Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 365
________________ (૩૫૪) શ્રી ઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ, મુનિને સાચું બોલનાર જાણી ચાર રાજાએ રત્નકંબલ ન લેતાં તેને છોડી દીધો. મુનિએ પાડલીપુર નગરમાં આવી કેશાને રત્નકંબલ આપી. કેશાએ તુરત તે રત્નકંબલને પોતાના ઘરની અશુચિ ખાલમાં ફેંકી દીધી. મુનિએ કહ્યું. “ અરે મુગ્ધ ! દેવતાને પણ દુર્લભ એવી આ રત્નકંબલને આવી અશુચિ ખાલમાં કેમ ફેંકી દે છે ? ” વેશ્યાએ કહ્યું. “ અરે મૂર્ણ મુનિ ! તું નરકને વિષે પડતા એવા પોતાના આત્માને શોક નહિ કરતાં આ રત્નકંબલને શા માટે શોક કરે છે ? ” કેશાનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા મુનિએ તેને કહ્યું. “હે શુભ ! તેં મને બેધ પમાડ્યો છે અને સંસારમાં ભ્રમણ કરવાથી અટકાવ્યો છે. હવે હું અતિચારથી ઉત્પન્ન થએલા પાપોને નાશ કરવા માટે ગુરૂ પાસે જઈશ; તને ધર્મલાભ થાઓ.” કેશાએ કહ્યું. “મને પણ આપને વિષે મિથ્યાદુકૃત હે, કારણ કે બ્રહ્મચર્ય વ્રતમાં રહેલી મેં આપને ખેદ પમાડયા છે. તમને પ્રતિબંધ પમાડવા માટે મેં તમારી આજે અશાતના કરી છે તે આપે ક્ષમા કરવી. હવે આપ ઝટ પધારો અને ગુરૂના વચનનું પ્રતિપાલન કરે.” - પછી તે મુનિ, કોશાના વચનને અંગીકાર કરી શ્રી સંભૂતિ વિજય આચાર્ય પાસે ગયા. ત્યાં તે ઉત્તમ પ્રકારે આલોચના લઈ મહા તપ કરવા લાગ્યા. અનુક્રમે ઉત્તમ સંયમ ધારી સંભૂતિ વિજય આચાર્ય પણ સમાધિથી મરણ પામી દેવક પ્રત્યે ગયા. અન્યદા પ્રસન્ન થએલા ભૂપતિએ કોઈ એક સૂથારને કોશા વેશ્યાને ત્યાં મોકલ્યો. કશા પણ રાજાની આજ્ઞાથી તે સૂથારની રાગ વિના સેવા કરવા લાગી. “સ્થલિભદ્ર વિના બીજો કોઈ પુરૂષ નથી. ” એમ કશા હંમેશાં તે સુથારની આગલા સ્થૂલિભદ્રનાં વખાણ કરતી હતી; તે ઉપરથી તે સૂથારે ઘરના ઉદ્યાનમાં જઈ પલંગ ઉપર બેસી વેશ્યાના મનને પ્રસન્ન કરવા માટે પોતાનું વિજ્ઞાન (ચાતુરી) દેખાડવા લાગ્યો. તેણે પ્રથમ એક બાણથી આંબાની લુંબને વિધી. તે બાણને બીજા બાણથી વિવું, તેને ત્રીજા બાણથી વિંધ્યું, એમ એક બીજા બાણુને વિંધતા પિતાનો હાથ પહોંચી શકે ત્યાં સુધી પરસ્પર બાણની હાર બાંધી. પછી પોતાના હાથથી તે આંબાની લુંબ ખેંચી લઈ તેના બીંટને તોડી તે લુંબ કેશાને આપી. પછી વિચક્ષણ એવી કોશાએ પણ “ હારી ચાતુરી જે.” એમ કહી સરસવનો ઢગલે કરાવી તેના ઉપર નૃત્ય કર્યું, એટલું જ નહિં પણ તે સર્ષવના ઢગલા ઉપર સેય ખસી તેના ઉપર પુષ્પ મૂકી તેના ઉપર નૃત્ય કરી દેખાડયું. એવી રીતે નૃત્ય કર્યા છતાં સંયથી ન વિંધાણે તેને પગ કે ન વેરાઈ ગયો સરસવને ઢગલો. પછી પ્રસન્ન થએલા સૂથારે કહ્યું. “ હું હારી આવી ચાતુરીથી પ્રસન્ન થયો છું. માટે મહારા ઘરમાંથી કઈ પણ વસ્તુ માગ કે તે હું તને આપું ” કેશાએ

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404