________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
यस्य न वर्णो न गन्धो रसः यस्य न शब्दो न स्पर्शः। यस्य न जन्म मरणं नापि नाम निरंजनस्तस्य।। १९ ।। यस्य न कोधो न मोहो मदः यस्य न माया न मानः। यस्य न स्थानं न ध्यानं जीव तमेव निरञ्जनं जानीहि।। २०।। अति न पुण्यं न पापं यस्य अस्ति न हर्षा विषादः। अस्ति न एकोऽपि दोषो यस्य स एव निरञ्जनो भावः।। २१ ।।
ત્રિવત્તા વર્ણ, ગંધ, રસ, શબ્દ કે, સ્પર્શ ન જેને જાણ; જન્મ મરણ જેને નહીં, તે જ નિરંજન નામ. ૧૯ જેને ક્રોધ ન મોહ ના, મદ માયા કે માન; સ્થાન ધ્યાન જેને નહીં, તે જ નિરંજન જાણ. ૨૦ પુણ્ય પાપ જેને નહીં, નહીં હર્ષ કે ખેદ;
નહીં એક પણ દોષ તે, ભાવ નિરંજન દેવ. ૨૧
જેને વર્ણ નથી, રંગ નથી, ગંધ નથી, રસ નથી, શબ્દ નથી, સ્પર્શ નથી, જન્મ નથી તથા મરણ નથી તે પરમાત્માની નિરંજન સંજ્ઞા છે. ૧૯
જેને ક્રોધ નથી, મોહ નથી, મદ નથી, માયા નથી, માન નથી, જેને કર્મજન્ય સ્થાન નથી તથા ધ્યાન નથી તેને હું જીવ, તું નિરંજન જાણ. ૨૦
જેને પુણ્ય નથી, પાપ નથી, હર્ષ નથી, વિષાદ નથી, જેને અઢાર દોષોમાંથી એક પણ દોષ નથી તે નિરંજન પરમાત્મા છે. તેની તું ભાવના કર અથવા તેના સ્વરૂપને જાણ. ૨૧
જેમાં શુક્લ (સફેદ), કૃષ્ણ, લાલ, પીત તથા નીલ વર્ણ આદિ કોઈ વર્ણ નથી, સુગંધ કે દુર્ગધરૂપ એક પ્રકારની ગંધ નથી, મધુર, ખાટો, તીખો, કડવો તથા તૂરો એ પાંચમાંથી એકેય રસ નથી, જેને ભાષા-અભાષારૂપ શબ્દ પણ નથી, સ્વર નથી, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ , રુક્ષ, ગુરુ, લઘુ, કોમળ, કઠણરૂપ આઠ પ્રકારના સ્પર્શમાંથી એકેય સ્પર્શ નથી તથા જેને જન્મ-મરણ પણ નથી, તે ચિદાનંદ એક સ્વભાવવાળા શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમાત્માની નિરંજન સંજ્ઞા (નામ) છે, અર્થાત્ પરમાત્મા જ નિરંજન કહેવાય છે.
જેને ક્રોધ, મોહ તથા વિજ્ઞાનાદિ આઠ ભેદવાળો મદ નથી, જેને માન નથી, માયા નથી, ધ્યાનનાં સ્થાન જે નાભિ, હૃદય, મસ્તક ઈત્યાદિ પણ જેને નથી તથા ચિત્તને રોધવારૂપ ધ્યાન પણ નથી. આ પ્રકારના સહુજાત્મસ્વરૂપ પરમાત્માને હું જીવ, તું નિરંજન જાણ. અર્થાત્ ખ્યાતિ, પૂજા, લાભ તથા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com