________________
(૧૪૪)
શ્રી વષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. - જે ત્યાં પણ તમે ઉદ્વેગ પામે તો તમારે ઉત્તર દિશાના ઉદ્યાનમાં જવું. ત્યાં સ્વાધિન અને સુખકારી હેમંત અને શરત નામની છેલ્લી બે ઋતુઓ નિવાસ કરીને રહે છે તેનાથી ઉત્પન્ન થએલા ફલાદિ વડે કરીને તમારે નિર્ભય એવા હસ્તિની પેઠે સ્વેચ્છાથી ક્રીડા કરવી. જે કદાપિ ત્યાં પણ તમને ઉદ્વેગ થાય તે તમારે પશ્ચિમ દિશાના ઉદ્યાનમાં જવું. ત્યાં વસંત અને ગ્રીષ્મ નામની બે ઋતુઓ રહે છે. તેમનાથી ઉત્પન્ન થએલા ફળ પુષ્પ જળ વિગેરેથી તમારે દીર્ઘકાળ પર્યત સુખે ક્રીડા કરવી. હે વીર પુરૂષો ! જે તમે ત્યાં નિર્જનપણને લીધે ઉગ પામો તો ફરી આ મેહેલમાં આવી સુખેથી ક્રીડા કરવી પરંતુ તમારે કયારે પણ દક્ષિણના ઉદ્યાનમાં જવું નહી કારણ ત્યાં મહેટા શરીરવાળે, રાતા નેત્રવાળે, સુધાથી વ્યાપ્ત અને મહા ભયંકર એવો દષ્ટિ વિષ સર્પ રહે છે એ સપને જેવાથી તમારું મૃત્યુ ન થાઓ એ હેતુથી હું તમને દક્ષિણ ઉદ્યાનમાં જવાનો નિષેધ કરૂં છું.”
આ પ્રમાણે તે દેવી એક, બે, ત્રણ વાર તેઓને પ્રતિબંધ કરી પિતે લવણ સમુદ્રને શુદ્ધ કરવા ચાલી ગઈ. પાછળ બન્ને ભાઈઓ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર એ ત્રણે દિશાઓમાં દીર્ઘકાળ પર્યત ક્રીડા કરી પોતાના મહેલ પ્રત્યે આવી વિચાર કરવા લાગ્યા. દેવીએ આપણને દક્ષિણ દિશાના ઉદ્યાનમાં જવાને શા માટે નિષેધ કર્યો. નિચે ત્યાં કોઈ મોટું કારણ હોવું જોઈએ, માટે હમણાં આપણે ત્યાં જવું હિતકારી છે. કહ્યું છે કે, અજ્ઞાન વૃત્તિવાળા પ્રાણીઓને વિશ્વાસ કરવો નહિ.
આવી રીતે વિચાર કરીને તે બન્ને ભાઈઓ ગાયના કલેવરથી બહ પ્રસરી રહેલા દુર્ગધવાળી દક્ષિણ દિશા પ્રત્યે ગયા. ત્યાં તેઓએ બહુ પ્રહાર થએલે, ફક્ત હાડકાના સમૂહથી વ્યાસ, જેવાને અયોગ્ય, જેવાથી દુઃખી કરનાર અને શૂલીથી વિંધાયેલ હોવાથી આક્રોશ કરતો કઈ પુરૂષ દીઠો. પ્રથમ તે તેઓ તે પુરૂષને જે બહુ ભય પામ્યા. પણ પછી ધીરજ રાખી શૈલીથી વિંધાયેલા તે પુરૂષની પાસે જઈ તે બન્ને ભાઈઓએ તેને પૂછયું: “આ કેનું આઘાત સ્થાન છે? તું કેણ છે? અહિં કેમ આવ્યો છું? અને તને આવું દુ:ખ કોણે આપ્યું ?” પેલા પુરૂષ કહ્યું. “હે ભદ્ર! આ રત્નદીપનું હિંસાસ્થાન છે. હું કાકંદીપુરમાં નિવાસ કરનારો વણિક છું. હું વેપાર માટે વહાણ લઈ જતો હતો. રસ્તે વહાણ ભાંગી પડયું. પાટયું હાથ આવવાથી હું હારા દુદેવથી અહિં આવી ચડે. અહિં આ દુષ્ટ ચિત્તવાલી રત્નદ્વીપની દેવીએ મને રાખે અને તેણુએ મહારી સાથે બહુ કાળ પર્યત હર્ષથી ભેગો ભગવ્યા. તમારું આવવું સાંભળીને તે દેવીએ તુરત મને ભૂલી ઉપર ચડાવ્ય કારણ દુષ્ટોને એજ સ્વભાવ હોય છે. દુષ્ટ ચિત્તવાળી આ દેવીએ આ પ્રમાણે ભેળા હૃદયવાળા બહુ જનેને છેતરીને મારી નાખ્યા છે. હું જાણતો કે રૂપ સેભાગે કરીને મને હર એવા તમને એ દુઃખ આપનારી દેવીથી શી શી વિપત્તિઓ ભેગવવી પડશે.” શૂળીમાં પરેવાએલા પુરૂષનાં આવાં વચન સાંભળી