________________
( ૨૧ ) પ્રારંભમાં આપેલ સૂક્તમુતાવળી એક ગ્રંથ સમાન છે. તે વિષયમાં આવું વિસ્તૃત વિવેચન લેખકમહાશયે જ લખ્યું છે. વાંચવાથી આહલાદ થવા સાથે આત્માને અસર કરે તેવો ઉલ્લેખ છે. આ ગ્રંથ તેની અંતર્ગત દર્શાવાયેલી કથાઓ સાથે પણ છપાયેલું છે.
પ્રસ્તુત લેખસંગ્રહના લેખવિધાતા માટે જે લખવું ઘટે તે આ સાથે આપેલા ભાઈબી ચાકીએ લખેલા મહારાજશ્રીના ટૂંકા જીવનચરિત્રમાં લખ્યું છે, જેથી તેમને માટે વધારે લખવા જેવું રહ્યું નથી, છતાં એ મહાપુના સંસારીપણાથી હું સંબંધમાં આવેલ હોવાથી એમના સંબંધમાં મને કેટલેક અનુભવ થયેલા હોવાથી તેને અંગે કાંઈક લખ્યા વગર રહી શકું નહિ. સંસારીપણુમાં જ એમની ચારિત્ર ગ્રહણ કરવાની આકાંક્ષા એટલી બળવાન હતી કે તેના પ્રવાહને કોઈ રોકી શકે તેમ નહોતું. શાંતમૂત્તિ, વપરહિતપરાયણ, કાર્યદક્ષ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના અમે શ્રાવકપણમાં પણ યથાયોગ્ય ભક્તિ કરવાની જિજ્ઞાસાવા' હતા તેથી સુસ્થિત રાજાની સુદષ્ટિ થવાથી ધર્મબંધકર મંત્રીએ ભવ્ય પુને જેમ ત્રણ ઔષધે તેના રોગનિવારણ માટે આવ્યા તેમ ચારિત્રધર્મ રાજાના સેવક ગુરુમહારાજની તેમના પર સુદષ્ટિ થવાથી અમે એ સંસારી બંધુ કંવરજી નામધારકને ચારિત્ર સંપાદન કરવા માટે યથાશક્તિ સહાય કરી હતી અને તેમના પિતાશ્રી વિગેરે કુટુંબીએને અનુકૂળ કરવામાં બનતે પ્રયાસ કર્યો હતો.
ચારિત્ર ગ્રહણ કર્યા પછી તેઓ ગુરુમહારાજની યથાયોગ્ય સેવાભક્તિ કર્યા કરતા હતા. પછી જ્ઞાનાભ્યાસ કરીને જ્યારે તેમની વૃત્તિ પ્રાપ્ત થયેલા જ્ઞાનના નિઝરણારૂપે લેખ લખીને પરોપકાર કરવાની થઈ ત્યારે હું શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને એક કાર્યવાહક હોવાથી તે મહાત્માના લેખોને શ્રી જૈન ધર્મ પ્રકાશમાં દાખલ કરવાની શરૂઆત કરી દીધી. જે કે પ્રથમ શ્રી મેસાણામાં શ્રી જૈન શ્રેયસ્કર મંડળના કાર્યવાહક પરમ શ્રાવક વર્ણચંદભાઈએ તેમના લેખને જેન હિતબેધ