________________
શ્રીધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિઓની કથા, (ર૬૯) રથી વેપાર કરવા લાગ્યા, તેમાં એઓએ કાંઈ પણ લાભ નહિ પામતાં ઉલટી ખોટ ખાધી.
પછી ભગ્યવંત માણુમાં મુખ્ય, ઉત્તમ ધર્મરૂપ ધનના ભંડારરૂપ અને કાર્યને જાણ એવો ધન્યકુમાર ધન મેળવવાને અર્થે બજારમાં આવીને બેઠે. હવે એ નગરમાં મહા ધનવંત છતાં બહુ કૃપણ એ કઈ મહેશ્વર શ્રેષ્ટી રહેતું હતું તેણે અનેક મહા આરંભથી બહુ ધન મેલખ્યું હતું તે પણ તે ધર્મને વિષે કાંઈપણ ખર્ચ નહીં, એટલું જ નહિ પણ સ્વજનાદિકને આપવું એ પણ તેને રુચતું નહીં. આંધલાં પાંગલાં, ગરીબ તેમજ દરિદ્રી લેકેને તે કાંઈ થોડું પણ આપતે નહીં, પિતે કયારે પણ સારાં નવીન વસ્ત્રો પહેરતો નહીં તે પછી વાર્ષિક પર્વને દિવસે સારું ભોજન કરવું તે તે હોયજ ક્યાંથી ? વળી દુષ્ટ બુદ્ધિવાલો તે કૃપણ શ્રેષ્ઠી તાંબુલ અને ચંદન વિગેરેનું નામ પણ કયાંથી જાણતો હોય ? જે કાંઈ તેની પાસે અજાણથી કઈ માગે તો તે બહુ ક્રોધ કરતે. તેમજ જે કઈ બીજે માણસ કોઈ ગરીબને કાંઈ આપતો તેના જેવામાં આવે તો તે જડાત્મા એવા કૃપણ શ્રેષ્ઠીના માથામાં શૂલ આવતું. ધનની મહા મૂચ્છ પામેલો તેમજ અને લોકોને વિનાશ કરનાર તે શ્રેષ્ઠી હંમેશાં ધનનું ધ્યાન કરતે, પરંતુ કયારે પણ ધર્મનું ધ્યાન કરતે નહીં, જડ એવો તે શ્રેષ્ઠી પિતાના ઘરની અંદર ખાઈ ખાદી તેમાં દ્રવ્ય ભરી તેના ઉપર પિતાને પિલે ખાટલે કે જેમાં રત્ન ભર્યા હતાં તે પાથરીને જાણે પરબ્રહ્મમાં લીન થએલો યેગી હોયની? તેમ દ્રવ્યની મૂછથી નિત્ય સૂતો પણ તે જડાત્મા એમ જાણતે નહિ કે કયો પુરૂષ પ્રયત્નથી રક્ષણ કરેલા દ્રવ્યને ત્યજી દઈ પરલોકમાં નથી જતો? અર્થાત્ સર્વે જાય છે. જરાવસ્થાથી જર્જરિત થએલા શરીરવાળા અને મૃત્યુ પામવાને તૈયાર થએલા તે શ્રેષ્ઠીને તેના પુત્રએ જ્યારે ખાટલેથી નીચે ઉતારવા માંડે ત્યારે ખાટલાની ઈસાને બંને હાથથી પકડી રહેલા તે શ્રેષ્ઠીએ કહ્યું.
મને આ ખાટલે બહુ સારો લાગે છે માટે નીચે ઉતારશે નહિ. શ્રેષ્ઠી ખાટલામાંજ મૃત્યુ પામ્ય એટલે રત્નના વૃત્તાંતને નહિ જાણનારા તેના પુત્રો શ્રેષ્ઠીની સાથે તેના વહાલા ખાટલાને પણ સ્મશાનમાં લઈ ગયા. શ્રેણીના પુત્રોએ સ્મશાનના અધિપતિને ખાટલે આપી દીધો તેથી તે સ્મશાનધિપતિએ તે ખાટલાને વેચવા માટે ચોટામાં મૂકો. આ વખતે ચટામાં બેઠેલા ધન્યકુમારે રત્નગર્ભ એવા તે ખાટલાને ઓળખે. કહ્યું છે કે બુદ્ધિવંત પુરૂ તૃણ અથવા વેલાદિકથી ઢંકાઈ ગએલા તેમજ દૂર રહેલા નિધિને નેત્રોથી નહિ દેખતા છતા બુદ્ધિથી જોઈ શકે છે. પછી ધન્યકુમારે તે ખાટલાને ખરીદ કરી પોતાને ઘરે આણ્યો અને તેમાંથી રત્નો કાઢી હર્ષથી પિતાના માતા પિતાને આપ્યાં. આથી ધન્યકુમારની ઘરમાં લક્ષમી અને બહાર કીતિ બહુ ફલાણું. તેમજ તેના ભાઈઓના ચિત્તને વિષે અભાગ્યપણુથી બહુ મત્સર થયું. કહ્યું છે કે આ જગતમાં કારણ વિના ક્રોધ કરનારા અસંખ્ય