________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ, આ આત્મા સર્વગત કહેવાય છે.
આ આત્મા વ્યવહારનયથી કેવલજ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે અને શરીરમાં રહેવા છતાં નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે. તેથી જ્ઞાનની અપેક્ષાએ આત્મા સર્વગત કહેવાય છે પણ પ્રદેશોની અપેક્ષાએ સર્વગત નથી, અર્થાત્ આત્માના પ્રદેશો લોકમાં સર્વત્ર વ્યાપક નથી. આત્મા સ્વશરીર-પ્રમાણ છે.
જેમ ચક્ષુ પદાર્થોને દેખે છે પણ તે પદાર્થોમાં તન્મય થતું નથી, તેમ જ જ્ઞાન પદાર્થોને જાણે છે પણ તન્મય ન થાય તથા જ્ઞાન આત્મ-પ્રદેશોને મૂકીને પદાર્થો પાસે જતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહે છે ને પદાર્થો પદાર્થોમાં રહે છે. જ્ઞાન તથા પદાર્થોમાં શેય-જ્ઞાયક સંબંધ છે તેથી જ્ઞાન સર્વ યોને જાણે છે, અત્રે કોઈ પ્રશ્ન કરે છે કે-જો વ્યવહારથી આત્મા લોકાલોકને જાણે છે, પણ નિશ્ચયથી નહિ, તો વ્યવહારથી સર્વજ્ઞપણું કહેવાય નિશ્ચયથી તો નહિ? તેનું સમાધાનઃ- જેમ આત્મા પોતાને તન્મયપણે (સ્વાનુભવથી) જાણે છે તેમ પદ્રવ્યને તન્મયપણે જાણતો નથી તે કારણથી વ્યવહાર છે, પરંતુ જ્ઞાનનો અભાવ નથી. જ્ઞાન તો સ્વ તથા પરને સમાન રીતે જાણે છે. જો નિશ્ચયથી સ્વદ્રવ્યની સમાન તન્મય થઈ ને પરદ્રવ્યને જાણે તો બીજાનાં સુખદુઃખ, રાગદ્વેષ આદિ જાણવાથી જાણનાર આત્માને રાગ-દ્વેષ, સુખદુઃખ આદિ પ્રાપ્ત થાય. એ મોટો દોષ આવે છે, માટે જ્ઞાનાપેક્ષાએ આત્મા સર્વગત છે. પર
આત્મા કઈ અપેક્ષાએ જડ કહેવાય છે?
जे णिय-बोह-परिट्ठियहँ जीवहँ तुट्टइ णाणु। इंदिय जणियउ जोइया तिं जिउ जडु वि वियाणु।।५३ ।। येन निजबोधप्रतिष्ठितानां जीवानां त्रट्यति ज्ञानम। इन्द्रिय-जनितं योगिन् तेन जीवं जडमपि विजानीहि।। ५३।। નિજ શાને સ્થિત જ્ઞાનીને, વિણસે ઇન્દ્રિયજ્ઞાન;
તેથી હે યોગિન, કહ્યો જીવને જડ પણ જાણ. ૫૩
આત્મજ્ઞાનમાં સ્થિર રહેલા જીવોનું ઇન્દ્રિયજ્ઞાન નષ્ટ થઈ જાય છે તે કારણથી હું યોગિ, જીવને જડ પણ જાણ.
વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહેલા છદ્મસ્થ મુનિઓને સ્વસંવેદન જ્ઞાન હોવા છતાં ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન હોતું નથી અને કેવલી ભગવાનને તો સર્વથા ઇન્દ્રિય-જ્ઞાન નથી. તેથી ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ હોવાની અપેક્ષાએ આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com