________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ પાંચમું મધ્યકાલીન હિંદુ સમય
ગુજરાતનું બંદર વલભીને સમય
વ લભીના સમયમાં ખંભાતનું નામ આવતું નથી, પણ એ સ્થળે નગરક મહાસ્થાન હતું એ - જોઈ ગયા. ખંભાતની પૂર્વે આવેલ ભાગ વલભીને તાબે હતો. એટલે એ સમયમાં ખંભાતની ભૂમિ ઉપર વલભીપુરના રાજાઓની સત્તા હતી. વલભીના સમયથી ખંભાતનો ઇતિહાસ પરાણિક અંધકારમાંથી નીકળે છે અને મધ્યકાલીન હિંદુ સમય શરૂ થાય છે. વલભી રાજ્યના નાશ પછી સોલંકી રાજ્ય આવતાં સુધી ગુજરાતમાં એક મોટી સત્તા રહેતી નથી. ઠેરઠેર નાનાં રાજ્યમાં દેશ વહેંચાઈ ગયેલ હતા. એ ગાળામાં ગુજરાતના ઈતિહાસમાં ગુજરાતના રાજા ગણાતા ચાવડાએની સત્તા ફક્ત ઉત્તર ગુજરાતમાં જ હતી. દસમી સદીમાં આરબ મુસાફરેનું વર્ણન
એ અરસામાં ખંભાતના નામને પહેલો ઐતિહાસિક ઉલ્લેખ નજરે પડે છે. દસમી સદીની શરૂઆતમાં આરબ મુસાફરો ખંભાતને સારા બંદર તરીકે વર્ણવે છે. એટલે તે અગાઉ એ બંદરને આબાદ થતાં ઘણે વખત લાગ્યો હશે એ નિર્વિવાદ છે. આરબ મુસાફરે કહે છે કે એ વખતે ખંભાત ઉપર માનકીરના બલહાર રાજાઓને અમલ હતા અને રાજા તરફથી એક બ્રાહ્મણ વહીવટ કરતે. યુક્રેટીસ, તીગ્રીસ અને નાઇલ કરતાં પણ પહોળા અખાત ઉપર આઘે ખંભાત વસેલું હતું. એ અખાતમાં ભરતીનું જોર એટલું હતું કે ઓટ વખતે જમીન દેખાતી, અને પડેલી નહેરમાં પણ પાણી ઓછું રહેતું. અખાતને બંને કિનારે લીલાં ખેતરો, બગીચા, શહેર, ગામડાં, તાડ વગેરેનાં ઝાડ વગેરેથી બધું ભરેલું દેખાતું, અને મોર પોપટ વગેરે પક્ષીઓ એની રમણીયતામાં ઉમેરે કરતાં. ખંભાતના જોડા વખણતા; અને અમલદારો મુસલમાનો તથા બીજા પરદેશીઓ સાથે સારી રીતે વર્તતા.૪
૧ વલભીને તાબે હાલના ખેડા જીલ્લાનો ભાગ હશે એમ જણાય છે. ભરૂચમાં એ વખતે ગૂર્જર રાજ્ય હતું અને ઉત્તર ગુજરાત તથા કાઠિયાવાડને કેટલેક ભાગ બીજાને તાબે હતું. આ ઉપરથી ખંભાતને મુલક વલભીમાં હતું એ ચેકસ થઈ શકે. જીએ ઍમ્બે ગેઝે. ૧- ભાગ ૧-પૃ. ૮૨. ૨ ચાવડાઓનું રાજ્ય વહીઆરની બહાર ભાગ્યે જ વધ્યું છે. એમનું ગૃજરાતના રાજા તરીકેનું મહત્વ પાટણ વસાવ્યું તેથી વધ્યું. પાટણના રાજા તરીકે સેલંકીઓ જ ગૂજરાતના ખરા રાજાઓ હતા. ૩ અલ માસુદી બેંમ્બે ગેઝે. ૧-ભા.૧-પૃ. ૫૧૪. એ મુસાફર ખંભાત હી.સ. ૩૦૩, ઈ.સ. ૯૧૩-૧૪માં આવેલો. ૪ એ જ. પૃ. ૫૧૪. જુઓ અલ ઈરતખરીનું વર્ણન. Illiot . P. 27 k 30. એમાં કામહાલથી ખંભાત ચાર દિવસને કરો કહે છે અને ખંભાતથી સુરાબારા (પારા ?) ચાર દિવસને રસ્તો કહે છે. ગેઝેટીઅરને લેખક કામહાલને અણહિલ્લવાડ
For Private and Personal Use Only