________________
શ્રીભદ્રબાહુ સ્વામી નામના ગ્રુતકેવલીની કથા (૩૩) દિવસે દ્વારની સાંકલ પડવાથી બાલક તુરત મૃત્યુ પામ્યું. પછી સર્વ સંઘ સહિત શ્રી ભદ્રબાહુ મુનિ, વરાહમિહરને ઘેર ગયા. ત્યાં અરિહંત ધર્મના છેષી એવા વરાહમિહિરે ગુરૂને એમ પૂછયું કે “હે સૂરિ ! આપે મૃષા ભાષણ કેમ કર્યું ? ગુરૂએ કહ્યું. “હે દ્વિજ ! મેં મૃષા ભાષણ શું કર્યું તે કહે ?” તેણે કહ્યું. “તમે મહારા પુત્રનું મૃત્યુ બીલાડીના મુખથી થવાનું કહ્યું હતું, તે તમારું વચન મિથ્યા થયું છે. ” ગુરૂએ કહ્યું. “ શાસ્ત્રમાં અર્ગલા (સાકલ) નું સુખ બીલાડી કહી છે. ” પછી ગુરૂએ બહ વાદવિવાદ કરતા એવા વરાહમિહરને તુરત રાજાની સભામાં આર્યો. ત્યાં રાજસભામાં શ્રી ભદ્રબાહુ સૂરિએ તે વરાહમિહરને કહ્યું. “હે વરાહમિહિર ! હમણું આકાશમાં નવીન શું થવાનું છે?” વરાહમિહિરે તુરત રાજાની સમક્ષ તેમને ઉત્તર આપ્યો કે “હે મુનિ ! આકાશમાં બાવન પલને મત્સ્ય ઉત્પન્ન થશે. તે મત્સ્ય નિચે આ કુંડાલાથી બહાર પડશે.” પછી શ્રુતકેવલી એવા ભદ્રબાહુ મુનિએ તેને આ પ્રમાણે કહ્યું. “આકાશથી મત્સ્ય પડશે તે વાત સત્ય છે, પણ તે આ કુંડાલાની અંદર પડશે, તેમજ તે મત્સ્ય એકાવન પલને હશે.”
પછી સર્વે માણસે તાત્કાલ આશ્ચર્યથી આકાશ તરફ જેવા લાગ્યા. એટલામાં આકાશ વિજલી સહિત ગર્જના કરતા એવા મેઘોથી છવાઈ ગયું. વર્ષાદ વરસવા લાગ્યું અને તત્કાલ એકાવન પલના પ્રમાણવાલો એક મહામસ્ય તે કુંડાલાની અંદર પડે. પછી રાજાદિ સર્વે લેકે “અહા જ્ઞાન, અહો જ્ઞાન” એમ કહીને મુનીશ્વરની બહુ પ્રશંસા કરવા લાગ્યા. રાજાએ શ્રી ભદ્રબાહુ સૂરિને પૂછયું કે “હે પ્રભે! આજે આ મહાત્માનું વચન કેમ સત્ય ન થયું ? ગુરૂએ કહ્યું. “એ મહારે ભાઈ છે. મેં અને તેણે સાથે વ્રત લીધું હતું. મને આચાર્ય પદ પ્રાપ્ત થયું, તે જોઈ તેણે ગુરૂ ઉપર ઈર્ષ્યા કરી એટલું જ નહિ પણ તે દુરાત્મા વ્રતને ત્યજી ત્યારે પરેહિત થયો છે. તેણે પ્રથમ લેકની આગલ એવી વાત કરી હતી કે “મેં સૂર્યમંડલમાં જઈ સર્વ ગ્રહોની ગતિ જોઈ છે. તે સર્વ તેણે લેકેને છેતરવા માટે કહ્યું છે. જેનધર્મનાં શાસ્ત્રો ભણવાથી તે ગઈ કાલની વાત જાણે છે. પણ તે મિથ્યાદષ્ટિ થઈ ગયે, તેથી તેણે વાયુ, ભૂકંપ અને તાપ વિગેરે જાણ્યું નહીં, તેથી તે વિસંવાદી વચનેવાલો થઈ ગયો છે.”
પછી રાજાદિ લોકોએ નિંદી કાઢેલ વારાહમિહર, ફરી તાપસી દીક્ષા લઈ મૃત્યુ પામી વ્યંતર થયો. તેણે દુઃખદાઈ રોગ ઉત્પન્ન કરી સંઘને ઉપસર્ગ કરવા માંડે. ગુરૂ એવા શ્રી ભદ્રબાહુસ્વામીએ ઉપસર્ગહર સ્તવન રચી તેનાથી તે ઉપસર્ગને તુરત નાશ કર્યો. જેને માટે કહ્યું છે કે “ સાગર ઘુત્ત, નળ સરકાસ્ટા થavirs fપસિં માયાહુ શુ કાયર” દયાવંત એવા જે ગુરૂએ સંઘના કલ્યાણ માટે ઉપસર્ગહર “ઉવસગ્ગહરં સ્તોત્ર રચ્યું. તે શ્રી ભદ્ર