________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નામાદિક ષ ગ્રંથમુખ, તેમાં મંગળ સાર; વિદ્યુહરણ, નાસ્તિકરણ, શિષ્ટાચાર ઉચ્ચાર. ૫ સમયસાર જિનરાજ છે, સ્યાદ્વાદ જિનવેણ;
મુદ્રા જિન નિર્ચથતા, નમું કરે સહુ ચેન. ૬ આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યક્ત ગાથાબદ્ધ સમયપ્રાભૂત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખીએ છીએ.
પ્રથમ, સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્ય ગ્રંથના આદિમાં (પહેલા શ્લોક દ્વારા) મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે છે:
શ્લોકાર્થ:-[ નમ: સમયસTRI]“સમય” અર્થાત્ જીવ નામનો પદાર્થ, તેમાં સારજે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારો નમસ્કાર હો. તે કેવો છે? [ ભાવાય] શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. વળી તે કેવો છે? [ સ્વિમાવાય] જેનો સ્વભાવ ચેતનાગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. વળી તે કેવો છે?[ સ્વાનુભૂલ્યા વસતે] પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે-પ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેટવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમ જ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું-એવું માનનાર નૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. વળી તે કેવો છે?[ સમાવાત્તર9િ] પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. આ વિશેષણથી, સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસક આદિનું નિરાકરણ થયું. આ પ્રકારનાં વિશેષણો (ગુણો)થી શુદ્ધ આત્માને જ ઇષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યો છે.
ભાવાર્થ- અહીં મંગળ અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? તેનું સમાધાન- વાસ્તવિકપણે ઇષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ છે તેથી આ અધ્યાત્મગ્રંથમાં સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ, સમયસારનાં વિશેષણો વર્ણવીને, કર્યું. વળી અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે તેમાં ઈષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. પછી ભલે તે ઇષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમપુરુષ, નિરાબાધ,સિદ્ધ, સત્યાત્મા,ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અહંતુ,જિન, આપ્ત, ભગવાન, સમયસાર ઇત્યાદિ હજારો નામોથી કહો; તે સર્વ નામો કથંચિત સત્યાર્થ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com