Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 213
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates જોઈએ. ૧૬૮ ૧૯૯ अद्धुम्मीलिय- लोयणिहिं जोउ कि एमुइ लब्भइ परम- गइ णिच्चिंति अर्धोन्मीलित-लोचानाभ्याम् योगः किं ज्ञंपिताभ्याम्। एवमेव लभ्यते परमगतिः निश्चिन्तं સ્થિતૈ:।।૬૬૧ ।। इंपियएहिं । ठियएहिं ।। १६९ ।। અર્ધ મીચેલાં નયન કે, પૂર્ણ મીચ્ચે શું યોગ ? ચિંતા વિણ એકાગ્ર લે, ધ્યાને શિવ-સંયોગ. ૧૬૯ અર્ધા ઉઘાડેલાં નેત્રોથી અથવા બંધ કરેલાં નેત્રોથી શું ધ્યાનની સિદ્ધિ થવાની છે? અર્થાત્ આંખોની ક્રિયાથી ધ્યાનની સિદ્ધિ થતી નથી, પણ જે ચિંતાઓનો ત્યાગ કરીને આત્મસ્વરૂપમાં એકાગ્રતા ધારણ કરે છે તેને સ્વયમેવ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કીર્તિ, માન, લાભ, પૂજાદિની ચિંતા તથા સંસારની બીજી વાસનાઓનો ત્યાગ કરીને જે જીવો સ્વશુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિતિ કરે તેઓ મોક્ષ (પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ ) ને પામે છે. બાકી આંખોને મીંચવાથી, જ્ઞાન વગરનું ધ્યાન કરવાથી કંઈ આત્મા શુદ્ધ થતો નથી. શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં સ્થિરતા થવાથી, તલ્લીનતા થવાથી ધ્યાનની પરમસિદ્ધિ થાય છે તથા તે ધ્યાનના બળે કરીને આત્મા કર્મક્ષય કરીને પરમગતિરૂપ મોક્ષને પામે છે. ૧૬૯ ચિંતાત્યાગની જરૂર બતાવે છે जोइय मिल्लहि चिन्त जइ तो तुट्टइ संसारु । चिंतासत्तउ जिणवरु वि लहइ ण हंसाचारु ।। १७० ।। योगिन् मुञ्चसि चिन्तां यदि ततः त्रुट्यति संसारः । चिन्तासक्तो जिनवरोऽपि लभते न हंसाचारम् ।। १७० ।। યોગિન્ ચિંતા જો તજે તો તૂટે સંસાર; ચિંતાસક્ત જિનેન્દ્ર પણ, લહે ન હંસાચાર. ૧૭૦ હું યોગી, જો તું ચિંતાઓનો ત્યાગ કરીશ તો સંસાર પરિભ્રમણ છૂટી જશે. કારણકે ચિંતાયુક્ત જિનવર-છદ્મસ્થ અવસ્થામાં રહેલા તીર્થંકર દેવ પણ શુદ્ધ સહજાત્મસ્વરૂપ એવા પરમહંસ ૫રમાત્માના આચરણરૂપ શુદ્ધ ભાવને પામતા નથી. હૈ યોગી, નિર્મળ જ્ઞાનદર્શન સ્વભાવવાળા પરમાત્મપદાર્થથી વિમુખ કરનારી ચિંતાઓનો ત્યાગ કરવાથી જ તું સંસારભ્રમણથી છૂટીશ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240