________________
ભ
(૩૮૦ )
શ્રાવકોષમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ ચંદ્રમા કયાં ? ” રાજાએ આ પ્રમાણે સર્વે સાધુઓને પૂછતાં પૂછતાં છેવટના ભાગમાં રહેલા અને અતિશયના સ્થાન રૂ૫ એવા વજસ્વામીને દીઠા. જાણે પોતાના મુકુટના રનના કિરણે રૂપ જલપ્રવાહથી જાણે તેમના ચરણને પ્રક્ષાલન કરતા હાયની ? એમ રાજાએ ત્રણ પ્રદક્ષિણા કરીને શ્રીવાસ્વામીના ચરણમાં વંદના કરી. સૂરીશ્વર શ્રીવાસ્વામીએ, પિતાના પરિવાર સહિત ઉદ્યાનમાં વૃક્ષની છાયામાં નિવાસ કર્યો. રાજા પણ નગરવાસી લેકે સહિત ભક્તિ ભાવથી ધર્મ સાંભલવા માટે ત્યાં જઈ તેમની પાસે બેઠે. પછી ભગવાન શ્રીવજીસ્વામીએ એવી ધર્મદેશના આપી કે જેથી રાજાદિ સર્વે લેકે ચમત્કાર પામ્યા. રાજા દેશનાને અંતે સૂરિને પ્રણામ કરી પિતાના અંત:પુર પ્રત્યે ગયે. ત્યાં તેણે પિતાથી સ્ત્રીઓની આગલ તુરત કહ્યું કે “ હે પ્રિયાઓ ! શાસ્ત્રના સમુદ્ર રૂપ શ્રીવજીસ્વામી ગુરૂ આજે ઉદ્યાનમાં સમવસર્યા છે. મેં અમૃતને પણ તુચ્છ કરનારી તેમની ધર્મ દેશના સાંભલી અને શ્રાવક ધર્મ અંગીકાર કરી પિતાને જન્મ સફલ કર્યો છે. માટે તમે પણ શ્રીવાસ્વામીને વંદન કરવા માટે ઝટ જાઓ.” રાજાને આવો આદેશ સાંભલી શુભ મનવાલી સર્વે રાણીએ રથમાં બેસી પોતાના પરિવાર સહિત શ્રી વજસ્વામી પાસે ગઈ.
હવે એમ બન્યું કે માણસોના કહેવાથી શ્રીવજીસ્વામીના આગમનને સાંભલી રૂકિમણું પણ લજજા ત્યજી દઈ અતિ પ્રિય એવા પોતાના પિતાને કહેવા લાગી.
હે તાત ! જેમ બધેય મેઘ ઉપર અનુરાગ ધરે છે તેમ હું જેના ગુણ સાંભલી બહુ અનુરાગવાળી થઈ છું તે મહિમાના આશ્રય રૂ૫ શ્રીવાસ્વામી અહીં આવ્યા છે. માટે ઝટ મને ત્યાં લઈ તેમને સ્વાધિન કરે. કારણ બુદ્ધિવંત પુરૂએ સારા કાર્યમાં જરા પણ વિલંબ કરવો નહીં. ” રુકિમણીનાં આવાં વચન સાંભલી હર્ષ પામેલો ધન શ્રેષ્ઠી બીજે દિવસે કેડ દ્રવ્ય સહિત રૂકિમણુને સાથે લઈ તુરત વજસ્વામી પાસે ગયો. તે વખતે શ્રીવાસ્વામીની ધર્મદેશના સાંભલી ભક્તિવંત લેકે પરસ્પર એમ સ્પષ્ટ કહેવા લાગ્યા કે “ શ્રીવાજસૂરીશ્વરને જે સુસ્વર છે તેવું જે રૂ૫ હેત તે નિચે દુધમાં સાકર મલ્યા જેવું થાત. ગુણના સમુદ્ર રૂપ શ્રીવજસ્વામીએ નગરપ્રવેશ કરવામાં પિતાનું રૂપ પુરને ક્ષેભ પમાડે એવા ભયથી પિતાની શક્તિ વડે તે સંક્ષેપ કરી દીધું છે. ” લેકોના આવા મને ગત ભાવને તથા સંતાપને શ્રીવજસ્વામીએ શ્રુતજ્ઞાનના ઉપયોગથી જા. પછી બીજે દિવસ તેમણે પોતાની લબ્ધિથી લક્ષમીના પદ્માસન સરખું સહસ્ત્ર દલ કમલ પ્રગટ કર્યું અને પોતાનું સ્વાભાવિક અદ્ભત રૂપ પણ પ્રગટ કર્યું, ત્યાર પછી ભગવાન વજસૂરિ હંસની પેઠે તે સહસ્ત્ર દળ કમલ ઉપર બીરાજ્યા. શ્રીવાસ્વામીના નિરૂપમ રૂપને જોઈ લેકે પોતાના મસ્તકને ધૂણાવતા છતા પરમ આશ્ચર્ય પામ્યા. લેકે કહેવા લાગ્યા કે “ શ્રીવાસ્વામીનું આ સ્વાભાવિક રૂપ અને તેને મલતો.