________________
શ્રી કેડિત્ર, દિન્ન અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા. (૯) પિતાના પુત્રને રાજ્ય સેંપી માતાપિતા સહિત શ્રી ગૌતમ પાસે દીક્ષા લીધી. પછી
શ્રી વિરપ્રભુને વંદન કરવા માટે તેઓ જવા લાગ્યાએવામાં રસ્તે સાલ અને મહાસાલ બને મુનિઓ પોતપોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે “આ ત્રણે જણને (હેન બનેવી અને ભાણેજને) આપણે રાજ્યપદ આપ્યું હતું અને હમણાં તેઓને સંસારથી ઉતારી મૂક્યા છે.” આ પ્રમાણે હર્ષના ઉત્કર્ષથી વિચાર કરતા એવા તે મહાત્મારૂપ બન્ને જણાને ઉજવલ એવું કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. હવે પેલા ગાગલિ વિગેરે ત્રણ જણ પણ પિતપોતાના ચિત્તમાં વિચાર કરતા હતા કે, આ બને ભાઇઓએ પ્રથમ અમને રાજ્યસને સ્થાપન કર્યા હતા અને હમણાં તેઓએ જ અમારે સંસારરૂપ કૂવાથી ઉદ્ધાર કર્યો છે,” આવી રીતે નિર્મલ અધ્યવસાયથી વિચાર કરતા એવા તે ત્રણ મહાત્માઓને પણ વિશ્વને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ સર્વે સમવસરણમાં જઈ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વંદના નહિ કરતા છતા તુરત કેવલજ્ઞાનીની પર્ષદામાં ગયા, આવી રીતે પ્રભુને વંદન કર્યા વિના જતા એવા તેઓને જોઈ ગૌતમ ગણુધરે કહ્યું. “હે વિનિત વત્સ! તમે પ્રથમ શ્રી જિનેશ્વર પ્રભુને કેમ વંદના કરતા નથી?” આ અવસરે તીર્થનાથ એવા શ્રી વિરપ્રભુએ ૌતમને કહ્યું કે “હે ગતમ! તમે એ જ્ઞાનીઓની અશુભ એવી આશાતના કરશે નહીં.” શૈતમે પૂછયું. “હે તીર્થેશ્વર? એમને કેવલજ્ઞાન શાથી ઉત્પન્ન થયું?” પ્રભુએ કહ્યું. શુભ ધ્યાનના યોગથી “તીર્થનાથનાં આવાં વચન સાંભલી ગતમ વિચાર કરવા લાગ્યા કે “હા હા ! હારા પછીના સાધુઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મને નહીં.” આવી રીતે વિચાર કરતા કેટલામાં તેમના મનને વિષે મહા ખેદ ઉત્પન્ન થયે તેટલામાં તે પર્ષદાને વિષે દેવતાઓ પરસ્પર વાત કરવા લાગ્યા કે “આજે દેશના આપતા એવા શ્રી અરિહંત પ્રભુએ એમ કહ્યું કે જે પુરૂષ, અષ્ટાપદ પર્વતને વિષે દેવને નમસ્કાર કરશે તે પુરૂષ તેજ ભવમાં કેવલજ્ઞાન પામી અહાથ એવા મેક્ષ સુખને પામશે. નિચે એજ ઉત્તમ તત્વાર્થ છે. ” પછી ગૌતમગુરૂ દેવતાનાં આવાં વચન સાંભળી શ્રી જિનેશ્વરની આજ્ઞા લઈ અષ્ટપદ તીર્થ પ્રત્યે ગયા.
હવે એમ બન્યું કે પાંચસે પાંચસે શિષ્યના પરિવારવાળા દિન્ન, કોડિન્ન અને સેવાલ નામના ત્રણ તાપસે સચિત્ત એવા કંદ અને સેવાળ વિગેરેનું ભક્ષણ કરતા છતા એક, બે અને ત્રણ એવા અનુક્રમે ઉપવાસના પારણે અષ્ટાપદ પ્રત્યે જવા માટે તૈયાર થયા હતા. તેમાં ચિત્ત ચોથભક્ત તપથી પહેલી મેખલા પ્રત્યે ગયે. કોડિન છઠ્ઠના તપથી બીજી મેખળા પ્રત્યે ગયો અને ત્રીજા સેવાલ અઠ્ઠમના તપથી ત્રીજી મેખલા પ્રત્યે ગયા પછી તેઓ ગૌતમ ગણધરને આવતા જોઈ વિરમય પામતા છતા પરસ્પર વિચાર કરવા લાગ્યા કે -
“અહો ! તપથી દુર્બળ અંગવાળા અમે તે આ અષ્ટાપદ પર્વત ઉપર ચઢી શકતા નથી તે ગજરાજ સરખા ઐઢ દેલવાળા આ મુનિ શી રીતે ચઢી શકશે?”