________________
ચીલાતી પુત્રની કથા.
(૧૧) તે ધન શ્રેષ્ઠી વિગેરે સર્વેને ફરી બહુ ભોગ પ્રાપ્ત થયા અને કુલ વૃદ્ધિ થઈ એટલુંજ નહિ અમિત એવી સંપદાનો પણ લાભ થયો. જે સાધુઓ ધન શ્રેણીની પેઠે નિર તર અનાસક્તપણે શુદ્ધ આહાર કરે છે તે કર્મક્ષય કરી પૂર્ણ એવા મોક્ષસુખને પામે છે. ' હવે અહિં નાસી જતા એવા ચિલાતીપુત્રને કાંઈ વૈરાગ્ય પ્રાપ્ત થયે એટલામાં તેણે કાયોત્સર્ગે ઉભા રહેલા મુનિને જોઈને કહ્યું. “હે મુનિ ! તમે હમણું મને સંક્ષેપમાં ધર્મ સંભળાવો. જે નહિ સંભળાવો તો આ ખગ્ગવડે તમારું મસ્તક હું કાપી નાખીશ.” કાર્યોત્સર્ગ પારીને તે ચારણ શ્રમણ મુનિએ કહ્યું. “હે મહાભાગ! સંક્ષેપથી ધર્મ સાંભલ.” પછી ૩ઘરમ, નિ , સંઘર” એટલે સંક્ષેપથી ધર્મ કહીને “નમે અરહંતાણુ” એટલો નમસ્કાર મંત્ર ભણું આકાશ માર્ગે ચાલ્યા ગયા. મુનિનાં એવાં વચન સાંભળી ચેરપતિ ચિલાતીપુત્ર વિચારવા લાગ્યા. “પુણ્યશાલિ પુરૂએ ઉપશમ ધારણ કરવું જોઈએ. તે હમણુ મહારે કયાંથી હોય? માટે હું પ્રથમ ક્રોધના ચિન્હ રૂપ ખડગને ત્યજી દઈ ઉપશમ ધારણ કરૂં.” એમ વિચાર કરી તેણે તત્કાળ પોતાના હાથમાંથી ખડગ ત્યજી દીધું. “વલી ધમ વિવેથીજ પ્રાપ્ત થાય છે તે હમણું હારે કયાંથી હોય? કારણ હૃષ્ટપણાને સૂચવનારૂં સ્ત્રીનું મસ્તક હારા હાથમાં રહ્યું છે. માટે તે મસ્તક ત્યજી દઈ ધર્મના મૂલરૂપ વિવેકને આદરૂં.” એમ ધારી તે વિવંત ચિલાતિપુત્રે સ્ત્રીના મસ્તકને દૂર ફેંકી દીધું. “વળી ચિત્ત અને ઇન્દ્રિયના નિરાધથી નિચે સંવર પ્રાપ્ત થાય છે. પરંતુ ઉછુખલા ઇદ્રિય અને ચિત્તવાળા મને તે સંવર કયાંથી હોય? હું જ્યારે આ મુનિની પેઠે સ્થિર ઉભો રહીશ ત્યારે જ મને સવે પાપને ક્ષય કરનારે સંવર પ્રાપ્ત થશે.” આ પ્રમાણે વિચાર કરીને ચોરરાજ એવા તે ચિલાતીપુત્રે મુનિના સ્થાનકે ઉભા રહી પોતાના પાપને ક્ષય કરવા માટે એ ઘોર અભિગ્રહ લીધો કે “જ્યાં સુધી મને આ સ્ત્રીહત્યાનું પાપ સાંભરશે ત્યાં સુધી હારે સર્વ પ્રકારે કાયાનું વોસિરાવવું છે.” " જ્યારે ચિલાતીપુત્ર મુનિની પેઠે કાયોત્સર્ગ ઉભું રહ્યો ત્યારે રૂધિરના ગંધથી પૃથ્વીમાંથી નિકળેલી અસંખ્ય વાતુંડ કીડીઓ તેના અંગનું ભક્ષણ કરવા લાગી. પરંતુ તે ચાર પોતાના કરેલા પાપનું સ્મરણ કરતે ધ્યાનથી જરાપણ ચલાયમાન થયો નહીં. પગથી આરંભીને સર્વ અંગનું ભક્ષણ કરતી એવી કીડીઓ પણ નિશ્ચલ આત્માવાલા તે એરરાજના મસ્તકને વિષે આવી પહોંચી. ચારે તરફ પ્રસરી રહેલી કીડીઓએ અઢી દિવસમાં તેનું સર્વ અંગ ચાલણસરખું કરી દીધું તોપણ તે તીવ્ર વેદનાને સહન કરતા એવા તે ચોરરાજનું મન શુભ ધ્યાનને વિષે અધિક અધિક લાગ્યું. પછી આયુષ્ય પૂર્ણ થયે તે મહાત્મા મૃત્યુ પામીને આઠમા દેવલોકમાં દેવતા થયે પાપ કરનારો છતાં પણ ઉપશમ ધારણ કરનારાઓમાં અગ્રેસર, સાધુઓને રાજા, પવિત્ર બુદ્ધિવાળો અને કૃતાર્થ એવો તે ચિલાતીપુત્ર પોતાના ધીરપણુથી કીડીઓએ કરેલી અતિ ઉગ્ર વેદનાને સહન કરી અઢી દિવસમાં આઠમા દેવ. લોક પ્રત્યે ગયે.
श्रीचिलाती पुत्रनी कथा संपूर्ण
O