________________
હ.
માટીનો પર્યાય છે, ઘડે ભાંગી જાય છે તેના કટકા થઈ જાય તે કટકા પર્યાય છે. આમ પર્યાયની અપેક્ષાએ વસ્તુ માત્રમાં ફેરફાર થયા કરે છે.
હવે સમજાશે કે દ્રવ્યમાં નિત્યધર્મ અને અનિત્યધર્મ રહેલા છે, તેમાં નિત્યધર્મ એટલે ગુણ અને અનિત્યધર્મ તે
ર્યાય. આવા ગુણ અને પર્યાયથી યુક્ત હોય તેને “દ્રવ્ય કહેવાય છે.
૩ દરેક દ્રવ્યમાં દરેક ક્ષણે નવા પર્યાની ઉત્પત્તિ થાય છે અને જુના પર્યાને નાશ થાય છે. છતાં વસ્તુરૂપે તે દ્રવ્ય તેવું ને તેવું જ સ્થિર-નિત્ય યા ધ્રુવ રહે છે. એક મનુષ્ય
જ્યારે બાળક મટી યુવાન થાય છે, ત્યારે બાળપણાના પર્યાયે નાશ પામ્યા અને યુવાનીના પર્યાયની ઉત્પત્તિ થઈ. પરંતુ મનુષ્ય તરીકે તે તેને તે જ રહ્યો. વળી એક મનુષ્ય મરણ પામી દેવ થયે ત્યારે મનુષ્ય પર્યાયનો નાશ થયેલ અને દેવ પર્યાયની ઉત્પત્તિ થઈ. છતાં તે બનને સ્થિતિમાં આત્મા તે તે જ નિત્ય રહ્યા. આ ઉપરથી એમ પણ કહી શકાય કે ઉત્પત્તિ, વ્યય યા નાશ, અને નિત્યતા–ધ્રુવતા-ધ્રૌવ્ય એ ત્રણથી યુક્ત તે દ્રવ્ય કહેવાય છે
ઉપર વિચાર્યું તેમ દ્રવ્યનાં ત્રણ લક્ષણ થયાં. (૧) ચું સંરક્ષ. જેનું લક્ષણ સત્ છે તે દ્રવ્ય છે. (૨) ગુખ પચ યુક્ત ચં. જે ગુણ અને પર્યાયથી યુક્ત છે, તે દ્રવ્ય છે. (૩) રપચ ઍૌએ યુવતંગ્યું. ઉત્પત્તિ, નાશ અને નિત્યતાથી જે યુક્ત છે, તે દ્રવ્ય.