________________
चतुर्वर्गेऽग्रणिमोक्षो, योगस्तस्य च कारणम् જ્ઞાનશ્રદ્ધાને ચારિત્ર રુપે રત્નત્રયં ચ : ૨.૫Tી યોગશાસ્ત્ર
અર્થ : ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર વર્ગોમાં મોક્ષ તે જ ઉત્તમ છે. એ મોક્ષનું કારણ યોગ છે. તે યોગ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રય છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પ્રકારના પુરુષાર્થ આપ્ત પુરુષોએ કહ્યા છે. ચાર પુરુષાર્થમાં સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ, પ્રધાન પુરુષાર્થ મોક્ષ છે. કારણ કે મોક્ષ પુરુષાર્થથી સંસારી આત્મા મુક્તિ પ્રાપ્ત કરે છે. અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. મોક્ષનું અનન્ય સાધન યોગ છે. આ યોગ રત્નત્રયી સ્વરૂપ છે. સમ્યમ્ દર્શન, સમ્યમ્ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્ર એ રત્નત્રય છે. તત્ત્વરુચિરૂપ સમ્યમ્ દર્શન, તત્ત્વાવબોધરૂપ સમ્યગૂ જ્ઞાન અને તત્ત્વપરિણતિરૂપ સમ્ય ચારિત્ર એ મોક્ષમાર્ગ છે.
સંદર્ભસૂચિ 1. જૈન યોગ - યુવાચાર્ય મહાપ્રજ્ઞ 2. સંગ્રહણીરત્ન (બૃહત્ સંગ્રહણી)માં પૃષ્ઠ ૬૭૦ પર યોગનો અર્થ જુદા
જુદા ગ્રંથો પ્રમાણે આપ્યો છે. (૧) યોગ એટલે વ્યાપાર-કર્મ-ક્રિયા (૨) યોગ એટલે અપ્રાપ્ત ઇષ્ટ વસ્તુનો લાભ (ભ. ગીતા, અધ્યાય ૨ શ્લોક ૪૫ યોગક્ષેમ) (૩) યોગ એટલે કર્મની અંદર કૌશલ (ભ.ગીતા, અધ્યાય, ૨ શ્લોક ૫૦) (૪) યોગ એટલે મન, વચન, કાય યોગ્ય પ્રવર્તક દ્રવ્યો (૫) યોગ એટલે મન, વચન, કાયાનું પરિસ્પંદન કરાવનાર (૬) યોગ એટલે વીર્ય, ઉત્સાહ, સામર્થ્ય પરાક્રમાદિ (૭) યોગ એટલે આત્માનો અધ્યાયવિશેષ (૮) યોગ એટલે મોક્ષની સાથે સંબંધ બંધાવી આપનારા (૯) યોગ એટલે ચિત્તવૃત્તિનિરોધ (યોગસૂત્ર ) (૧૦) યોગ એટલે માનસિક સ્થિરતા (૧૧) યોગ એટલે મોક્ષપ્રાપ્યક વ્યાપાર
(યોગવિંશિકા ૧લો શ્લોક) 3 સમાપત્તિ એટલે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકરૂપતા. ધ્યાતા - ધ્યાનનો
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)