________________
લલિત વિરાણી (ભાવ થઈ
એમ એમ એમ એમ (A-૨ ૭ ) ભક્તિ, સેવા-ઉપાસના ખૂબ જ ઉપકારક છે. દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય ને સમાધિમરણ તથા બોધિલાભને સાક્ષાત્ તથા પરંપરાએ તે આપે છે.
જૈન શાસનની લોકોત્તરતા તથા સર્વશ્રેષ્ઠતા તે જ કારણે છે કે, શ્રી અરિહંત પરમાત્મા જેવા વીતરાગ સર્વજ્ઞ ભગવંત તેના પ્રર્વતક છે; શ્રી અરિહંતદેવનું વ્યક્તિત્વ વિશ્વમંગલકર છે ને ત્રણલોકના સમગ્ર ભવ્ય જીવો માટે કલ્યાણકર છે. તેઓના ઉપકારની અવધિ નથી. અનંત ઉપકારી દેવાધિદેવની ભક્તિ એ જ સમસ્ત સંસારમાં શ્રેષ્ઠતમ કલ્યાણનું સાધન છે. તે પરમાત્માના શાસનનો માટે જ મહાઉપકાર છે, કારણ કે, શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા માર્ગનું સમ્યગૂ રીતે વહન કરવા માટેનો મૂલ રાજમાર્ગ તે છે.
પૂ. પાદ આચાર્યભગવંત શ્રી હરિભદ્રસૂરિશ્વરજી જૈન શાસનની પિછાન પામ્યા પછી પોતાની જાતને કૃતકૃત્યને માનતાં, તેને ઓળખાવનારા જૈનશાસનના પ્રાણસમાં જૈન આગમોની ઉપકારિતાને બિરદાવતા ને તેની પ્રાપ્તિથી પોતાની જાતને ધન્ય માનતા પોતાના હૃદયની ઉર્મિઓને ઠાલવતાં જણાવે છે કે,
કલ્થ અસ્વારિસા જીવા, દુસમાદોસ દૂસિઆ, હા હા અહાહા કહે હુતા, જઈ ણ હુંતો જિણાગમો જો તીર્થંકર ભગવંત પ્રરૂપિત જૈન સિદ્ધાંત-જૈન આગમોની પ્રાપ્તિ અમને ન થઈ હોત તો વીતરાગ ભગવંતનું ધર્મશાસન મને ન મળ્યું હોત તો ખરેખર આ વિષમકાળના-દુષમકાળના દોષથી દૂષિત અને અનાથ એવા અમારા જેવાનું શું થાત ?
જૈન શાસન પ્રત્યે પૂ. સૂરિભગવંતની કેટકેટલી ભક્તિને કેટકેટલું હૃદયગત બહુમાન ! આ કારણે જ તે મહાપુરૂષ શ્રી અરિહંત ભગવંતની વંદનાના સૂત્રોનું તેમની ભાવપૂજાના, સ્તવના, અર્ચનાના વિધિ સૂત્રોનું રહસ્યોદ્ઘાટન કરવાના પૂર્ણપણે અધિકારી છે. ચૈત્યવંદન સૂત્રો, શક્રસ્તવ, શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ તથા ચૈત્યસ્તવ પરની આ લલિતવિસ્તરી વૃત્તિ આ કારણે જ મહત્વની ને અનેકવિધ વૈશિયુક્ત છે. તેઓશ્રીમની વાણી ઘણી ગંભીર છે. શબ્દોની સંકલના ભાવવાહીછે ને શૈલી ચમત્કારી છે. આવા મહાઉપકારી સૂરિભગવંતની આ વૃત્તિ ગ્રંથની અનન્ય ઉપકારકતાને પૂ. આચાર્યભગવંતને પૂ. સિદ્ધર્ષિગણિવર જેવા મહાન ને સમર્થ પ્રભાવક પુરૂષ વાસ્તવિક રીતે પીછાણી શક્યા હતા. માટે જ તેમણે પૂ. આચાર્યભગવંતને પોતાની ભાવભરી અંજલિ અર્પતા જે હૃદયોદ્ગાર પ્રગટ કરેલ છે તે યથાર્થ છે. તેઓ કહે છે કે
विषं विनिर्धूय कुवासनामयं, व्यचीचरयः कृपया मदाशये । अचिन्त्य वीर्येण सुवासना सुधां, नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥
માવાઈ દરિદ્રો એ ઘર્મવો વકરો ગુ. મારા હૃદયમાં રહેલ કુવાસનામય મિથ્યામત રૂપ ઝેરને ટાળીને જેમણે પોતાના અચિંત્ય સામર્થ્યથી કૃપાપૂર્વક મારા હૃદયમાં સમ્યગ્દર્મની શ્રદ્ધારૂપ અમૃતનું સિંચન કર્યું તે પરમ કૃપાલુ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને મારા કોટિ કોટિ વંદન હો ! ખરેખર તેઓશ્રી મારા પર પરમ ઉપકારને કરનારાને મને સમ્યગૂ ધર્મરત્નનું પ્રદાન કરનારા મારા પરમ હિતવત્સલ કૃપાસાગર ગુરૂદેવ છે.
સરસ
આરતી બાદ