________________
આત્માની સ્વભાવ દશા - તાત્પર્ય એ છે કે સ્વરૂપનું દાન, સ્વરૂપને લાભ, સ્વગુણને ભેગ, સ્વપર્યાયોને ઉપલેગ, સ્વ સર્વ પરિણતિ સહકાર શક્તિરૂપ વીર્ય, એ પ્રમાણે પાંચે લબ્ધિઓ આત્મામાં હેય છે.
આ આત્મિક અનન્ત ગુણોનું અસ્તિત્વ, કેવળજ્ઞાની પુરુષોને જ અનુભવજન્ય છે. છટ્વસ્થ યા અસર્વજ્ઞ જીવને તે તે આપ્ત પુરૂના વચન વિશ્વાસે અને અનુમાન પ્રમાણ દ્વારા જ માન્ય થાય છે. જગતની સર્વ વસ્તુના અસ્તિત્વની સિદ્ધિ કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી જ સિદ્ધિ થઈ શકતી નથી. તેની સાબિતિમાં પ્રત્યક્ષ પ્રમાણ ઉપરાંત પક્ષ પ્રમાણ પણ હોઈ શકે છે. જગતમાં પ્રત્યક્ષ પ્રમાણથી જ સર્વવસ્તુની સાબિતિ થતી હોત તે ઈન્દ્રિયાતીત અનેક પદાર્થો અંગે જે વિચાર ભિન્નતા પ્રવર્તે છે, તે પ્રવત શત નહીં.
- આત્માના અનંત ચતુષ્ક ગુણોને સ્વીકાર, છસ્થ છે માટે આપ્ત પુના વચન વિશ્વાસ ઉપરાંત અબાધિત અનુમાન પ્રમાણથી પણું કેવી રીતે થઈ શકે તે વિચારીએ.’
આ જગતમાં જીવ અને અજીવ અથવા ચેતન અને જડ આ બે પદાર્થોનું જ અસ્તિત્વ છે. જે લાગણી યુક્ત અને સુખ–દુઃખના અનુભવ યુક્ત પદાર્થ છે તે પદાર્થને જીવ કહેવાય છે. લાગણુ રહિત સર્વ પદાર્થો જડ છે. , આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, સુખ, દુઃખ વગેરે શુભ–અશુભ, શુદ્ધ-અશુદ્ધ - લાગણુઓ તથા પદાર્થ સ્વરૂપને ખ્યાલ, જગતના પ્રાણિમાત્રમાં ન્યુના