________________
(૪)
શ્રી રષિમહલવૃત્તિ ઉત્તશદ્ધ કપ પામશે. પરંતુ જે તે પ્રતિક્રમણ વખતે આલોચના નહિ લે તે હું તેમને તે પાપ સંભારી આપીશ.” આમ વિચારી તે બાલસાધુ મન રહ્યો. પેલા સાધુ પણ આહાર કરી રહ્યા પછી પોતાની ક્રીયાવિધિમાં પ્રવૃત થયા. પછી સંધ્યાકાલ થયો એટલે પ્રતિક્રમણ કરવાને ઉદ્યમવંત થએલા સર્વે સાધુએ પોતાના ગુરૂની પાસે પાપની આલોચના લેવા લાગ્યા. પેલા સાધુએ પોતાના પાપની આલચના લીધી નહીં એ વાત જાણીને ઉત્તમ બુદ્ધિવાલા તેમણે હિતને માટે સુરત પેલા સાધુને કહ્યું. “આજે ભિક્ષાથે ભ્રમણ કરતા એવા પૂજ્ય આપે અજાણુથી એક દેડકીના વધનું પાપ કર્યું છે તેની તમે ત્રણ પ્રકારે આલેચના કેમ ન લીધી?” બાલ મુનિનાં આવાં વચન સાંભળી દૈવવશથી ક્રોધ પામેલા તે મુનિએ કહ્યું. “ઈર્યાસમિતિથી જતા એવા મેં દેડકીને વધ ક્યાંથી કર્યો હોય? અરે અધમ ક્ષુલ્લક! તું હમણાં મને આવું મિથ્યાવચન કહે છે તેથી તું વધ કરવા યોગ્ય છે.” એમ કહીને તે સાધુ તુરત એક પાટલે લઈને તે બાલ સાધુને મારવા દોડ્યા. ક્રોધથી વ્યાકુલ એવા તે મુનિ રસ્તામાં એક સ્તંભ સાથે એવા અથડાયા કે જેથી તે તુરત મત્યુ પામ્યા.
હવે જેઓ સંયમની વિરાધના કરવાથી સર્પરૂપે ઉત્પન્ન થયા હતા તે કુલમાં આ સાધુ પણ કેપના પરિણામથી સર્પરૂપે ઉત્પન્ન થયા. પેલા સર્પો “અમે સંયમની વિરાધના કરવાથી દષ્ટિવિષ સર્ષ થયા છીએ.” એવી જાતિસ્મૃતિને લીધે કયારે પણ હિંસા કરતા નથી. તે સર્વે સપ પ્રાસુક આહાર લે છે. આવા તે સર્વેને જઈ પેલે સાધુના જીવ રૂપ સર્પ વિચાર કરવા લાગ્યા. “ મેં આવી ક્રીયા પૂર્વે કઈ સ્થાનકે અનુભવ કરેલી છે. ” આવી રીતે ઉહાપોહ કરતા તે સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉસન્ન થયું. “ ધિક્કાર છે મને, જે મેં હિતવચન કહેનારા તે બાલ સાધુ ઉપર ક્રોધ કર્યો અને તેથી જ મને આવી પાપદાયક ગતિ પ્રાપ્ત થઈ. હવે હારે આ ભવમાં પાપકારી એ જરા પણ ક્રોધ કરે નહિ. તેમજ નિરંતર પ્રાસુક આહારથીજ આજીવિકા કરવી. મહારે આ ભવમાં હંમેશાં વીતરાગ દેવ, સુસાધુ ગુરૂ અને શ્રીજિનરાજ પ્રણિત ધમરૂપ સમકત છે.” આવી રીતે વિશુદ્ધ આત્માવાલા, ઉત્તમ બુદ્ધિવાલા અને ક્ષમાધારી તે બાલ સર્ષે અભિગ્રહ લઈ એક નિરવદ્ય બિલને વિષે નિવાસ કર્યો.
હવે એમ બન્યું કે આ વખતે તુસમિણ નગરીને વિષે કુંભરાજાને લલિતાંગ નામને પુત્ર સર્પના કરડવાથી મૃત્યુ પામ્યા તેથી રાજાએ ક્રોધવડે એ પહ વગડાળે કે “જેઓ સર્પને મારી મારીને મારી પાસે લાવશે તેને હું તેના મહારે આપીશ.” રાજાના આવા આદેશને સાંભલી નિર્દય અને પાપી એવા બહુ પુરૂષ ચારે તરફ સપને નાશ કરવા માટે ચાલ્યા. સર્વેને આકર્ષણ કરવાની વિધિના જાણ એવા કેટલાક પુરૂષ તે ત્યાં આવી પહેંચ્યા કે જે વનમાં પવિત્ર આત્માવાળે પેલે ક્ષક સાધુના છવવા સર્પ વસતે હતો. સપના ઘસારાને અનુસાર તે દુષ્ટ પુરૂષ