Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 402
________________ ઝીઆર્યરક્ષિત નામના પૂર્વધર રિપુર દરની કથા (૩૯) એકદા કેઈ એક સાધુ અનશન લઈ મૃત્યુ પામ્યા. તેમના દેહને ઉપાડવા માટે ગુરૂએ પ્રથમથી શીખવાડી રાખેલા સાધુઓ પરરપર બહુ કલેશ કરવા લાગ્યા. સેમદેવે તેનું કારણ પૂછયું એટલે ગુરૂએ મહટી નિર્જરાની ઈચ્છાવા હોય તે લેવરને ઉપાડે”એ આદેશ કર્યો. ત્યારે સોમદેવે કહ્યું. “તે કલેવર હું ઉપાડીશ. ” ગુરૂએ કહ્યું “જો તમે ઉપસર્ગોને સહન કરી શકે તો ઉપાડે. નહિ તે વિન્ન થશે.” પછી સોમદેવ મુનિ, તે કલેવરને ઉપાડી ચાલવા લાગ્યા, એટલે ગુરૂએ શીખવી રાખેલા બાલકોએ તેમનું ધોતીયું કાઢી લીધું અને છેતીયાને બદલે એલપ પહેરાવી દીધું. જો કે સોમદેવ મુનિ, પોતાના પુત્ર, પિત્ર અને વધુ વિગેરેના જેવાથી લજજા તે બહુ પામ્યા. તે પણ પુત્ર ( આર્ય રક્ષિત ) રૂ૫ ગુરૂના ભયથી અને વિઘના ભયથી કાંઈ બેલ્યા નહીં. સેમદેવ મુનિ તે મહા કાર્ય કરી પાછા આવ્યા ત્યારે ગુરૂએ “હે સોમદેવ મુનિ ! તમારું ધોતીયું લાવે ” એમ કહ્યું. “જે જેવાગ્ય છે તેજ દીઠું, હારે ધોતીયાનું શું પ્રયોજન છે ” એમ ધારી સમદેવ મુનિએ “હે ગુર ! હવે પછી હું આ કલ્યાણકારી ચોલપટ્ટો ધારણ કરીશ.” એમ કહ્યું. કે સેમદેવ મુનિએ આ પ્રમાણે ચલપટો ધારણ કર્યો તે પણ તે મુનિરાજ તે લપટો પહેરી ગામમાં ગોચરી લેવા જતા બહુ લજા પામવા લાગ્યા. પછી શ્રી આર્યરક્ષિત ગુરૂ બીજા શિષ્યને કાંઈ શીખવાડી પોતે બીજે ગામ ગયા. પછી સર્વે સાધુઓ મધ્યાહે પિત પિતાની મેળે આહાર લઈ આવી ભોજન કર્યું. સેમદેવ મુનિ ભેજન કર્યા વિના રહ્યા. બીજે દિવસે ગુરૂ પિતાનું કાર્ય કરી પાછા આવ્યા એટલે સોમદેવ મુનિએ તેમને કહ્યું કે “આ સર્વે સાધુઓએ ભજન કર્યું છે અને હું ભોજન કર્યા વિના રહ્યો છું.” ગુરૂએ કૃત્રિમ કેપ કરી સર્વે સાધુઓને કહ્યું. “હે મૂઢ! હારા પિતાને ભૂખ્યા રાખ્યા અને તમે ભેજન કર્યું? સાધુઓએ કહ્યું. “તે પિતે ચરી લેવા આવતા નથી.” ગુરૂએ ફરી કેપ કરીને કહ્યું. “તમે શા માટે બેસી રહે છે?” ગુરૂએ આ પ્રમાણે કહ્યું. એટલે સર્વે સાધુઓ ગોચરી લેવા માટે ગયા. સમદેવ મુનિ પણ પોતે ગોચરી લેવા માટે ગયા. તેમણે કોઈ શ્રેણીના ઘરને વિષે અજાણપણાને લીધે પાછલા બારણેથી પ્રવેશ કર્યો. શ્રેષ્ઠીએ પાછલા બારણેથી કેમ પ્રવેશ કર્યો” એમ પૂછયું એટલે તે સોમદેવ મુનિએ કહ્યું કે “હે ભદ્ર! લક્ષ્મી તે પાછલા અથવા આગલા ગમે તે બારણેથી આવે છે.” મુનિનાં આવાં સુંદર વચન સાંભલી શ્રેષ્ઠી બહુ હર્ષ પામે, તેથી તેણે અધિક પ્રીતિથી મુનિને બત્રીશ મોદક વહેરાવ્યા સમદેવ મુનિએ તે લઈ હર્ષથી ગુરૂને દેખાડ્યા. શ્રી આર્ય રક્ષિત સૂરિએ વિચાર્યું. “એમને એ પ્રથમ લાભ થશે છે માટે નિચે હારા વંશને વિષે વિનયાદિ બત્રીશ ગુણોની ખાણ થશે. પછી ગુરૂએ તે સર્વ લાડુ સર્વે સાધુઓને વહેંચી આપ્યા. સમદેવ મુનિએ ફરી ખીર વહોરી લાવી ભેજન કર્યું. અમે સેમદેવ મુનિ લબ્ધિસંપન્ન પણાને લીધે અને

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404