________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૧
ધરી ભયાનક નગ્ન રૂપ, દગ્ધ મૃતક સમ કાય; ભિક્ષામાં મિષ્ટાન્ન, તું, -ચહે ન કયમ લજ્જાય? ૧૧૧-૨
ભયાનક અને બળેલા મડદાની સમાન વસ્ત્રરહિત નગ્નસ્વરૂપ ધારણ કરીને પણ હે સાધુ, તું ભિક્ષામાં જે મધુર અથવા રસવાળા પદાર્થોની ઇચ્છા રાખે છે તેથી તને શું લજા નથી આવતી?
ગૃહસ્થ મુનિને ભક્તિપૂર્વક ચાર પ્રકારનાં દાન આપવાં જોઈએ. આહારદાન આપવાથી ગૃહસ્થ એક પ્રકારે ચારેય દાન આપ્યાં એમ કહેવાય છે; કારણ કે આહાર કરવાથી શરીરમાં જે શક્તિ રહે છે તેથી મહાત્માઓ તપની, સંયમની, ધર્મની અને શુદ્ધ આત્મભાવનાની આરાધના કરી શકે છે. શ્રાવક જે આહાર આપે છે તેમાં મુનિએ મોહ ન કરવો જોઈએ. જે લૂખોસૂકો નિર્દોષ આહાર મળે તેમાં સંતોષ રાખી એક ધર્મની આરાધના જ કર્તવ્ય છે. પરંતુ કોઈ પણ સાધકે આહારમાં લુબ્ધ ન થવું જોઈએ. ૧૧૧-૨
जइ इच्छसि भो साहू बारह-विह तव-हलं महा-विउलं। तो मण-वयणे काए भोयण-गिद्धी विवज्जेसु।। १११-३ यदि इच्छसि भो साधो द्वादश-विधतपफलं महद्विपुलम्। ततः मनोवचनयोः काये भोजनगृद्धिं विवर्जयस्व।। १११–३ મુનિ, દ્વાદશ વિધ તપ તણું, ફળ ઇચ્છે અભિરામ;
તો તજ મન વચ કાયથી, ભોજન-ગૃદ્ધિ તમામ. ૧૧૧-૩
હે સાધુ, જો તું બાર પ્રકારનાં તપનું મહાન ફળ સ્વર્ગ તથા મોક્ષને ઇચ્છે છે તો વીતરાગ નિજાનંદ એક સુખરસનો આસ્વાદ વડે તૃત થઈને મન, વચન, કાયાથી ભોજનની લોલુપતાનો ત્યાગ કર. ૧૧૧-૩
जे सरसिं संतुट्ठ-मण विरसि कसाउ वहति। ते मुणि भोयण-धार गणि णवि परमत्थु मुणंति।।१११-४ ये सरसेन संतृष्टमनसः विरसे कषायं वहन्ति। ते मुनयः भोजनगृध्राः गणय नैव परमार्थं मन्यन्ते।। १११-४ સરસ ભોજન તુષ્ટ મન, વિરસે કરે કષાય; જાણે નહિ પરમાર્થ તે, ભોજન-ગૃહ ગણાય. ૧૧૧-૪
જે યોગી સ્વાદિષ્ટ આહારથી આનંદ પામે છે અને નીરસ આહારમાં ક્રોધાદિ કષાય કરે છે તે મુનિ ભોજનમાં આસક્ત થવાથી વૃદ્ધ પક્ષીની સમાન લોલુપી છે, પરંતુ તપોધન નથી એમ તું જાણ, તેવા મુનિઓ પરમાર્થને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com