________________
શ્રીસુવ્રત નામના મુનિના થા.
(૭૩)
એકદા ક્રોધ, માન અને માયાદિને જીતનારા તે મહામુનિ, ઇંદ્રિયાને વશ કરી અરણ્યમાં કાયાત્સગે રહ્યા હતા. આ અવસરે ઇંદ્રે અવિધ જ્ઞાનથી તે સુન્નત મુનિને જોઈ હર્ષ પામતા છતા દેવતાઓને કહ્યુ કે “ હે દેવતા ! સાંભળેા જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં સુવ્રત નામના મહામુનિ, જેવા વ્રતને વિષે ટૂઢ છે તેવા ખીજા કાઈ પણુ મુનિ હમણાં ત્રણ જગત્ત્તે વિષે નથી. કારણ એ મુનીશ્વરને સુરેદ્ર પણ તેમના વ્રતથી ચલાવવા સમર્થ નથી.” ઈંદ્રનાં આવાં વચન સાંભળી એક મિથ્યાષ્ટિ દેવતા વિચાર કરવા લાગ્યા “ અહા ! આ ઇંદ્ર પોતે તેની સમપણાની શી વાત કરે છે. શું મનુષ્યેામાં એટલું બધું સત્ત્વ હાય છે ? માટે ચાલ હું ભરતક્ષેત્રમાં જઈ તેને વ્રતથી ભ્રષ્ટ કરી અને આ પ્રમાણે તેની પ્રશંસા કરતા એવા ઇંદ્રને ખેલતા બંધ કરી ઘઉં, ” પછી પેાતાની દિવ્ય શકિતથી તે દેવતા જ્યાં અરણ્યને વિષે મુનિ કાર્યોત્સગે રહ્યા હતા ત્યાં આવ્યેા. ત્યાં તેણે પ્રથમ ઝટ શરીરને સુખકારી અને સુગંધવાળા વાયુ વિકા. અકાળે સર્વ ક્ષેાને પુષ્પ અને ફૂલ પ્રગટ કરી સર્વ સ્થાનકે રાગસહિત મધુર ગીત રચાવ્યાં. વિદ્યાધરા અને સ્થાનકચારી સર્વ પ્રાણીઓનાં મૈથુનક્રીડા કરતાં એવા જોડલાંએ બનાવ્યાં. વળી તે દેવતાએ વિષુવેલી ઉજવળ અલંકારને ધારણ કરનારી મનેાહર રૂપવાળી સ્ત્રીએ કટાક્ષથી ત્રણ જગત્ત્ને ક્ષેાસ પમાડવા લાગી. આ સર્વ અકાળે એચિંતું ઉત્પન્ન થએલું જોઇ સુત્રત મુનિ પેાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે, “ માહનુ કારણ આ શું? મ્હારા મેાહને ઉન્માદ કરાવનારૂં આ સર્વ શું દિવ્ય છે કે સ્વાભાવિક છે ? ગમે તે હા, મ્હારે તેના વિચાર કરવાની કાંઇ જરૂર નથી. નિશ્ચે મ્હારા આ દુમ આત્માને વશ કરવા કાઇ દેવતાએ આ ઉદ્યમ કર્યો હાય તેમ જણાય છે. ” આમ ધારી તે મહાત્મા પેાતાની પાંચ ઇંદ્રિયાને મનસહિત નિયમમાં રાખી મેરૂપર્વતની પેઠે સ્થિરતાએ એક એકાંત સ્થલમાં બેઠા.
""
હવે પેલી કૃત્રિમ સ સ્ત્રીઓ, મુનિને લાભ પમાડતી છતી કહેવા લાગી. “ હું મુનિ ! તમને અતિ ઉગ્ર એવા તપનુ કુલ આજભવને વિષે મળ્યું છે. તેથીજ વિદ્યાધરની પુત્રીએ અને સ્વયંવર કરનારી અમે તમને વરવા માટે અહિં આવીએ છીએ. માટે તમે અમારૂં પાણીગ્રહણ કરો. હું સુવ્રત ! નિરંતર પૃથ્વીના સામ્રાજ્યની પેઠે સ્વરાજ્ય ભોગવતા છતા તમે અમારી સાથે પેાતાના તારૂણ્યને કૃતાર્થ કરે. ” સ્રીએનાં આવાં વચનથી પણ સ્થિર બુદ્ધિવાળા તે સુત્રત મુનિ કિંચિત્માત્ર ક્ષેાભ પામ્યા નહીં. કહ્યું છે કે બહુ પવનથી ક્યારે પણ મેરૂ પર્વ ત ચલાયમાન થાય ખરો ? સ્ત્રીએએ આલિંગનાદિ ખટુ ભાવા કર્યા. પરંતુ ભરેલા ઘડા ઉપર પાણીના સિંચનની પેઠે તે સર્વનિલ થયું. પછી દેવતા અધિજ્ઞાનથી મુનિનું વ્રતને વિષે ધૈર્ય જોઇ માયા ત્યજી દઈ અને પ્રગટ થઈ કહેવા લાગ્યા. “ હું સુવ્રત મુનિ ! તમે ધન્ય, ત્રત્રુ જગને માન્ય અને વ્રતધારીઓની મધ્યે શ્રેષ્ઠ છે. જે તમારૂં પોતાનુ વ્રત પાળવામાં આવું ઢપણું છે. હું મુનિ ! હમણાં ઇંદ્ર, પોતાની
૧૦