________________
(૨૪).
શ્રી હમિડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. માટે હવે તેના ઉપર પ્રયાણ ન કરતાં તેને તમે પોતાને જમાઈ માને. ”
આ પ્રમાણે પ્રધાનાદિ પુરૂષોએ બેધ પમાડેલા ચંડઅદ્યતન ભૂપતિએ ઉદાયન કુમારને પોતાને જમાઈ માની તેને ઉત્તમ વસ્તુનું ભેટછું મોકલ્યું.
એકદા ઉજ્જયિની નગરીમાં બહુ અગ્નિને ઉપદ્રવ થવા લાગે એટલે ચંડપ્રદ્યોતને તેની શાંતિનો ઉપાય અભયકુમારને પૂછયે. અભયકુમારે કહ્યું. “ વિષ વિષ અને અગ્નિ અગ્નિનું ઔષધ છે. માટે એ અગ્નિને નિવૃત્ત કરવા માટે બીજા (પથ્થરમાંથી) અગ્નિને ઉત્પન્ન કરે કે જેથી તે અગ્નિ શાંત થઈ જાય.” અભયકુમારના વચનથી ભૂપતિએ તેમ કર્યું જેથી અગ્નિ શાંત થઈ ગયો. ચંડપ્રદ્યતન ભૂપતિએ પ્રસન્ન થઈ અભયકુમારને ત્રીજો વર માગવાનું કહ્યું. તે પણ તેણે ભંડાર રાખવાનું કહ્યું.
વલી એકદા અવંતી નગરીમાં પ્રજાને પીડાકારી રોગ ઉત્પન્ન થયો. ચંડપ્રદ્યોતને તેની શાંતિને ઉપાય અભયકુમારને પૂછશે એટલે તેણે કહ્યું કે “ અંતઃપુરની સાતમેં સ્ત્રીઓ વસ્ત્રાલંકાર ધારણ કરી એકઠી થાઓ તેમાં જે પિતાની દ્રષ્ટિથી તમને જીતે. તે તમે મને કહેજે.” રાજાએ તેમ કર્યું અને તેમાં શિવાદેવી વિના બીજી સર્વ સ્ત્રીઓને પિતે દ્રષ્ટિ વડે જીતી. ફક્ત શિવાદેવીથી રાજા પિતે પરાભવ પામે. આ વાત તેણે અભયકુમારને કહી. અભયકુમારે કહ્યું. “આપ તે પિતાની મુખ્ય પટ્ટરાણું શિવાદેવીના હાથથી રાત્રીએ કુરના બલીવડે ભૂતનું પૂજન કરાવે. તેમાં જે જે ભૂત વાળા રૂપે પ્રગટ થાય તેના તેના મુખને વિષે દેવીએ પિતે કૂરનું બલિ આપવું.” શિવાદેવીએ તેમ કર્યું એટલે રેગની શાંતિ થઈ.
ચંડ પ્રદ્યતન રાજાએ અભયકુમારને એવું વરદાન માગવાનું કહ્યું એટલે અભયકુમારે કહ્યું કે “શિવદેવીને ખોળામાં લઈ હું અનલગીરિ હસ્તિ ઉપર બેસું, આપ હારી પાછલ હસ્તિ ઉપર બેસો અને પછી આપણે સર્વ અગ્નિભીરૂ રથના કાણની કરેલી ચિતામાં પ્રવેશ કરીએ.” અભયકુમારનાં આવાં વરદાનને આપવા અસમર્થ અને વિસ્મય પામેલા ચંડપ્રદ્યોતને હાથ જોડી અભયકુમાને છોડી મૂક્યો. આ વખતે અભયકુમારે ચંડપ્રદ્યોતને કહ્યું. “ હે નૃપ ! તેં મને છેતરીને અહીં આથો છે, તો હું પણ રટતા એવા તને આ હારી નગરીમાંથી દિવસે લઈ જઈશ.”
પછી અભયકુમાર અનુક્રમે પોતાના રાજગૃહ નગર પ્રત્યે ગયે અને ત્યાં તે મહામતિવાળો કેટલોક કાલ રહ્યો. થોડા દિવસ પછી ઉત્તમ બુદ્ધિવાલ અભયકુમાર ઉત્તમ વેષવાલી બે વેશ્યાપુત્રીઓને લઈ ઉજજયિની નગરી પ્રત્યે ગયો. ત્યાં તે વણિકને વેષ લઈ રાજમાર્ગે દુકાન માંડીને રહ્યો. એકદા ચંડપ્રદ્યોતને ભૂપતિએ રસ્તે જતાં બે સ્ત્રીઓની સાથે વિલાસ કરતા અભયકુમારને બારણામાંથી દીઠે. બને સ્ત્રીઓને જોઈ તેના ઉપર બહુ અનુરાગી થએલા ચંડપ્રદ્યોતને ઘરે જઈ એક તૃતીને તે સ્ત્રીઓ પાસે મોકલી. દૂતી ત્યાં જઈ બન્ને સ્ત્રીઓની વિનંતિ કરવા લાગી, પણ