________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૨૬
નિજ દર્શન સન્મુખ જો, મ૨ણ તોય તે શ્રેષ્ઠ;
નિજ દર્શનથી વિમુખ, જીવ, પુણ્ય તેય નહિ ઇષ્ટ. ૫૮
હે જીવ, પોતાના આત્મસ્વભાવરૂપ સમ્યગ્દર્શનની સન્મુખ થઈને જો મરણ થાય તોપણ ઉત્તમ છે, પણ હૈ જીવ પોતાના આત્મદર્શનથી વિમુખ થઈને જો તું પુણ્ય કરે છે તોપણ તે સારું નથી. પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપ નિર્દોષ ૫રમાત્માની અનુભૂતિની રુચિરૂપ સમ્યગ્દર્શનની સન્મુખ થઈ જો તારું મરણ થાય તો પણ સારું છે, પણ સમ્યગ્દર્શન વિનાનું પુણ્ય પણ જીવને હિતકારી નથી, સમ્યક્ત્વરહિત જીવો પુણ્યસહિત હોય તોપણ પાપ જીવ કહેવાય છે અને સમ્યગ્દષ્ટિ પૂર્વભવે ઉપાર્જન કરેલા પાપના ફળને ભોગવતા છતાં પુણ્ય જીવ કહેવાય છે. તેથી સમ્યક્ત્વસહિત મરણ પણ ઉત્તમ છે. જ્યારે સમ્યક્ત્વરહિત જીવોનું પુણ્ય પણ કલ્યાણકારી નથી, કારણ કે નિદાન બંધવાળા પુણ્યથી આ જીવ બીજા ભવમાં ભોગોને મેળવી તેમાં મોહ કરી પછી નરકે જાય છે. કહ્યું છે કેઃ
“ वरं नरकवासोऽपि सम्यक्त्वेन हि न तु सम्यक्त्वहीनस्य निवासो दिवि
संयुतः । राजते ।।
સમ્યગ્દર્શન સહિત નરકવાસ પણ ઉત્તમ છે. પણ તે વિનાનો દેવલોકનો નિવાસ પણ સુખકારી નથી અર્થાત્ શ્રેયરૂપ નથી. ૫૮
जेणिय-दंसण-अहिमुहा सोक्खु अणंतु लहंति ।
तिं विणु पुण्णु करंतां वि दुक्खु अणंतु सहंति ।। ५९ ।। ये निजदर्शनाभिमुखाः सौख्यमनन्तं लभन्ते। तेन विना पुण्यं कुर्वाणा अपि दुःखमनन्तं सहन्ते।। ५९।।
નિજ દર્શન સન્મુખ તે, લહતા સૌખ્ય અનંત; તે વિણ પુણ્ય કરે છતાં, સહતા દુ:ખ દુરંત. ૫૯
જેઓ નિજ શુદ્ધ આત્મ-દર્શનરૂપ સમ્યગ્દર્શનની સન્મુખ છે, તેઓ અનંત સુખ પામે છે, પણ તેથી બીજા જીવો પુણ્ય કરવા છતાં સમ્યગ્દર્શનરહિત હોવાના કારણે અનંત દુઃખ સહન કરે છે.
નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિરૂપ નિશ્ચય સમ્યક્ત્વની સન્મુખ થયેલા સત્પુરુષો ધર્મપુત્ર (યુધિષ્ઠિર ), ભીમ તથા અર્જુનની સમાન આ જ ભવમાં મોક્ષરૂપ અવિનાશી સુખને પામે છે તેમ જ કેટલાક નકુલ અને સહદેવની સમાન અમિંદ્ર-પદનાં સુખ પામે છે. પરંતુ જેઓ સમ્યગ્દર્શનથી રહિત છે તે મિથ્યાદષ્ટિ જીવો પુણ્ય પણ કરે છે છતાં તે મોક્ષના અધિકારી થતા નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com