Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza

View full book text
Previous | Next

Page 232
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ પરિશિષ્ટ આ નીકળી કુશ્ચેત્રમાં થઈને પુષ્કર-અજમેર પાસે થઇ વહેતી હોય એ માનવા જેવું છે. ત્યાંથી અર્જુદારણ્યમાં થઈને સરસ્વતી દક્ષિણ તરફ જતી હતી. સરસ્વતીને દક્ષિણનો પ્રવાહ અવૃંદારણ્ય છેડીને ગુજરાતની હદમાં પેઠા પછી સરસ્વતીના પ્રવાહ નક્કી કરવાનું કામ બહુ ગુંચવણભરેલું છે. પુરાણકાર પ્રભાસ અને પુષ્કરની વચ્ચે જે જે તીર્થાં ગણાવે છે તેના પત્તો લાગવા મુશ્કેલ છે. સરસ્વતીના માહાત્મ્યમાં અંબાજી આગળથી નીકળી સિધ્ધપુર પાટણ આગળ થઈને વહેતી નદીને સરસ્વતી નદી કહી એનાં તીર્થો લખ્યાં છે. આ નદી પ્રાચીન સરસ્વતી હાય એમ તેા મનાય જ નહિ. પરંતુ એટલા પ્રદેશમાં પ્રાચીન સરસ્વતીના પ્રવાહ કોઈ સ્થળે હશે એમાં શંકા નથી. માહાત્મ્યમાં એ સરસ્વતી ઝીલાણ તીર્થંક આગળ સમુદ્રને દેખીને ત્યાં ન મળતાં દક્ષિણ તરફ ગયાનું લખે છે, જ્યારે ઉપરોક્ત પ્રવાહ કચ્છના રણના સમુદ્રને મળે છે. ઝીલાણથી પ્રભાસ સુધી બહુ થોડાં તીર્થં ગણાવ્યાં છે, અને એમના સ્થળનિર્ણય થઈ શકતા નથી. મહાભારતમાં ખલદેવ તીર્થયાત્રામાં પ્રભાસથી કુક્ષેત્ર સુધીનાં તીર્થોં ગણાવ્યાં છે તે અને પૌરાણિક તીર્થાંમાં પણ ફેર છે, અને મહાભારતનાં તીર્થાંના પણ પત્તો લાગતા નથી.૪૦ ખંભાતના અખાત એ સરસ્વતીનું સુખ આ બધી ગુંચવણના નીકાલ સરસ્વતી અર્બુદારણ્યમાંથી સહેજ પશ્ચિમ તરફ વળી પાલણપુર--રાધનપુરના પ્રદેશમાં કચ્છના રણના સમુદ્રની સહેજ પાસે જઈ તેમાં ન પડતાં દક્ષિણ તરફ વળી નળઠંડા અને ખંભાતના રણને રસ્તે વહી ખંભાતના અખાતરૂપે કાઠીઆવાડના દક્ષિણ કિનારાની હદ સુધી જઈ ત્યાં સમુદ્રને મળે છે એમ માનીએ તેા થઇ શકે છે. એમ માનવા માટે જે જે પ્રમાણ હાય તે હવે તેઈએ. સિંધુ અને સરસ્વતીનાં મુખ સરસ્વતી સિંધુને મળતી નહોતી પણ સ્વતંત્ર કચ્છના રણના સમુદ્રને મળતી હતી એટલે સુધી તેા વિદ્વાનો માન્ય રાખે છે. પરંતુ તે સાથે સિંધુ કચ્છના રણના ઉપલા ભાગમાં મળતી અને લૂણી એ સિંધુનું પૂર્વ તરફનું ૩૯ ઝીલતીર્થ પ્રભાસખંડ કે મહાભારતમાં નથી પણ માહાત્મ્યમાં છે અને અને ઘણા ઝીંઝુવાડા ધારે છે. પરંતુ કચ્છના રણને મળતી સરરવતી આજે પણ ઝીંઝુવાડા આગળ નથી આવતી. માહાત્મ્યના લેખક નદીને ઝીલાણ તીર્થંથી સમુદ્ર દેખાવા છતાં ત્યાં વડવાનલને ન મૂકતાં દક્ષિણમાં લઇ જાય છે. એટલે આ તીર્થ રાધનપુર રાજ્યમાં આવેલું ઝીલવાણ ગામ બંધ બેસે છે. ઝીંઝુવાડા પાસે ઝિલ્લાણંદ કુંડને ઝાલાતીર્થં માનવામાં ભાગેલિક વાંધા પણ છે. વિશ્વામિત્રે સરસ્વતી ઉપર આવેલા શંગ તીર્થમાં તપ કર્યું એમ ઉલ્લેખ છે તે તીર્થ ‘સાગરાપે’ સાગરની પાસે નીચી જમીનમાં એમ પણ ઉલ્લેખ છે. પાŠટર (પૃ. ૨૬) એને અર્થ એમ કરે છે કે એની નજીક સરરવતી સમુદ્રને મળતી હશે અને તે કચ્છના રણના કે રજપુતાનાના સમુદ્ર, પરંતુ પાર્ટ્રેટરના આ લખાણને આધાર નથી. સરસ્વતી એ જ સમુદ્રને મળી એમ કાઈ જગ્યાએ લખ્યું નથી. જયારે માહાત્મ્યમાં ઝીલાણ તીર્થ પાસે સમુદ્ર દેખાતા હતા પણ સરવતી યાં મળતી નહોતી તે લખાણ ખરૂં છે.રીંગ તીર્થં એટલામાં હશે. માહાત્મ્યમાં તે આપેલું નથી. અમીચકુમાર ચક્રવર્તી ઇન્ડીયન હીરટારિકલ ક્વાર્ટરલી. (૭-૨-૩૫૪)માં લખે છે કે વિનશન નામજ બતાવે છે કે તે પહેલાં સરવતી આગળ વહેતી અને રજપુતાનાવાળા સમુદ્ર (પા ટર કહે છે તે) હતા નહિ. ૪૦ ખરી રીતે પુષ્કરથી પ્રભાસની વચ્ચેનાં તીર્થાંમાં બહુ ગોટાળા છે. દરેક ગ્રંથ જુદાંજુદાંતીર્થ આપે છે. સરરવતી માહાત્મ્ય પણ અર્બુદારણ્યથી કચ્છના રણ સુધી બહુ તી ગણાવી પછી ટુંકાવી નાખે છે. ખરી રીતે કુરુક્ષેત્ર છેડયા પછી સરસ્વતીના ટુકડા થયા છે એટલે પરંપરાએ ચાદરાખ્યાં એટલાં જાનાં અને બીજાં નવાં તીથ થયાં, અને તે ગમે તેમ સમયને અનુસરીને ગેાઠવાયાં. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329