________________
४
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આ મંગળ કરું છું. આહાહા ! આનંદ સ્વરૂપ આત્મા છે, એ એની લક્ષ્મી છે એનું ધન એને ભોગવવું છે. પોતાની સંપદા છે, આનંદ અતીન્દ્રિય જ્ઞાન એ નિજ સંપદા નિજ ધન, નિજ લક્ષ્મી એને ભોગવવા માટે અનુભવવા માટે, આ વાણી મેં કરી છે, આહા! બીજો કોઈ હેતુ છે નહીં. આહા ! જેમાંથી અતીન્દ્રિય આનંદનો, અતીન્દ્રિય આનંદરૂપી ધનનો પર્યાયમાં ભોગ થાય, અનુભવ થાય એ હેતુ, શાસ્ત્ર અર્થ કરવાનો હેતુ એ છે. આહા ! આહા !
શ્રોતા - અર્થ કરવો એ તો પરલક્ષીભાવ છે.
ગુરુદેવઃ- પરલક્ષી એ તો ભાષા છે, પણ મારું લક્ષ તો અહીંયાં છે. મારી ધનરૂપી સંપદા એના અનુભવ માટે મારી વાત છે. એમ અમૃતચંદ્રાચાર્યે કહ્યું ને (કે) ટીકા કરતાં મારી અશુદ્ધતા ટળી જજો, અને શુદ્ધતા પ્રગટ થજો. એ અહીં શુદ્ધતા એટલે મંગળિક અનુભવ થતો એમ કહે છે. આહાહા !
આત્માનું ધન, ધર્મરૂપી ધન, આત્માનો સ્વભાવ અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય ચૈતન્યના રત્નોથી ભરેલો ભગવાન એવું જે મારું ધર્મરૂપી ધન, એ મારું ધર્મરૂપી ધન, તેનો અનુભવ તેનો ભોગ- અનુભવ માટે આ હું અર્થ કરીશ કહે છે.
નય નય સાર લહે શુભવાર,” પણ એ શબ્દ શબ્દ નયે નયે, સાર નીકળશે, ચાહે તો નિશ્ચયનયનું કથન હો કે ચાહે તો વ્યવહાર(નય)નું કથન હો. પણ નય નય સાર લહે શુભવાર અને સારા કાળમાં, શુભવારમાં, આજ તો આપણે બીજ ને બુધવારે શરૂઆત છે. જેઠ સુદ બીજ ને બુધવાર છે ને આજે? બીજને બુધવાર છે. “નય નય સાર” નયે નયે શબ્દ શબ્દ, નયના વાક્ય સાર શું છે તે તેનો કાળ તેનો સમય નીકળશે સાર. “પદ પદ માર” અને પદે પદે માર લહે– સંસારના મળને નાશ કરી નાખે એવા પદો છે આ બધા. આહાહા ! પદ પદ દહે માર-પદે પદે, ડગલે ડગલે પગલે પગલે, પર્યાયે પર્યાયે એમ કહે છે આત્મા આનંદ અનુભવો માટે આ છે. એ અનુભવની પર્યાયે પર્યાયે, માર દહે. જનમ મરણને નાશ કરે. પદે પદે પર્યાયે પર્યાયે જનમ મરણનો નાશ. દુઃખના કરનારા ( એવા) જનમ મરણ એનો નાશ કરે છે. આહાહા!
લય લય પાર રહે ભવધાર” અને એ આનંદસ્વરૂપમાં જેટલી લયતા થાય લીનતા, કરવાનું તો એ દ્રવ્યનો આશ્રય, લાખ વાતની વાત હોય છે. શાસ્ત્ર કે બાર અંગ, બાર અંગમાં પણ અનુભૂતિનું કથન છે, આવે છે ને કળશમાં. ભલે બાર અંગ છે એ વિકલ્પ છે પણ એમાં અનુભૂતિ, આત્મા શાંત અને આનંદ સ્વરૂપ એની અનુભૂતિ કરવાનું વિધાન છે. એમાં એમ નથી કહયું કે પુણ્ય કરવાનું ને વ્યવહાર કરવાનું વિધાન છે. એ રીતે “લય લય પાર રહે ભવધાર” ભવનું ધારણ (એ) સ્વરૂપના લય લયમાં પાર કરી નાખે (છે). ભવના ધારણનું પાર કરી નાખે, લય કરતાં. આહાહા! અંતર્મુખ દેષ્ટિ કરતાં લય લય પાર, લય લય પાર ગ્રહેશેનો ? ભવધાર. ભવનું ધરવું તેનો નાશ કરે છે.) આહાહા ! જય જય-બબ્બે શબ્દ છે ઈ. નય નય, પદ પદ, લય લય, જય જય જય જય સમયસાર અવિકાર જય હો જય હો શુદ્ધાત્મા, અવિકાર છે ને? સમયસાર અવિકારી, શુદ્ધાત્મા તેનો જય હો, જય હો. આહા! અસ્તિથી મંગળિક કર્યું.
શબ્દ અર્થ ને જ્ઞાન-સમયત્રય આગમ ગાયા, શબ્દને પણ સમય કહીએ, અર્થને પદાર્થને સમય કહીએ જ્ઞાનનેય સમય કહીએ સમયત્રય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com