________________
શ્રીકરગડ નામના મુનિની કથા
( ૫) રાફડાની આગળ આવી સર્ષને આકર્ષણ કરનાર મંત્ર ભણવા લાગ્યા પછી મંત્રના ભણવાથી અત્યંત વિહવળ થએલો સર્પ રાફડામાં રહેવાને અશક્ત થયો તેથી તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “અહા ! હારું સર્વે કરેલું અશુભ કર્મ ઉદય આવ્યું છે તે પણ હે જીવ! હારે કિંચિત્ માત્ર પણ ઉદ્વેગ કરવો નહીં. હારે તે શ્રી અરિહંત પ્રભુ, સિદ્ધ, પવિત્ર સાધુઓ અને શ્રી જિનેશ્વરપ્રણીત ધર્મ એ નિરંતર શરણરૂપ છે. હું સર્વે ને ખમાવું અને તેઓ સર્વે મહારા ઉપર ક્ષમા કરે હારે તે સર્વ જીવો સાથે નિરંતર મૈત્રી હજે પણ વેર હશો નહિ” આ પ્રમાણે આરાધના કરીને પછી ગ્રહણ કર્યું છે અનશન જેણે એવો તે ઉત્તમ બુદ્ધિવાળો “હારી વિષમય દ્રષ્ટિથી આ દીન પુરૂષો શીધ્ર ન મૃત્યુ પામોએમ વિચાર કરવા લાગ્યો. પછી પવિત્ર આત્માવાળો તે ક્ષપક સર્ષ મનમાં પરમેષ્ઠિ નવ કાર મંત્રનું સ્મરણ કરતો છતો બહુ દયાથી અવળું મુખ રાખી રાફડામાંથી બહાર નિકળે એટલે પેલા નિર્દય પાપી પુરૂષો તેને છેદી છેદીને રાજા પાસે લઈ ગયા. આ વખતે નગરદેવતાએ આકાશવાણીથી રાજાને કહ્યું કે “હે નરેદ્ર! તું સર્પોને નહિ માર કારણ ત્યારે એક પુત્ર થશે.” નાગદેવતાનાં આવાં વચન સાંભળી કુંભરાજાએ તુરત પડહ વગડાવી નગરવાસી લોકોને સપને ઘાત કરતા અટકાવ્યા.
હવે પેલો ક્ષપક સર્ષ શુભ ધ્યાન એગથી મૃત્યુ પામીને તે જ વખતે કુંભ રાજાની પટ્ટરાણીના ગર્ભને વિષે અવતર્યો. પૂર્ણ સમયે રાણીએ એક પુત્રને જન્મ આપે જેથી કુંભ ભૂપતિએ પૂત્ર જન્મના અનેક મહોત્સવ કરાવ્યા. નામ પાડવાને વખતે પણ નાના પ્રકારના મહોત્સવથી રાજાએ તેનું નાગદત્ત એવું યથાર્થ પ્રગટ નામ પાડયું. અનુક્રમે પાંચ ધાવ માતાએથી લાડ લડાવાતે તે પુત્ર વૃદ્ધિ પામ્યો ત્યારે પિતાએ તેને કલાચાર્ય પાસે મૂકીને કલાઓને અભ્યાસ કરાવ્યો.
એકદા ગોખમાં બેઠેલા અને પિતેજ મેળવેલા સુખના ઉદયવાળા નાગદત્ત ઇર્યાસમિતિથી જતા એવા એક મુનીશ્વરને દીઠા. મુનિને જોતાં માત્રજ પૂર્વ ભવની સ્મૃતિને પામીને મેક્ષના સુખને અભિલાષી તે નાગદત્ત સંસારથી અત્યંત વિરક્ત થયો. પછી માતા પિતાને મધુર વચનથી સમજાવી ઉત્તમ બુદ્ધિવાળા તે નાગદત્ત વૈરાગ્યથી દીક્ષા લઈને પોતાના ગુરૂને કહ્યું કે “હે ગુર! કર્મના યોગથી થોડું પણ તપ કરવા સમર્થ નથી જેથી વ્હારે આ ભવમાં સર્વથા ક્રોધાદિકને ત્યાગ હો.” ગુરૂએ કહ્યું “હે મુનિ ! તમને તપ કર્મ વિના પણ ક્રોધાદિના ત્યાગથી કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” ગુરૂનાં આવાં પરમ હિતકારી વચન સાંભળી જિતેંદ્રિય એવા નાગદત્ત મુનિએ પોતાનું ચિત્ત સ્થિર કર્યું, પરંતુ તિર્યંચ (સર્પ) ભવમાં ઉપાર્જન કરેલા અતિ સુધા વેદનીય કુકર્મથી તે ક્ષમાધારીને પણ અત્યંત ક્ષુધા લાગવા માંડી તે એટલે સુધી કે તેને નમસ્કાર સહિત (નવકારશી) પચ્ચખાણ કરવું પણ દુષ્કર થઈ પડયું તેથી તે વારંવાર ભેજન કરવા લાગ્યું. જેથી તેનું લોકમાં કૂરગડુક એવું નામ પડયું.