________________
M
શ્રીક્રુક નામના મુનિની કથા.
( ૭ ) ' श्रीक्षुल्लक' नामना मुनिनी कथा
-૦OO—– આ જંબૂદ્વીપના સાકેતન પુરને વિષે પુંડરીક નામે રાજા રાજ્ય કરતા હતે. તેને કુંડરીક નામનો યુવરાજ બંધુ હતું. તે કુંડરીકને યશભદ્રા નામે પતિવ્રતા સ્ત્રી હતી.
એકદા પુંડરીક ભૂપતિ, યશભદ્રાની રૂપલક્ષમી જઈ કામાતુર થયે. તેથી તેણે દાસીની મારફત યશોભદ્રાને કહેવરાવ્યું કે, “હે ભદ્દે ? તું મને અંગીકાર કરી મહારા રાજ્યની સ્વામિની થા. નિચે હારા વિના હારા પ્રાણનું બીજું કઈ રક્ષણ કરનાર નથી.”
યશોભદ્રા “આ સંસારજ વિચિત્ર છે. ધિક્કાર છે ધિક્કાર છે કામ વિડંબનાને, “અહા ! જેઠ પણ પિતાના ન્હાના ભાઈની સ્ત્રીની ઈચ્છા કરે છે.” આ પ્રમાણે મનમાં વિચાર કરી દાસીને કહેવા લાગી. “તું રાજાને જઈને કહે કે તમે પિતાના ન્હાના બંધુની સ્ત્રીની ઈચ્છા કરો છો તે શું કુલને યોગ્ય કાર્ય કહેવાય? ખરેખર પરસ્ત્રીની પ્રાર્થના કરવી એ પણ એક નરબંધનનું કારણ છે. તે પછી તે વિભે! પિતાના ન્હાના ભાઈની સ્ત્રીની પાર્થના કરવી, તેનું તો શું જ કહેવું? નિચે મને આ લેકમાં અને પરલોકમાં જે સુખ પ્રાપ્ત થશે તે સુખ રાયવાલા છતાં તમને પ્રાપ્ત નહીં થાય. કારણ પિતાના સમાન એવા તમને હું કયારે પણ ઈચ્છતી નથી, કેમકે મહારે પતિવ્રતા ધર્મ તમારા થકી પણ મહા તેજવંત છે.” યશભદ્રાએ કહેલાં આ સઘલાં વચન પુંડરીક રાજાએ દાસીના મુખથી સાંભલ્યાં. તેથી કામવડે બહુ પીડા પામતે એ ભૂપતિ મનમાં વિચાર કરવા લાગ્યા. “ જ્યાં સુધી સુંદર આકૃતિવાલે હારે હાને બંધુ જીવતો છે ત્યાં સુધી એ મને ઈચ્છનારી નથી માટે નિશ્ચ હારે હારા ન્હાના બંધુને મારી નાખવો જોઈએ.”
એકદા દુષ્ટ બુદ્ધિવાલા રાજાએ છલ કરી પોતાના બંધુને મારી નાખે. તેથી તેની સ્ત્રી મહાસતી યશોભદ્રા પોતાના શીલવ્રતના ભંગના ભયથી નાસી જઈને શ્રાવતી નગરી પ્રત્યે આવતી રહી. ત્યાં અજિતસેન સૂરીશ્વર અને કીર્તિમતિ સાધ્વી હતાં. તેમની પાસે યશોભદ્રાએ ભયથી પિતાના ગર્ભની વાત નહિ પ્રગટ કરતા દિક્ષા લીધી. અનુક્રમે તેણુએ અવસરે એક પુત્રને જન્મ આપે. જ્યારે તે પુત્ર આઠ વર્ષને થયો ત્યારે ગુરૂએ તેને દીક્ષા આપી. પરંતુ તે જ્યારે યુવાવસ્થા પામ્યો ત્યારે તેને દીક્ષા ત્યજી દેવાનો વિચાર થયે. આ વાતની તેની માતાને ખબર પડી ત્યારે તેણુએ પુત્રની પાસે આવી દીક્ષા પાલવાનું કહ્યું. પુત્રે માતાના વચનથી બાર વર્ષ દીક્ષા પાળી. એવી જ રીતે પ્રવર્તનના આગ્રહથી બીજા બાર વર્ષ દીક્ષા પાળી. વળી ગુરૂ અને ઉપાધ્યાયના વચનથી પણ તેણે મન વિના બાર વર્ષ દીક્ષા પાળી. આ પ્રમાણે અડતાળીસ વર્ષ પર્યત મન વિના દીક્ષા પર્યાય પાળી એ ક્ષુલ્લક નામના કુમારે છેવટ નિર્લજપણે દીક્ષા ત્યજી દીધી.
પછી માતાએ આપેલી પિતાના નામની મુદ્રિકા અને રત્નકંબલ લઈ તે રાત્રિને