________________
( ૧૨ ) અને જેનહિતોપદેશ ભાગ ૧-૨ માં સ્થાન આપીને બુકરૂપે બહાર પાડવાનું કાર્ય કર્યું હતું.
લેખો લખતાં લખતાં તેમની ઈચ્છા નાના નાના ટ્રેકટ બહાર પાડવાની થતાં અમે તે વિચારને ઉત્તેજન આપ્યું એટલે તેને પરિણામે શ્રી બુદ્ધિવૃદ્ધિ-કપૂર ગ્રંથમાળાના મણકા બહાર પડવાની શરૂઆત શ્રી જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા જ કરવામાં આવી. એ માળાનાં કુલ ૩૪ મણકાઓ. બહાર પડ્યા છે. તેનું લિસ્ટ સુભાષિત રત્નખંડ નામના છેલા મણકામાં આપેલું છે. એ મણકાઓમાં કેટલાક મણકાઓ તે ખાસ એમના પિતાના સ્વતંત્ર લખેલા જ છે; કેટલાક ભાષાંતરરૂપે તેમને જ લખેલા છે અને કેટલાક તેમના જ કરેલા સંગ્રહરૂપે છે. બાકી કેટલાક મણકા અન્ય લેખકના છે. આ મણકાઓ વાંચતા એટલે આનંદ થાય તેમ છે કે તે અહીં શબ્દદ્વારા વર્ણવી શકાય તેમ નથી તેથી તે મેળવે, વાંચે ને વિચાર એટલી ભલામણ કરીને જ વિરમવું યોગ્ય લાગે છે. એમાંથી અત્યારે માત્ર ૧૧ મણકાઓ જ મળી શકે છે, તે શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી માત્ર પોસ્ટેજના નવ આના મોકલવાથી ભેટ મળી શકે છે. થોડા વખત પછી તેટલા મણકા પણ મળવા સંભવ નથી.
આ મહાપુરુષનો અંગત પરિચય તેમણે ચારિત્ર ગ્રહણ કર્યા પછી જ્યારે જ્યારે ભાવનગર પધારતા ત્યારે ત્યારે થયો છે, તેમ જ શ્રી પાલીતાણાનાં છેવટના નિવાસ વખતે જ્યારે જ્યારે મારે યાત્રાનિમિત્તે ત્યાં જવું થતું ત્યારે ત્યારે થયેલ છે. તે વખતે અનેક પ્રકારની ધર્મચર્ચાઓ થતી, જેમાં મુખ્ય સાધ્યબિંદુ તે “આત્મા કેમ ઊંચે આવે ? તેની વિચારણાનું જ રહેતું. હું કલાક, બે કલાક કે ત્રણ ત્રણ કલાક પણ તેમની પાસે બેસી એમના પરિચયને લાભ લેતા.
આવા ત્યાગી, વૈરાગી, ચારિત્રના ખપી, આત્મનિંદા ને ગુણીની પ્રશંસા કરનારા, સદ્દગુણના પરમરાગી મુનિઓની સંખ્યા અત્યારે બહુ અપ જોવામાં આવે છે. એમનો કાળધર્મ થયો ત્યારે હું કમભાગ્યે તેમની સમીપે જદ