________________
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
-
ધિક પ્રમાણમાં પણ જોવામાં આવે છે. એકના એક જીવમાં પણું એકથી અન્ય સમયમાં આ લાગણીઓનું યુનાધિકપણું હોય છે. એક સમયે અનુભવેલી તે લાગણીઓનું અન્ય સમયે સમરણ પણ થયા કરે છે. આવી લાગણીઓ-પદાર્થ સ્વરૂપનો ખ્યાલ–અને ભૂતપૂર્વ લાગણીઓનું સ્મરણ જીવને અનુભવવામાં જીવને ચૈતન્ય ગુણ અર્થાત્ જ્ઞાનગુણુ છે. જ્યાં જ્ઞાનગુણ થા ચૈતન્ય ગુણ છે ત્યાં જ આ બધા અનુભવ છે. જ્ઞાનગુણના અભાવે જડપદાર્થમાં તેવી લાગણીઓને અનુભવ હોઈ શકતો નથી. આ જ્ઞાનગુણ એ જીવમાં જ હિય. જીવ સિવાય જ્ઞાનગુણ હોય જ નહીં, અને જ્ઞાનગુણ વિનાને જીવ પણ ન હોય. ગુણ અને ગુણને અભેદ સંબંધ હોય છે. -
જીવે ધારણ કરેલ શરીરના કેઈ અવયવને એ જ્ઞાનગુણ હોઈ શકતું નથી. શરીરમાંથી જીવ ચાલ્યા ગયા પછી, શરીર તેના સંપૂર્ણ અવય સહિત પડ્યું હોય છે. પરંતુ તેમાં ઉપરોક્ત લાગણીઓ પ્રગટાવનાર ચૈતન્યપણું હતું નથી. એટલે માનવું જ પડે છે કે ચૈતન્ય એ શરીરને નહીં પરંતુ જીવને જ ગુણ છે. કેટલાક માણસો ઉપરોક્ત લાગણુંએને સમજવાનું વિચારવાનું, યાદ રાખવાનું, આગળ પાછળની વાતોની મેળવણું કરવાનું, અમુકવાતને જીવનમાં અમલ કરવાનું, ત્યાગ કરવાનું એ વીગેરેને નિર્ણય કરનાર તે જીવનું મગજ છે એમ માને છે. પરંતુ આ માન્યતાઓ ભૂલ ભલી છે. કારણકે હજારે, કે લાખ વર્ષનાં મડદાને પણ મગજ હોય છે. તાત્કાલિક મૃત્યુ પામેલ એક સારા વિદ્વાન બુદ્ધિશાળી મનુષ્યના મૃતદેહમાં પણ મગજતે વિદ્યમાન