________________
(૧૩૦)
શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, મનમાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો. પછી આદ્રકુમારે ગુપ્ત રીતે પોતાના વિશ્વાસુ પુરૂ પાસે જિનપ્રતિમાસહિત બહુ રત્નાદિ વસ્તુઓથી ભરપુર એવું એક વહાણ તૈયાર કરાવ્યું. અને પિતે અશ્વ ખેલાવવાના મીષથી નાસી જઈ તુરત વહાણ ઉપર ચડી વિદાય થયા. કેટલાક દિવસે તે આર્યદેશ પ્રત્યે આવી પહોંચ્યો. પછી તે આદ્રકકુમાર તુરત અભયકુમાર તરફ જિનપ્રતિમા મોકલી, સાત ક્ષેત્રમાં રત્નાદિ સર્વ દ્રવ્યને વ્યય કરી અને જેટલામાં વ્રત લેવા માટે પંચમુખી લેચ કરે છે તેટલામાં આકાશમાં રહેલી શાસનદેવીએ તેને કહ્યું કે “હે આદ્રકુમાર ! હજુ ત્યારે ઉગ્ર એવું ભેગાવલી કમ બાકી છે માટે તું હમણું મુક્તિને પ્રતિબંધ કરનારું વ્રત ન અંગીકાર કર. કારણ કે વતની વિરાધના કરતાં વ્રત ન લેવું તે વધારે સારું છે.” દેવતાનું કહેવું સાંભળી આદ્રકુમારે વિચાર્યું જે “શું હારૂં ભેગાવલી કર્મ એવું સમર્થ છે કે તે હારા તપની આગળ ટકી શકે? આમ ધારી જાતિસ્મરણ જ્ઞાનથી જાણે છે પૂર્વ ભવને સાધુને આચાર જેણે એ તે આદ્રકુમાર, તુરત વ્રત અંગીકાર કરી ચાલી નિકળ્યો. રાજગૃહ નગર તરફ જતા એવા તે સાધુના આચારવાળા મહામુનિને રસ્તામાં વસંતપુર નગર આવ્યું. પછી તે નગરની બહારના દેવમંદિરમાં આદ્રકુમાર મુનિ જેટલામાં મેરૂ પર્વતની પેઠે નિશ્ચલપણે કાયોત્સર્ગ રહ્યા, તેટલામાં શ્રેષ્ઠીપુત્રી ધનશ્રી કે જે તેમના પૂર્વભવની સ્ત્રી થતી હતી તે બાલિકા બીજી કેટલીક કન્યાઓની સાથે ત્યાં ક્રીડા કરવા આવી. પછી તે કન્યાઓ પરસ્પર “હે સખિઓ ! આપણે સારા વરને વરીએ” એમ કહીને તેણીઓએ દેવમંદીરની અંદર રહેલા સ્તંભને “આ હારે પતિ, આ મ્હારે પતિ” એમ કહીને વર્યા. અંધકારને લીધે ધનશ્રીને એકે સ્તંભ મલ્યો નહીં તેથી તેણુએ તુરત આદ્રકકુમારને પકડી “આ હારે પતિ ” એમ કહી જેટલામાં અંગીકાર કર્યો તેટલામાં આકાશમાં ઉભેલા દેવતાએ કહ્યું “આ સર્વે કન્યાઓએ મુગ્ધપણાથી વેગવડે સ્તંભેનેજ વર્યા પણ ધનશ્રીએ તે ત્રણભુવનમાં શ્રેષ્ઠ એ વર વર્યો. ” એમ કહીને દેવતાઓએ આકાશમાં દેવદુંદુભિને શબ્દ કરી સાડી બાર કોડ સોનૈયાની વૃષ્ટિ કરી. દેવદુંદુભિને શબ્દ સાંભલી ધનશ્રી આદ્રકુમાર મુનિના ચરણમાં પડી અને તે મહામુનિના પગને મજબુત પકડી સ્થિર થઈ. ઉત્તમ બુદ્ધિવાળા આદ્રકુમાર મુનિ પણ મહા ઉપસર્ગ પ્રાપ્ત થયે જાણ કષ્ટથી ધનશ્રીના હાથમાંથી પોતાના ચરણને છોડાવી તુરત અન્યત્ર વિહાર કરી ગયા.
હવે વસંતપુર ભૂપાલ રત્નાદિની વૃષ્ટિ સાંભલી તુરત તે લેવા માટે ત્યાં આવ્યું. પણ શાસનદેવીએ નિવાર્યો અને કહ્યું કે “હે ભૂપતિ ! મેં એ ધનશ્રી સુકન્યાને પાણિગ્રહણમાં તે સુવર્ણ રત્નાદિ સર્વ આપ્યું છે માટે તે લેવાને બીજાને અધિકાર નથી.” શાસનદેવીનાં આવાં વચન સાંભલી વસંતપુર ભૂપતિ પાછો ચાલ્યો ગયે. ધનશ્રીએ પણ રત્નાદિ સર્વ દ્રવ્ય લઈ ઘરે આવી પોતાના પિતાને સંપ્યું..
પછી અનેક ધનવંત શ્રેષ્ઠીઓ પિતાના પુત્રને અર્થે તે ભાગ્યવતી કન્યાનું માથું