Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza

View full book text
Previous | Next

Page 254
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ર્ ૨૦૪ સંબંધથી,૩૧ અને સિંધુ તથા સરસ્વતી જેવી મેાટી નદીએ કાશ્મીરથી સમુદ્ર સુધી જઈ શકાય૩૨ તેવી તેમની સત્તામાં હેાવાથી, તે માર્ગે સમુદ્રપર્યટન કરતા હેાવાથી એ નદીઓનાં મુખવાળા આખા પ્રદેશમાં એમની ખાસ વસ્તી હતી. પ્રેા. બેનરજી શાસ્રી વૈદિક આધારાથી સરસ્વતી નદી ઉપર અસુરોનાં કેન્દ્રો હતાં એમ કબૂલ કરવા છતાં મુખ્ય થાણું (base) સિંધુમુખમાં હતું એમ લખે છે. એમ ભૂલ થવાનું કારણ એ છે કે સરસ્વતીનું મુખ સિંધુથી જીત્યું હતું એમ એ સ્પષ્ટ રીતે માનતા નથી. ખરી રીતે એબન્ને નદીઓનાં મુખ જુદાં હતાં પણ બહુ છેટાં નહાતાં. એટલે એ બન્ને ઉપર અસુર કુળાનાં થાણાં હતાં.૩૩ અસુરી અને ગુજરાતને કિનારી આ બન્ને નદીના મુખપ્રદેશના જલથી આનત્ત દેશ ધેરાએલા હતા.૩૪ વૈશ્વિક અસુરાનાં પાંચકુલપંચજના:-માં યદું ઉર્વસુ, બ્રુહ્યુ, ભુખ્યુ, પૂરુ અને એમના સહાયક ભૃગુઓ હતા.૩૫ ભૃગુએનું સ્થળ પૌરાણિક પરંપરા પ્રમાણે નર્મદાના મુખ આગળ એ નામથી પ્રસિદ્ધ ભૃગુકચ્છમાં હતું. એમના મુખ્ય પુરુષ ચ્યવન ભૃગુને આનર્તેના શય્યા સાથે વ્હેવાઇના સંબંધ હતા.૩૬ એજ કુળના દધિચી અને એમના કુળના સારસ્વત અગર પિપ્પલાદનાં સ્થળેા પૌરાણિક પરંપરા પ્રમાણે સરસ્વતીતીરે અને કેટલેક મતે (મત્ર ૧૨), પાંચમા મંત્રમાં અસુરપુરી પશ્ચિમમાં હતી એમ લખે છે. વિમિયાપુર રાયથેમપાની ઈત્યાદિથી શરૂ થતા મંત્રમાં સાયણ અપાચી એટલે પશ્ચિમ તરફની અસુરપુરી એવા અ કરે છે, અને ગ્રીફીથ Western Castle અથ કરે છે. અર્બુદને Watery Demon કહ્યું છે. આ અર્બુદ ને અર્બુદ–આબુ સાથે સંબંધ હશે ?પુરાણામાં મનુષ્ય વ્યક્તિએનાં નામ ઉપરથી દેશેાનાં નામેા પડવાના દાખલા ધણા છે. જીએ બલિના છે.કરાએ અંગ, વંગ, કલિંગ, પું, સુમ્હ વગેરે છે.જે - દેશનાં નામ છે. ભારતના નવ ખંડનાં નામ પણ રાજપુત્રોનાં નામ છે, તે અર્બુદ અસુરના સ્થાન ઉપરથી અર્બુદ-આખુ નામ કેમ ન પડ્યુ હોય ? આ માટે જોકે સીધે! પુરાવા નથી, અર્બુદની પાસે થઇને વૈદિક સરરવતી આવતી હતી. એ પર્વતની બીજી બાજુ કચ્છના રણના પૂર્વાવતાર સમુદ્ર હતા એટલે બ્રહ્માવર્તમાં રહેનાર આર્ય ઋષિને અર્બુદાચલમાં રહેનાર અર્બુદ દૈત્ય Watery Demon રવાભાવિક રીતે લાગે. અપાનીના અથ પશ્ચિમ અને દક્ષિણ બન્ને થાય છે. અર્બુદને કાવેય નાગજાતિના કહ્યા છે. નાગાના જલ-વહાણવટા સાથેના સંબંધથી પણ અ Watery Demon કહેવાય. ૩૧ Asura in India: P. 20. જેમ સમુદ્રને નાગાનું રહેણ કહ્યા છે તેમ મહાભારતમાં અસુરાનું રહેડાણ કહ્યા છે. વળી સુરાળાં ૨ વાંધવમ્, અનુરાળાં સરળમૂ વગેરે સમુદ્રને કહેલું છે. ૩૨ સિંધુ, સરસ્વતી, કાશ્મીરથી સમુદ્ર સુધી જઈ શકાય તેવી હતી તે માટે આધારી સરરવતીના પ્રવાહના લેખમાં જુએ. ૩૩ આ બધી ચર્ચા પણ સરવતીના પ્રવાહના લેખમાં કરી છે. Imp. Gaz. I, ૩૦માં સરસ્વતીનું મુખ સિંધુ મુખ પાસે માનીને ત્યાં નાશ પામેલાં શહેરનાં ઘણાં ચિન્હા હતાં એમ લખે છે. ખરી રીતે એ પ્રાચીન સિંધુના મુખની વાત છે. ત્યાં સમૃદ્ધ શહેરા હતાં એટલી વાત નોંધવા જેવી છે. ૩૪ સિંધુ અને વિપાશાનાં મુખા કચ્છના રણના સમુદ્રમાં અને સરસ્વતીનું મુખ ખંભાતના અખાત રૂપે એટલે ગુજરાતને કેટલેાક ભાગ અને કાઠીઆવાડ એ જળથી ઘેરાએલા જેવા, આનર્ત્ત એ કાઠીઆવાડના પૂર્વ તરફના કેટલાક ભાગને પણ કહેતા તે જોઈશું. ૩૫ Asura in India P. 16, 17, 18, 41, 55. ૩૬ Pargiter: A. Ind. His. Tra. P. 265, 304, 194-97. દધિચીને ચ્યવનના પુત્ર કહ્યા છે. ‘Cyavana is always connected with the west of India, the country around the Gulf of Cambay, in or near Sharyati's territory Anarta. (P. 196) પછી ચ્યવને વૈસૂર્ય પર્વત ઉપર(પશ્ચિમવિધ્ય) તપ કર્યું એમ લખે છે. ખંભાતના ને વૈડર્યને સંબંધ જાણીતા છે તે પાછળ જોયું છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329