Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 376
________________ બીઆર્ય મહાશશિ અને શ્રી આર્યસુહસ્તિ નામના દશપૂર્વધની કથા. (૩૬૫) તમે એ પ્રમાણે અમને આપશે તે સંપ્રતિ રાજા તમારા ઉપર પ્રસન્ન થશે, નહિ તે કેપ પામશે. ” પછી સંપ્રતિ રાજાને પ્રસન્ન રાખવા માટે તે અનાર્ય લકે પણ પ્રતિ દિવસ રાજાના હુકમ પ્રમાણે કરવા લાગ્યા. આ પ્રમાણે અનાર્ય દેશને પણ સાધુના યેગ્ય આચારમાં પ્રવીણ કરીને પછી સંપ્રતિ રાજાએ શ્રી આર્યસુહસ્તી ગુરૂની વિનંતિ કરી કે “ હે ભગવન્! સાધુઓ, આર્ય દેશની પેઠે અનાર્ય દેશમાં શા માટે નથી વિહાર કરતા ? ” સૂરિએ કહ્યું. “ અનાર્ય દેશમાં માણસે, સાધુની સામાચારીને નથી જાણતા, તેથી ત્યાં સાધુને વિહાર ચારિત્રન નિર્વાહ કરનારે કેમ થાય?” રાએ કહ્યું. “ હે ભગવન ! હમણું અનાર્ય દેશમાં સાધુઓને મેલી તેમના આચારની ચાતુરીને આપ જુઓ.” રાજાના આવા આગ્રહથી સૂરિએ કેટલાક સાધુઓને અનાર્ય દેશમાં જવાની આજ્ઞા કરી. અનાર્ય લોકો તે સાધુઓને જોઈ આ સંપ્રતિ રાજાના માણસો છે એમ માની પૂર્વે કહેલી રીત પ્રમાણે તેમને ભક્ત પાન આપવા લાગ્યા. તેથી તે સાધુઓ પણ અનાર્ય દેશમાં નિરવદ્ય એવું શ્રાવકપણું જોઈ વિસ્મય પામ્યા. પછી તેમણે સંતેષ પામી ગુરૂને સર્વ વાત નિવેદન કરી. આ પ્રમાણે સંપ્રતિ રાજાએ બુદ્ધિગર્ભિત પોતાની શક્તિ વડે અનાર્ય દેશ પણ સાધુએને વિહાર કરવા ગ્ય બનાવ્યું. પછી સંપ્રતિ રાજાએ રૈદ્ર એવા પિતાના પૂર્વજન્મના રંકપણાને સંભારી પૂર્વાદિ ચારે દ્વારને વિષે દાનશાલા મંડાવી. “ આ પોતાને અને આ પારકે" એવી અપેક્ષા વિના ભેજન કરવામાં ઉત્સુક એવા રંક લેકે ત્યાં કોઈએ ક્યા વિના ભજન કરતા હતા. રાજા સંપ્રતિએ રસેઈયાના અગ્રેસરને પૂછયું કે “હે પાચકે! વધેલું અન્ન કેણુ લઈ જાય છે ? ” તેઓએ કહ્યું. “હે સ્વામિન ! તે અમે લઈ જઈએ છીએ.” રાજાએ ફરી તેઓને આજ્ઞા કરી કે “ જે અન્ન બાકી વધે તે નહિ કરનારા અને નહિં કરાવનારા એવા ગોચરીએ આવેલા સાધુઓને આપવું. હું તેને બદલે તમને દ્રવ્ય આપીશ. તેથી તમારો નિર્વાહ થશે. ” કહ્યું છે કે ધનવાન માણસ કઈ પણ કાર્યને વિષે ખેદ પામતા નથી. પછી તે રસેઈ તે દિવસથી આરંભીને રાજાની આજ્ઞાથી વધેલું અન્ન સાધુઓને આપવા લાગ્યા. તેમ સાધુઓ પણ તે શુદ્ધ અન્નને લેવા લાગ્યા. પછી શ્રમણના ઉપાસક એવા સંપ્રતિ રાજાએ કદઈ, ઘી દુધ અને તેલના વેચનાર, તેમજ વસ્ત્રને વેચનાર લોકોને આજ્ઞા કરી કે “ જે કઈ માણસ કાંઈ પણ પોતાની વસ્તુ આપી સાધુને ઉપકાર કરશે, તેને હું તેની વસ્તુનું મૂલ્ય આપીશ. નહિ તો તે લેકેને હારાથી ભય થશે. ” રાજાના આવા આદેશથી લેકે હર્ષ પામી તે પ્રમાણે કરવા લાગ્યા છે કે સુહસ્તી ગુરૂ રાજપિંડ દેષયુક્ત જાણતા હતા તે પણ બલીષ્ટ એવા શિષ્યના અનુરાગથી લિસ થએલા તે ગુરૂ, શિષ્યોને

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404