________________
( ૨૪ ) એવી ખાસ ભલામણ કરતા હતા. બ્રહ્મચર્ય એ આત્માનો અપૂર્વ ગુણ છે. દરેક આગળ વધેલા આત્માઓએ એનું પાલન કરેલું હોય છે અને તેને પરિણામે તેઓ અતિ મહત્ત્વના કાર્યો કરી શક્યાં છે.
પહેલા ભાગમાં આવેલા ઉદ્દઘાતમાં ને આમુખમાં કેટલીક એમના લેઓ વિગેરેને અંગે ખાસ વિવેચના કરવામાં આવી છે તે વાંચવાની જ ભલામણ કરવી યોગ્ય લાગે છે. તેનું અહીં પુનરાવર્તન કરવામાં આવતું નથી.
આ વિભાગની ને પ્રથમ વિભાગની અનુક્રમણિકા વાંચવાથી તેમના મગજનું સમતોલપણું અને તેમાં વાસ કરી રહેલા આત્મબોધનું વિશા
પણું જણાઈ આવે તેમ છે. જુદા જુદા પ્રસંગે લખાયેલા છતાં બનતા સુધી તેમણે પોતાનાં લેખોમાં પુનતિ દોષ આવવા દીધા નથી.
હજુ તેમના લેખે એટલા બાકીમાં છે કે તેને માટે બીજી બે ભાગ તો જરૂર કરવા પડશે. પ્રશમરતિ પ્રકરણને અંગે તેમણે ઘણું લખ્યું છે. એ ગ્રંથ એમને બહુ જ પ્રિય હતા, કારણ કે તેમાં શાંતરસ ઠાંસી-ઠાંસીને ભર્યો છે. તેથી વારંવાર તેમાં આવેલ હકીકત બોધરૂપે કહેતા હતા.
આટલું જણાવી આ ટૂંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. એમના ગુણાનુવાદને અંગે જેટલું લખીએ તેટલું ઘેટું છે. અત્યતં વિસ્તરણું.
કાર્તિક કૃષ્ણ પંચમી છે.
સં. ૧૯૯૬ |
કુંવરજી આણંદજી
ભાવનગર