________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ તથા તેના વિષયભૂત સક્લ પદાર્થો વિનશ્વર છે એમ જાણી વિનાશી પદાર્થોમાંથી પ્રીતિ તજી એક શુદ્ધ આત્મપદાર્થમાં લીનતા કરવી યોગ્ય છે. શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ સમસ્ત જીવરાશિ એક છે. જેમાં અનેક પ્રકારનાં વૃક્ષોથી પૂર્ણ વન એક કવાય છે તેમ જીવ જીવજાતિની અપેક્ષાએ એક છે તથા તે સર્વ જીવો સમ સ્વભાવી છે. તેમાં કર્મકૃત વિચિત્રતાઓ દેખાય છે, તે સર્વ જીવો અવિનાશી છે. ૧૩૦-૧૩૧ પદાર્થોને અનિત્ય જાણીને ધન તથા યૌવનમાં તૃષ્ણા કર્તવ્ય નથી.
जे दिवा सूरुग्गमणि ते अत्थवणि ण दिट्ठ। तें कारणिं वढ धम्मु करि धणि जोव्वणि कउ तिट्ठ।। १३२।। ये दष्टाः सूर्योद्गमने ते अस्तमने न दष्टाः। तेन कारणेन वत्स धर्मं कुरु धने यौवने का तृष्णा।। १३२ ।। દીઠા જે સૂર્યોદયે, અસ્ત તો ન જણાય;
શી તૃષ્ણા ધન-યૌવને ? વત્સ, ધર્મ કર કાંય. ૧૩ર હે શિષ્ય, જે પદાર્થો સૂર્યના ઉદય સમયે જોયા હતા તે સૂર્યાસ્ત સમયે તો દેખાતા પણ નથી. અર્થાત્ એટલી વારમાં તે નાશ પામી ગયેલા જણાય છે તેથી તું ધર્મનું આરાધન કર. ધન તથા યૌવનની તૃષ્ણાથી શું લાભ?
- ધનધાન્ય આદિ પદાર્થો જે સવારમાં જોયા હોય છે તે પદાર્થ સાંજ સમયે દેખાતા નથી, અર્થાત્ નાશ પામી જાય છે, તેથી જગતના વિલાસને અનિત્ય જાણી પદાર્થોની મમતા છોડી ધર્મ અંગીકાર કર. કોઈ કહે કે ગૃહસ્થ ધનની તૃષ્ણા ન કરે તો શું કરે? આજીવિકા તથા ગૃહવ્યવહાર શી રીતે ચલાવે? તેનું સમાધાન-ન્યાયમાર્ગથી ધન ઉપાર્જન કરી ગૃહસ્થ સત્પાત્રને દાનપૂર્વક આજીવિકા કરવી જોઈએ અને સર્વસંગપરિત્યાગની નિરંતર ભાવના રાખવી જોઈએ. ધનની તૃષ્ણાથી ધન મળતું નથી. પણ ધર્મારાધનથી તે મળે છે. તેથી વિવેકી-વિચારવાન ગૃહસ્થ ધનની તૃષ્ણા ન કરે. ધન, યૌવન તો અસાર છે, એમ જાણી યૌવન અવસ્થામાં પણ વિષયોની આશા કે તૃષ્ણા ન કરે. સંસારનો રાગ તજી એક અખંડ સ્વભાવરૂપ શુદ્ધ સહજાત્મપદમાં લીન થઈ સદા આત્મભાવના કરે કે જેથી પરમ સુખને પામે. ૧૩ર ધર્મ અને પરહિત મનુષ્યનો જન્મ વૃથા છે
धम्म ण संचिउ तउ ण किउ रुकखें चम्ममएण। खज्जिवि जर उद्देहियए णरइ पडिव्वउ तेण।। १३३।। धर्मो न संचितः तपो न कृतं वृक्षेण चर्ममयेन। खादयित्वा जरोनेहिकया नरके पतितव्यं तेन।। १३३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com