શાસ્ત્રના સમુદ્ર રૂપ પિતાના વજસેન નામના શિષ્યને “ તું