________________
( ૨૩ )
શકયા નહેાતા, પરંતુ તેમનેા કાળધમ થવાથી મને એક પરમપ્રિય પરમેપકારી ધ દાતાને અભાવ થતાં જેટલી દિલગીરી થવી જોઇએ તેટલી દિલગીરી થઇ હતી.
એમની વૃત્તિ સામાજિક સુધારા કરવાની પણ હતી, કારણ કે એએ માનતા હતા કે અજ્ઞાનજન્ય ફટીએ-મિથ્યાત્વી જતેાના પરિચયાદિકથી જૈનવર્ગીમાં એટલી બધી પેસી ગઇ છે કે બનતા પ્રયાસે જો તેનું નિવારણ કરવામાં આવશે તેા જ જૈનબંધુએ સમ્યક્ત્વવાસિત રહી શકશે, નહીં તે એÙવત્તે અંશે મિથ્યાત્વની વાસના વધતી જશે. આ સબંધમાં તેમણે કેટલાક લેખો પણ લખ્યા છે તે આ ભાગમાં પ્રસિદ્ધ થયેલા છે.
સગુણાનુરાગીની ગુરુભક્તિ પણ બહુ સુંદર હતી. તેમણે ગુરુમહારાજની અને પન્યાસજી ગંભીરવિજયજી મહારાજની એવી સારી ભક્તિ કરી છે કે તેમણે મેળવેલું જ્ઞાન જે સચ્ચારિત્રરૂપે પરિણામ પામ્યું છે તે ગુરુભક્તિને જ પ્રભાવ છે એમ હું માનુ છું. ગુરુભક્તિ એ અપૂર્વ રસાયણ છે.
ઉપદેશરોલી પણ એમની રાચક હતી. તે મિષ્ટ શબ્દોમાં એવી રીતે ઉપદેશ આપતા હતા કે વ્યક્તિપરત્વે જે પ્રકારના ત્યાગ કરાવવાની તેમને જરૂર લાગતી તે જરૂર કરાવી શકતા હતા. મારાથી થયેલ યત્કિંચિત્ પોગલિક વસ્તુને ત્યાગ પણ એમણે વચનદ્વારા અને મૂકપણે આપેલા ઉપદેશનું જ પરિણામ છે એમ હું માનુ છુ.
સદાચરણ એ એવી વસ્તુ છે કે તે ફોટોગ્રાફની જેમ તેની અન્ય ચેાગ્ય વ્યક્તિ પર આબાદ છાપ પાડે છે. અયેાગ્યને બાદ કરવાનું કારણ એ જ છે કે તેમને શબ્દદ્રારા આપેલા ઉપદેશ પણ સફળ થતા નથી.
જેમણે જે સ્વાદ લીધા હોય-“જેનુ ફળ મેળવ્યુ હાય તે તેના વારંવાર વખાણ કરે તેમ એ મહાત્મા બ્રહ્મચર્યંની વારંવાર પુષ્ટિ કરતા હતા અને સન્માર્ગીમાં આગળ વધવા ઇચ્છનારે જરૂર એ માર્ગને અનુસરવુ