________________
અરિહંત ચેઈયાણં સૂત્ર મને કાયોત્સર્ગથી જ કેવી રીતે થાય એ પ્રકારના અર્થે હું કાઉસ્સગ્ન કરું છું, એ પ્રકારે સર્વત્ર= વંદન સિવાયના પૂજન આદિ સર્વમાં, ભાવના કરવી જોઈએ અને પૂજન પ્રત્યય પૂજન નિમિત, પૂજન ગંધમાલ્યાદિથી સમ્યમ્ અભ્યર્થન છે અને સત્કારપ્રત્યય સત્કાર નિમિતે, શ્રેષ્ઠ વસ્ત્ર આભરણ આદિથી અભ્યર્ચન સત્કાર છે. પંજિકા - 'कृताकारस्येति विहितकायोत्सर्गार्हशरीरसंस्थानस्य उच्चरितकायोत्सर्गापवादसूत्रस्य वेति। 'तत्फले 'त्यादि, तत्फलं-तस्य वन्दनस्य फलं कर्मक्षयादि, मे मम, कथं नाम केन प्रकारेण कायोत्सर्गस्यैवावस्थाविशेषलक्षणेन, कायोत्सर्गादेव, न त्वन्यतोऽपि व्यापारात्, तदानीं तस्यैव भावात्, स्याद्-भूयाद्, इति अनया आशंसया, अतोऽर्थम् वन्दनार्थमिति। પંજિકાર્ય -
તારતિ » વનનાર્થમિતિ વૃત્તાવિરતિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – કરાયેલા કાયાના ઉત્સર્ગને યોગ્ય શરીરના સંસ્થાનવાળા પુરુષનો, શરીરનો પરિત્યાગ કાયોત્સર્ગ છે એમ અવય છે અથવા ઉચ્ચારિત કાયોત્સર્ગના અપવાદ સૂત્રવાળા=ઉચ્ચારણ કર્યું છે અન્નત્ય સૂત્ર જેણે એવા પુરુષનો, કાયાનો પરિત્યાગ કાયોત્સર્ગ છે એમ અવથ છે.
તત્તેહિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – તેનું ફળ તે વંદનનું કર્મક્ષય આદિ ફળ અર્થાત્ કર્મક્ષય અને ગાદિ પદથી પ્રાપ્ત નિર્મળ પરિણતિ એ રૂપ ફલ, મને કેવી રીતે કાયોત્સર્ગના જ અવસ્થાવિશેષરૂપ કેવા પ્રકારથી? કાયોત્સર્ગથી જ થાય, પરંતુ અન્ય પણ વ્યાપારથી નહિ; કેમ કે ત્યારે=સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરાય છે ત્યારે, તેનો જ=કાયોત્સર્ગનો જ, સદ્ભાવ છે, એ=આ આશંસાથી આ અર્થે=વંદન માટે, હું કાઉસ્સગ્ન કરું છું એમ અવય છે. ભાવાર્થ :
અરિહંત ચેઇયાણં સૂત્રનો અર્થ કરતાં ‘વંદન, પૂજન, સત્કાર માટે હું કાઉસ્સગ્ન કરું છું એટલા અંશનું સ્પષ્ટીકરણ લલિતવિસ્તરામાં પ્રસ્તુત કથનથી કરે છે, ત્યાં અરિહંત કોણ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
અશોકવૃક્ષ આદિ આઠ મહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાને યોગ્ય જે હોય તે અરિહંત તીર્થંકરો છે, તેથી ઉપસ્થિત થાય કે જગતમાં સર્વ શ્રેષ્ઠ એવા દેવતાઓથી મહાસમૃદ્ધિપૂર્વક જે પૂજાય છે તે તીર્થકરો છે, માટે સર્વ કલ્યાણના એક કારણ છે; કેમ કે કલ્યાણના અર્થી એવા બુદ્ધિના નિધાન દેવો પણ તીર્થંકરની પૂજા કરીને પોતાનું કલ્યાણ થાય છે તેમ જાણીને જ અષ્ટ મહાપ્રાતિહાર્યથી તેમની પૂજા કરે છે અને તેઓનાં ચૈિત્યો પ્રતિમા છે. ચૈત્ય પ્રતિમા કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
સંસારી જીવોનું જે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્ત છે તેનો ભાવ અથવા તેની ક્રિયા તેને કરવા માટે ચૈત્ય સમર્થ છે અર્થાત્ યોગ્ય જીવો જિનની પ્રતિમાનું આલંબન લઈને જિનના પારમાર્થિક સ્વરૂપને સ્મૃતિપટમાં