Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza

View full book text
Previous | Next

Page 244
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ પરિશિષ્ટ બ અને વૈદિક સમયના લોકોને સાગરનું ભાન નહોતું એમ માને છે તે પણ ખરું નથી. એ સમયના લોકોને સમુદ્રનું–સાગરનું સારું જ્ઞાન હતું અને સમુદ્ર શબ્દ કેટલીક જગ્યાએ સ્પષ્ટ સાગરના અર્થમાં વાપરેલા છે. સિંધુ અને સરસ્વતી નદી એમના પ્રવાહના નીચલા ભાગમાં ધણી પહેાળી સમુદ્ર જેવી વિશાળ થઈ ગઈ હતી તેથી જ એ બન્ને નંદીના નરન્તતિના શબ્દો સમુદ્રના પર્યાંય થઈ ગયા. જે નદીઓની વચ્ચે વહાણ ચાલે તેા કિનારા ન દેખાય એવી નદીઓને આજે પણ સાગર કહે છે અને પ્રાચીન કાળમાં સમુદ્ર કહેતા.૭૭ સિંધુ અને સરસ્વતીના નીચલા પ્રવાહ એવા હેાવાથી એમનાં નામ સમુદ્રના પર્યાંય થઈ ગયા. સરસ્વતીને નીચલા પ્રવાહ રજપુતાનાના દક્ષિણ ભાગથી ખંભાતના અખાતના મુખ સુધી એવા પહેાળેા હશે એમ માની શકાય. રાધનપુર ખાનું રણ, નળકંડા અને ખંભાતનું રણ અને ખંભાતના અખાત એટલું એ બાબતની સાક્ષી પુરી શકે છે. રાજપુતાનાનું રણ આ વિસ્તાર કરતાં મોટું છે કારણકે એમાંથી સરસ્વતીને પ્રવાહ ખસતા ખસા લુપ્ત થયા અને સિંધુના ખસીને દૂર ગયા એટલે એ બધા ભાગ રણ થઈ ગયા.૭૮ રાધનપુર વાળા રણથી ખંભાત સુધીમાં માત્ર એકલી સરસ્વતી જ લુપ્ત થઈ. નળકંઠા વાળા ભાગમાં સિંધુના પ્રદેશમાંથી નીકળે છે એવા મેાટા કાણાવાળા પથ્થર-જે પ્રાચીન કાળમાં વહાણને લંગર નાંખવા માટે વપરાય છે-નીકળે છે.૭૯ શ્રીયુત અમરનાથદાસે હિંદુસ્તાનની પ્રાચીન ભૂગાળના સ્થળનિર્ણયો કર્યાં છે. એ નિર્ણયા પ્રાચીન ભૂગોળના અભ્યાસીને એક નકામા છે. પરંતુ નદીઓનાં નામના ફેરફાર બાબતના નિર્ણય બાજુએ મૂકતાં તેમના પટના ફેરફાર માટેની કેટલીક ચર્ચાના ઘેાડા ભાગ કામના છે. એ લખે છે કે ખંભાતના અખાત હતેા નહિ અને તેને બદલે નર્મદા નદી હાલ અખાતને મળે છે તે ન મળતાં ઉત્તર તરફ વળી કચ્છના અખાતને મળતી.૮૦ કાઈ મેાટી ખંડસ્થ (continental) નદીની કલ્પના ભાવનગર નજીક એ કરે છે. પરંતુ નર્મદાને અમીયકુમાર ચેટરજીનો ‘વૈદિક સમુદ્ર’ ઉપરના લેખ. ૭૭ Cambridge His. of India. I. P. 8. ૭૮ સરસ્વતી અને સિંધુ સિવાય વિપાશા પણ સમુદ્રને સ્વતંત્ર મળતી તે પણ ત્યાંથી જ લુપ્ત થઈ એટલે એ બધેદ ભાગ મેલું રણ થયા, ત્યાં સમુદ્ર હતેા તે ખસીને રણ થયું એ માન્યતા ખરી નથી. શ્રીમાળ આગળ પણ સમુદ્ર નહિ પણ સમુદ્ર જેવા પ્રવાહવાળી નદી હોઇ શકે. ત્યાં સમુદ્ર શબ્દ દરિયાના અર્થમાં ન સમજવું. ૭૯ અમદાવાદ ગેઝટીઅર. આ વિશે આગળ લખી ગયા છીએ. ૮૦ India & Jambu Island: A. Das, P. 105, શ્રીયુત અમરનાથ દાસ પ્રસિદ્ધ એન્જીનીઅર છે, નદીએ સંબંધી એમના અભ્યાસ પ્રશસ્ત છે. પરંતુ પોરાણિક થળેાને ગમે ત્યાં ઢાકી બેસાડવામાં કાંઈનિયમ રાખેલેા નથી. ફૅક્ત નદીઓના પટના વિષય તેમના હાવાથી તે ઉપર ધ્યાન આપવા જેવું છે. બાકીના ભાગ ઢાલેમી ઉપર ખાટો આધાર રાખી બેસાડેલે છે. એ રીતે રા. દાસ રાસમાળામાં આપેલી ચમારડી ગામ (વળા) પાસે આવેલી. ભાવનગરની ખાડીને એક નદી સમજે છે. અને ત્યાંથી ઉત્તર તરફ જતા પટા કોઈ નદી સુકાઇ જવાથી થયા એમ માની ‘ભાવનગર નદી'નું નામ આપી નર્મદા નદી ટાલેમીના વખતમાં ખંભાતના અખાતને રસ્તે ઉત્તર તરફ વહી કચ્છના અખાતને મળતી એમ કહે છે. નદીના પટની તેમની આ માન્યતા તદ્ન ખરી છે, પર`તુ તે નર્મદાને બેસાડવામાં તેઓ ઊંધે રસ્તે જાય છે. નર્મદાને ઉપર ચઢાવવા માટે ભૂરતર કે બીજો એક આધાર નથી. સરસ્વતીને કચ્છના રણમાં મૂકે છે એટલે એ ખ્યાલ એમને આવતા નથી, પર ંતુ એ પટમાં કોઈ મેાટી ખંડસ્થ નદી એ માને છે. એ ‘એન્જીનીઅરિંગ’ને લગતી મુદ્દાની વાત ધ્યાનમાં રાખી એમના ઉતારો કરીએઃ— "From this we find that the Bhavnagar river, was the lower reaches of a big continental river, as it was the passage for the argosies from the sea into the country, and the description cannot apply to the present river, if it drained as now a small area of the For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329