________________
૧૯
જતઓ વગેરેમાંથી સૂક્ષ્મ અણુઓ વહે છે. એક માઈલ દૂર હોવા છતાં સિંહનું નાક, ઘેડા-હાથી અને માણસને જાણ શકે છે. પ્રાણીઓના શરીર તથા પદાર્થમાંથી નીકળતું આ દ્રવ્ય તેની જાતી પ્રમાણે વિવિધ ગુણધર્મવાળું હોય છે. કપુરમાંથી નીકળતું દ્રવ્ય આપણા મનને પ્રસન્નતા ઉપજાવે છે. કેટલાક વૃક્ષમાંથી (જેમ કે લીમડ) વહેતા દ્રવ્યના સત્ત્વના ગુણથી માણસનું આરોગ્ય વધે છે. અને કેટલાક વૃક્ષેથી (જેમ કે આમલી) વહેતા દ્રવ્યથી માણસનું આરોગ્ય કથળી જાય છે. એક માંદા માણસને લીંબડાના ઝાડ નીચે સુવા બેસવાનું રાખેલ, તે માણસ થેડા જ મહિનામાં નિરોગી થઈ ગયે. અને એક તંદુરસ્ત માણસને આમલીના ઝાડ નીચે સુવા બેસવાનું રાખ્યું ત્યારે તે થોડા જ મહિનામાં બિમાર થઈ ગયે. તે પ્રમાણે મનુષ્યના શરીરમાંથી વહેતા દ્રવ્યના ગુણ તે મનુષ્યના સ્વભાવ પ્રમાણે જુદા જુદા હોય છે. તમોગુણવાળા મનુષ્યના શરીરમાંથી વહેતા આ સૂક્ષમ દ્રવ્યને ગુણ, તમસને ઉત્પન્ન કરે છે. રજોગુણવાળા મનુષ્યના શરીરમાંથી વહેતા દ્રવ્યને ગુણ, રજસ ઉત્પન્ન કરે છે. અને સત્વગુણવાળા મનુષ્યના શરીરમાંથી વહેતા દ્રવ્યને ગુણ, સર્વ ઉત્પન્ન કરે છે. તેથી જ સતસંગને મહિમા ગવાયે છે.
પ્રસિદ્ધ વિચારક શ્રી ગણેશદત્ત ગીડના કથન પ્રમાણે દરેક માનવીના શરીરમાંથી છૂટતી આભા તેજને અનેક રંગ–ઉપરંગી હોય છે. પરોપકારી માનવીના દેહમાંથી વહેતી પ્રભા ઉજળી હોય છે. ઈર્ષાળુ અર્થાત દ્વેષીલા સ્વભાવીની પ્રભાને રંગ મેઘ જે શ્યામ હોય છે. ક્રોધી