________________
( ૨૬ ) વ્યવસ્થાપક સમિતિએ નરોત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણૂક કરી છે અને બેંક ઓફ ઇંડિયામાં પૈસા રાખવાની બેઠવણ કરી છે. શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ, મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચંદ ચેકસી અને વાડીલાલ ચતુર્ભજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતું ખોલ્યું છે.
શ્રી કરવિજયજી લેખસંગ્રહનું પ્રેસકેપી અને સંશોધનનું કામ માસ્તર લક્ષમીચંદ સુખલાલ શાહ વેતન સહિત કરે છે.
સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજના જે લેખ “શ્રી જૈનધર્મપ્રકાશમાં, “શ્રી આત્માનંદપ્રકાશમાં, જૈન પત્રમાં અથવા બીજા પત્રમાં આવ્યા હોય તે સર્વને સંગ્રહ કરીને એક લેખસંગ્રહ બહાર પાડવે. તે પ્રમાણે ભાદરવા શુદિ ૧૦ મે પહેલો ભાગ બહાર પડી ગયે છે. તે પછી બીજો બાગ આ બહાર પડે છે. અને સમિતિએ ત્રીજો ભાગ બહાર પાડવાનો પણ નિર્ણય કર્યો છે.
સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી. રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મફત આપવી અને તેથી ઓછું ભરનારને અધ કિમતે એટલે પડતર કરતાં પા કિંમતે આપવી. સામાન્ય જૈન ભાઈ, જેણે કંઈ ભર્યું ન હોય, તેને અહીં કિંમતે આપવી. આ ઉપરથી જોઈ શકાશે કે આ સમિતિને ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્યમાં બની શક્તી રીતે વધારે કરવાનો છે.
આ લેખસંગ્રહના ભાગો મેઘજી હીરજી બુકસેલર, પાયધુની, મુંબઈને ત્યાંથી તથા શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર અને શ્રી આત્માનંદ સભા, ભાવનગર પાસેથી મળી શકશે.
જે મુનિરાજે, સાધ્વીજીઓ તથા જૈન સંસ્થાઓને આ