________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૬૨
જાણતા નથી.
નિરંતર વિષય-કષાયને આધીન હોવાથી આતરૌદ્ર ધ્યાનમાં રક્ત એવા ગૃહસ્થોને નિશ્ચયરત્નત્રય લક્ષણવાળા શુદ્ધોપયોગરૂપ ધર્મનો અવકાશ નથી મળતો તેથી તેઓને આહારાદિ દાનોથી ૫૨મ ધર્મ થાય છે. સમ્યક્ત્વપૂર્વક દાન આપવાથી પરંપરાએ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્મધર્મના સાધક મુનિઓએ આહાર સંબંધી સાચા-ખોટા વિકલ્પો તજી નિર્દોષ આહા૨ પામી તેમાં રાગ-દ્વેષ કર્યા સિવાય ઉપભોગ કરવાથી નિર્જરા થાય છે; અન્યથા ભોજન સંબંધી ઇષ્ટ–અનિષ્ટ કર્મ બંધાય છે. મુનિ-લાભ-અલાભમાં માનઅપમાનમાં, સમતાભાવે યથાલાભથી આનંદમાં રહે પણ ઘી, દુધ, દહીં, મિષ્ટાન્ન આદિ ઇચ્છા ન કરે, જિનમાર્ગમાં મુનિઓની એ જ રીતિ છે. ૧૧૧–૪
रूवि पयंगा सद्दि मय गय फासहि णासंति । अलि-उल गंधइँ मच्छ रसि किम अणुराउ करंति ।। ११२ ।। रूपे पतङ्गाः शब्दे मृगाः गजाः स्पर्शैः नश्यन्ति । अलिकुलानि गन्धेन मत्स्याः रसे किम् अनुरागं कुर्वन्ति।। ११२।।
રૂપે ફુદાં, મૃગ શબ્દથી, સ્પર્શે ગજ મરી જાય; મત્સ્યે રસે, અલિગંધથી, રતિ વિષયે કયમ થાય ? ૧૧૨
રૂપમાં લીન થઈને પતંગિયું દીવામાં પડીને મરણ પામે છે. શબ્દને લીધે સંગીતમાં લુબ્ધ હરણો પારઘી વડે હણાય છે, હાથી સ્પર્શઇન્દ્રિયને આધીન થઈ બંધનનાં દુ:ખ ભોગવે છે, સુગંધની આસક્તિમાં લીન થઈ ભમરા કમળમાં બિડાઈ જઈ પ્રાણ છોડે છે અને રસમાં પ્રેમ રાખીને માછલાંઓ માછીમારના હાથે મરાય છે, એમ એક એક ઇન્દ્રિયની આસક્તિને લીધે જીવો પોતાના પ્રાણ ગુમાવે છે. તો જે જીવો પાંચે ઇન્દ્રિયોના વિષયમાં લુબ્ધ છે તેની શી ગતિ થશે એમ વિચારવાથી સહજમાં સમજાય એમ છે. આ પ્રમાણે વિચાર કરીને શું વિવેકી જીવો વિષયોમાં કદી રાગ ક૨શે ? અર્થાત્ નહિ જ કરે.
શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમાત્મભાવનાથી રહિત પ્રાણીઓ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈ ભવભવમાં નાશ પામ્યા કરે છે. આવું જાણીને બુદ્ધિમાન મનુષ્યો વિષયોથી વિરક્ત થઈ આત્મ-સાધનમાં તત્પર થાય છે અને મોક્ષ પામે છે. ૧૧૨
લોભ કષાયના દોષ કહે છે
जोइय लोहु परिच्चयहि लोहु ण भल्लउ होइ । लोहासत्तउ सयलु जगु दुक्खु सहंतउ जोइ ।। ११३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com