________________
અવતારી પુરુષ) તો શરીરધારી હોવા છતાં પણ જગતનું અહર્નિશ કલ્યાણ અને ઉપકાર કરતા રહે છે, આથી એક રીતે તો સમાજશ્નણ, માનવજાતિના ત્રાતા, તરણતારણહાર હોવાને કારણે તેમને જગતના ત્રણ કે નિમિત્તકર્તા માનવામાં કોઈને કંઈ વાંધો નથી, કારણ કે તે ધર્મમય સંઘ(સમાજ)ની રચના સ્થાપના કરે છે. આથી કહ્યું છે – “થતિસ્થ નિને ધર્મમય તીર્થ(સંઘ)ની સ્થાપના કરવાવાળા જિન”.
સામાન્ય માણસ વિપત્તિ કે આફતના સમયે ગભરાઈ જાય છે. ક્યારેક એવા સમયે તેને સાંસારિક વ્યક્તિઓની કોઈ સહાય મળતી નથી. એ સમયે તે વ્યક્તિ કોની પાસેથી પૈર્ય, આશ્વાસન કે આલંબન મેળવે ? એથી ભગવાનને પ્રાર્થના કરે છે – “ભગવાન, મારી રક્ષા કરો. હું ડૂબી રહ્યો છું. આપત્તિમાં આવી પડ્યો છું. મને ઉગારો વગેરે.
ઈશ્વરની સાચી પ્રાર્થના
આવી પ્રાર્થના કરનાર પરમાત્માને જ તારક અને ઉદ્ધારક માને છે, પરંતુ જે ઈશ્વરને આવા નથી માનતા તેઓ વિપત્તિના સમયે શું કરશે ? વિપત્તિના સમયે સામાન્ય માણસ બાળક જેવો બનીને ભગવાનની પાસે રક્ષા અને બળની પ્રાર્થના કરે છે, પરંતુ તે માટે પોતાની પાસે જે બળ અને સામર્થ્ય છે તેનો ઉપયોગ ન કરે તો તે તેનું ઘોર અજ્ઞાન છે. ભગવાન બળ કે સામર્થ્ય આપતા નથી, પરંતુ નિર્બળ વ્યક્તિ પહેલાં પોતાનું પૂરતું બળ લગાવ્યા પછી જુએ છે કે, મારું બળ હવે આગળ કામ નથી આપતું ત્યારે ભગવાન પાસે ખૂટતું બળ આપવા કે રક્ષણ કરવાની પ્રાર્થના કરે છે. આમ કરવું એ કંઈ ખરાબ નથી, પરંતુ એ ધ્યાનમાં રાખવાનું કે એક બાજુ ભગવાનની આજ્ઞાઓ, આદેશો અને નિર્દેશોને ઠુકરાવતા જઈએ, પાપકર્મ કરતા જઈએ, જગત સાથે ખરાબ વ્યવહાર કરતા જઈએ અને બીજી બાજુ આપત્તિ આવવાથી, તે દુષ્કર્મો માટે પશ્ચાત્તાપ પણ કર્યા વિના અને તેને ત્યાગવાનો સંકલ્પ કર્યા વગર જ ભગવાન પાસે બચાવવાની કે ઉગારવાની પ્રાર્થના કરવામાં આવે તો તે અજ્ઞાનતા છે. આ સાચી પ્રાર્થના ન ગણાય. તે ઈશ્વરની વિડંબના કરવા સમાન હશે. આ કારણથી જ્ઞાની અને ધર્માત્મા પુરુષ આવી આપત્તિના સમયે ભગવાનને દોષ આપતા નથી કે ભગવાનને (રક્ષણ
રત્નત્રયીનાં અજવાળાં
૧૦