________________
શ્રી કપ્રવિજયજી સ્મારક સમિતિ
સ્
સન્મિત્ર, સગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેએ સ. ૧૯૯૩ ના આસા વિદ ૮ મે દેહમુક્ત થયા તેમની પહેલા વર્ષ ની પુણ્યતિથિ ઉજવવાને મુંબઇમાં શ્રી જૈન બાળ મિત્રમ ડલ તથા ખંભાત વીશા પારવાડ જૈન યુવક મડળના આશ્રય નીચે ગોડીજીના ઉપાશ્રયમાં અનુયાગાચાર્ય પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણા નીચે એક સભા સ. ૧૯૯૪ ના આસે વિઠે ૮ ના રાજ મળી હતી. તે વખતે શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરી તરી એમનુ નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયેા કે ‘ એ પુણ્યપુરુષનું નામ કાઇ સંગીન યેાજના કરીને ચિરસ્થાયી કરવું. ’ પછી શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરીએ એને માટે જો કુંડ થાય તા રૂા. ૧૦૧) ભરવા ઇચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજય કરવિજયજીના ગુણેાથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પન્યાસજી પ્રીતિવિજયજીએ ટેકે આપ્યા . અને પેાતાથી મની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચ દ ચેાકસી, રાજપાળ મગનલાલ વહેારા, નરાત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયેાચિત ભાષણા કર્યો; તેથી પન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પોતાથી બની શકે તે રીતે શ્રાવકા પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમે। ભરાઇ.
સમિતિનું કામ નાણા ભરનારા સભ્યાની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થા છે.
૧ મેાતીચંદ ગિરધરલાલ કાપડી. ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. ૫ હીરાભાઇ રામચંદ મલબારી. ૩ મેાહનલાલદીપચંદ્ન ચાકસી. ૬ નરાત્તમદાસ ભગવાનદાસ શાહુ
૭ રાજપાળ મગનલાલ વહેારા