________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના આવ્યા. એ વખતે મિરઝાં જાફરને કિંમતી પોશાક અને એક હાથણી ભેટ મળી. આ વખતે મિરઝાં જાફરના હાથમાં ખંભાત સ્વતંત્ર જેવું હતું એમ ગણાય.’ ભંડારી અને મેમીનખાન વચ્ચે અણબનાવ મહારાજા અભેસિંહે ગૂજરાતની સુબેદારી પોતાના પ્રતિનિધિ રતનસિંહ ભંડારીની મારફતે ચલાવી. ભંડારીને અને મોમીનખાનને બનાવી રહ્યો નહિ. ભંડારીને કારભાર પ્રજામાં પણ અપ્રિય થઈ પડ્યો હતો. મોમીનખાને ભંડારીના હુકમનો અનાદર કરવા માંડશે. વડોદરે જઈ મરાઠાઓને હાંકી કાઢવાનું કહેવામાં આવ્યું ત્યારે મામીનખાને એ શહેર મરાઠાઓના હાથમાં જવા દીધું. ઈ.સ. ૧૭૩૫માં સુબાને વહેમ પડ્યો કે મીનખાન વીરમગામનો કબજો અપાવવા માટે સોરાબખાનને મદદ કરે છે. એથી ભંડારીએ એને પકડવાનો નિશ્ચય કર્યો. ભંડારી અને મોમીનખાન વચ્ચે સંબંધ એટલો બગડી ગયો કે મોમીનખાનને પિતાને ભંડારી મારી નંખાવશે એવો વહેમ પડવાથી ખંભાત ચાલ્યા જવું પડયું. આ વખતે અમદાવાદના પ્રસિદ્ધ શેઠ ખુશાલચંદને ભંડારી સાથે અણબનાવ થવાથી તે પણ ખંભાત આવીને રહ્યા, અને ત્યાંથી જુનાગઢ ગયા.૧૧ ઈ.સ. ૧૭૩૪માં વડોદરા ઉપર પીલાજીના ભાઈ મહાદજી ગાયકવાડે ત્યાંના ફોજદાર શેરખાન બાબીની ગેરહાજરીમાં ચડાઈ કરી. એ વખતે શેરખાનને મદદ કરવા મામીનખાન ઉપર હુકમ આવ્યો. મામીનખાનના આવતા પહેલાં શેરખાનનું લશ્કર હાર્યું અને મોમીનખાનને લડવું ડહાપણભરેલું ન લાગવાથી તેણે ખંભાત પાછા જવાનું નક્કી કર્યું.૧૨ ભંડારી સાથેના અણબનાવમાં આ એક વધારે કારણ ઉમેરાયું. બીજે વર્ષે દામાજી ગાયકવાડના પ્રતિનિધિ રંગોળને કંતાજી જે ગુજરાતમાં હતો તેની સાથે લડાઈ થઈ. એમાં કંતાજી આણંદ પાસે માર્યો ગયો. મોમીનખાન રંગની સામે થવા પેટલાદ સુધી આવેલા તેમને ખંભાત પાછા જવું પડયું અને રંગોજી સાથે સલાહ થઈ તેમાં મહી નદીની ઉત્તરના પ્રદેશની ચોથ આપવાનું કબુલાયું.૧૩ એ પછી બીજે વર્ષે (ઈ.સ. ૧૭૨૬) રંગેજી ધોળકા વગેરે લૂંટી આગળ વધતો હતો તેને વિરમગામ પાસે ભંડારીએ હરાવ્યો અને ત્યાંથી એ પડવણજ તરફ નાઠો. આ વખતે રતનસિંહ ભંડારીએ મામીનખાનની મદદ માટે કહેવડાવ્યું, પણ તેણે વિલંબ કર્યો.૧૪ આ કારણોથી મોમીનખાનને ભંડારી
૭ અહમદી. ગુ. સા. (.મ.) અહમદીકાર સુરતની મુત્સદ્દીગીરી મળી એમ લખે છે. ગેઝેટીઅરને લેખક ખંભાત તેગ. બખ્તખાનને સોંપાયું એમ લખે છે. પણ અહમદી તેગબેગખાન લખે છે અને એ ખ લાગે છે. ૮ Bom. Gaz. VI P. 222. ૯ એ જ પૃ. ૨૨૩. 2. Bom. Gaz. VI P. 223 & Bom. Gaz. I. Part I P. 316 His. of Guj. 241 Hi igi24 H1214 ખાનને પકડવાને વિચાર કર્યો હતો એમ લખ્યું છે. ૧૧ મિરાતે અહમદી. ગુ. ભા. (ક.મ.) અને Bom.Gaz.I.I.P. 33. His. Guj. આ અમદાવાદના નગરશેઠ હતા, 12 Bom. Gaz. I. I. 315. ૧૩ એ જ પૃ. ૩૧૬. ૧૪ એ જ પૃ. ૩૧૭. Bom. Gaz. VI P. 223. મિરાતે અહમદી, ગુ. ભા. (. મો.) અહીં આ ત્રણે આધારગ્રં માં સહેજ કેર છે. ખંભાત આગળ લડાઈ થએલી અને મોમીનખાનને શહેરમાં ચાલ્યા જવું પડેલું તે ખરું જણાય છે.
For Private and Personal Use Only