________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ ૩ છે તેમાં સાગરસંવતખંડ-કુમારિકાખંડ એ ભારત વર્ષના નવ ખડેમાંને મુખ્ય અને વર્ણાશ્રમ ધર્મના લોકથી વસાએલો છે. એટલે હાલને ભરતખંડ એમ વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે. ખંભાતના પ્રદેશનું નામ કુમારિકા ક્ષેત્ર એમ એક પુરાણું કહે છે. એ સ્થળ ભરતખંડની મધ્યમાં નથી પણ પશ્ચિમને ખૂણે છે. છતાં ખંડનું નામ ના રૂપે એણે ધારણ કરી ભરતખંડમાં મુખ્ય હોય એમ દેખાવ કર્યો છે. એ જ ભારતવર્ષના નવ ખંડમાંના બીજા બે ખંડ ગભક્તિમત અને નાગદ્વીપ જે એની પશ્ચિમ અને નૈત્યમાં આવેલા છે તે નામ સસપાતાલના બે ભાગ તરીકે પણ પુરાણેએ ગણેલા છે; અને એની દિશા ઉપરથી કુમારિકાક્ષેત્રની નજીકમાં એ દ્વીપ આવે છે. તે કઈ શંકા કરે કે ભારતવર્ષીય ભરતખંડના મુખ્ય ભાગ જેવું કુમારિકા ક્ષેત્ર તે તેની સીમાની પાર આવેલા અન્ય દ્વીપોમાં શી રીતે ગણ્ય અને પાતાલમાં પણ શી રીતે ગણાય. એમ ગણીએ તો પુરાણુને પોતે લખેલી ભૂગોળ સાથે વિરોધ આવે.
સમયના મોટા અને લાંબા વિસ્તાર ઉપર છૂટી ફેલાએલી પરંપરાઓને ભેગી કરી ગોઠવનાર પુરાણકારને આ બાબતમાં દેષ કાઢવો ઠીક નથી. જે કીપોને ભારતવર્ષના અન્ય લીપ ગણી મુખ્ય ભરતખંડથી જુદા પાડીએ છીએ તેમાંના કેટલાક આજે ભરતખંડના પોતાના જ ભાગ બની ગયા છે. દ્વીપ એટલે પણ બે બાજુએ પાણ-ચાર બાજુએ નહિ એ આગળ જોયું છે. ગાંધાર અને બ્રહ્મદેશ આદિ દ્વીપમાં જ
દે નામે ગણાતા તે જુદે જુદે સમયે ભરતખંડથી જુદા પડી ગયા અને ભારતવર્ષની પોતાની પૌરાણિક મર્યાદા લુપ્ત થઈ. મધ્ય દેશમાં બેસી પૌરાણિક ભૂગોળ લખનાર આ બધી મર્યાદાઓમાં અને ઝાંખી થએલી પરંપરાઓને ગોઠવવામાં ખલન કરે તે સ્વાભાવિક છે. કુમારિકા ક્ષેત્ર ભરતખંડ-કુમારિકા ખંડની મધ્યમાં નથી, પશ્ચિમ ખૂણે છે છતાં તેને ખંડનું નામ આપી અગત્ય બતાવી છે તે સિદ્ધ કરે છે કે એ અગત્ય ખેડની મધ્યસ્થતાની નથી પણ વર્ષની મધ્યસ્થતાની અને એક વખતે ખંડના અને વર્ષના મુખ્ય વેપારના કેન્દ્ર તરીકેની છે. જેમ પાછળથી ગુજરાત અને હિદને ખંભાતને નામે ઓળખતા તેમ. એટલે એ વાત તે લાક્ષણિક જ ગણવાની. પરંતુ ગભસ્તિમત અને નાપદ્વીપ ભારતવર્ષના જ દ્વીપ છે અને પાતાલના પણ ભાગ છે તે બાબતની અને તેમના સ્થળની ચર્ચા આગળ કરી તે જોતાં ભરતખંડની પશ્ચિમ છેડે આવેલું ખંભાત-કુમારિકા ક્ષેત્ર આ દ્વીપોની તદ્દન પાસે ઠરે. વચ્ચે થઈ વહેતી સરસ્વતી નદી જ ભારતવર્ષના બે દ્વીપોને જુદા પાડતી હોય એમ ગાંધાર બ્રહ્મદેશ વગેરે ઉપરથી આપણા પશ્ચિમ કિનારાના પ્રદેશને માટે કહી શકાય. એટલે પાતાલ ક૯પનામય થઈ ગયું અને તેના ભાગ દ્વીપો તરીકે વહેંચાઈ ગયા તે લાંબા સમયના ગાળામાં મર્યાદાની ચોક્કસતા પાછળથી ભૂળ લખનાર જાળવી શકે નહિ. પુરાણોમાં એક બીજા સાથે જ આવા વિરોધો આવે છે અને અનેક દેશોની મર્યાદાઓનાં ઠેકાણાં રહેલાં નથી. આપણા લાટ દેશની મર્યાદા જ કેટલી વિશાળ થઈ કેટલી સંકોચાઈ છે તે ઉપરથી આ વાત સમજાય. એટલે ખંભાતક્ષેત્રનું નામ કુમારિકા ક્ષેત્ર હોવા છતાં પણ તે છેડા ઉપર હોવાથી ઘણું પ્રાચીન સમયમાં તેની મર્યાદા અત્યન્ત સાનિધ્યના કપમાં ગણાય અને દૂર રહી પાછળથી ભૂળ લખનાર ગોટાળા ઉત્પન્ન કરે તેવું લખે તેમાં નવાઈ નથી. ભારતની ભૂગોળમાં આવા નાના ગોટાળા અને પાછળથી ક૯૫નામય થઈ
ભૂમિના પડમાં ગએલું આખું યે પાતાલ આ વાતને ટેકો આપે છે. ઉપસંહાર
આ લેખમાં ઘણી બાબતોની ચર્ચા થઈ છે. એ બધી ચર્ચા અને નીચેની ટિપ્પણીઓમાં કરેલી ચર્ચા અને ખાસ કરીને ટિપ્પણ ૮૨ માં કરેલી આક્રિલિંગ સ્તંભ, હાટકેશ્વર, પ્રભાસક્ષેત્ર, ગુપ્તક્ષેત્ર ઈન્દ્રઘુમ્નની વાત વગેરેની ચર્ચા, અને આગળનાં કુંભ અને લિંગપૂજા, અસુરે, અને સરસ્વતીને પ્રવાહ એ ત્રણ પરિશિષ્ટોમાં કરેલી ચર્ચાઓ એ બધું ધ્યાનમાં લેતાં જે જે ફલિત થાય છે તે ટૂંકામાં સ્પષ્ટ રીતે
For Private and Personal Use Only