________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
પરિશિષ્ટ પાછળની ચર્ચાને સાર
આ લાંબી ચર્ચા ઉપરથી એટલું ફલિત થાય છે કે પ્રાગૈતિહાસિક સમયમાં નાઈલથી નર્મદાના મુખ સુધીના પ્રદેશમાં ચાલતી કેટલીક પ્રજાઓમાં એક પ્રકારની એકતા હતી. બધા લોક તેવી એકસરખી પૂજા ન કરતા હોય છે તેવી પૂજા કરનાર જાતિઓ એ સમસ્ત પ્રદેશમાં વસતી હતી. આ પ્રદેશમાં આવેલા લોકો ભિન્નભિન્ન નામે અનેક દેવને પૂજતા અને એમાંના ઘણાનાં લક્ષણો એક હતા. આ બધા દેવ અને દેવીઓનાં પ્રતીક મોટે ભાગે પથ્થરના સ્તંભ અગર તંબાકાર ઝાડનાં થડ હતાં. આ રીતે સ્તંભ પૂજન પ્રાચીન કાળથી વ્યાપક બનેલું હતું. ખંભાકાર દેવનું મૂળ લિંગપૂજા (Phallus Worship)માં હતું. સ્વતંત્ર લિંગપૂજા પણ હતી અને પૌરાણિક શિવના પૂર્વાવતાર જેવા એક દેવની મૂર્તિ પણ પૂજાતી. આ લિંગપૂજા એ શિવના પૂર્વાવતાર દેવના લિંગ તરીકે કે સ્વતંત્ર લિંગપૂજારૂપે થતી એ નક્કી થવું મુશ્કેલ છે. પરંતુ મોહેન જે ડેરેમાંથી નીકળેલાં કુદરતી ઉપસ્થના આકારનાં લિંગ અને હિંદુસ્તાનમાં પાછળથી શિવલિંગના એક સભ્ય નિશ્ચિત આકાર થવા માંડ્યો તે પહેલાંનાં શિવલિંગ જોતાં ખાતરી થાય છે કે લિંગપૂજાન આર્યોએ સ્વીકાર કર્યો તે પહેલાં એનું મૂળ શિશ્નપૂજામાં હતું. ખંભની ભાવનાવાળી લિંબોદુભવ મૂર્તિ એ કુદરતી ઉપસ્થાકારના લિંગને ખંભાકાર બનાવી, અંદરથી શિવની મનુષ્યાકૃતિ મૂર્તિને ઉદ્ભવ કરે છે. ૨૭ લિંગપૂજાની ઉત્પત્તિનાં પૌરાણિક કારણોમાં મતભેદ હોવાથી અને વેદમાં સ્તંભને શિવપૂજા સાથે સ્પષ્ટ રીતે ન જોડવાથી લિંગપૂજા અને સ્તંભની ભાવનાનો સંબંધ સ્વતંત્ર સ્તંભ પૂજા અને શિશ્નપૂજા સાથે હાઈ પાછળથી શિવના લિંગ સાથે એ બધું જોડવામાં આવ્યું એમ સમજાય છે. સામાન્ય થાંભલાને હિંદની ભાષાઓમાં સંસ્કૃત સ્તંભ ઉપરથી કે બીજી રીતે ઉપજાવ્યા છતાં ખંભ–ખંભ એટલે ખુલો સ્વતંત્ર થાંભલે એ અર્થ હિંદની ભાષાઓએ જાળવી રાખ્યો છે અને ગૂજરાત અને દ્રાવિડ દેશની ભાષાઓએ એ અર્થ વધારે સ્પષ્ટ રીતે જાળવ્યો છે. આ વાત આ સ્વતંત્ર સ્તંભ લિંગપૂજા હિંદના પશ્ચિમ ભાગમાં સર્વથી પ્રાચીન કાળમાં હતી અને દ્રાવિડીઓની સાથે દક્ષિણમાં ગઈ એમ સૂચવે છે. ૧૮ આ પ્રકારના સ્તંભ-લિંગને મૂળ સ્તંભ સાથે સંબંધ હોવાથી કુદરતી રીતે પ્રાકૃતમાં ખંભ કહે. પરંતુ એ શબ્દ સ્તંભનો પર્યાય હોવાથી અને ખંભ વૈદિક સાહિત્ય પછીના સાહિત્યમાં ન દેખાતો હોવાથી એને વપરાશ લુપ્ત થયો અને એ કારણથી વૈયાકરણોએ તેનો ધ અને રવમાં વિકલ્પ છે . ૨૯ ખંભાત અને તંભપૂજા ખંભાતના સ્તંભતીર્થ નામનું કારણ ઉપજાવી કાઢતાં પુરાણકાર બે ભિન્ન કારણો આપે છે તે જોયું. નવાઇની વાત તે એ છે કે કંદે તારકાસુરને છે અને ત્યાં વિજયસ્તંભ થયો તેથી સ્તંભતીર્થ નામ પડયું એમ કહેતા પહેલાં પણ પુરાણકાર કહે છે કે પહેલાં સંગ્રામમાં દેવો હાર્યા અને તારકે મહીસાગર ઉપર
૬૭ શ્રી. ગોપીનાથરાવે એમને પ્રતિમવિધાનના પુસ્તકમાં (પુ. ૨ ભા. ૧)માં લિંગભવ મૂર્તિની વિસ્તૃત ચર્ચા કરી છે અને એવાં લિંગનાં ચિત્રો પણ આપ્યાં છે. ૬૮ ઐતિહાસિક સમયના શૈવ મતે આપણી તરફ અને દક્ષિણમાં જુદા છે. પરંતુ પ્રાગૈતિહાસિક સમયમાં દક્ષિણની દ્રાવિડ સંસ્કૃતિનાં કેટલાંક તો ગુજરાત બાજુથી ગયાં છે તેની ચર્ચા ગુજરાત અને અસુરોના પરિશિષ્ટમાં કરીશું. ઑસુરની કેટલીક દંતકથાઓનું મૂળ ગૂજરાતમાં છે એમ સમજાય છે તે પણ જોઈશું. ૬૯ શૈવમત અને વૈદિકની સલાહ પછી સ્થાણુ શબ્દ સંભવાચક હોવા છતાં શવષમાં લીધો જણાય છે. વેદમાં એને અથ સ્તભ જણાય છે. જુઓ Vedic Index II. 487. અથર્વવેદ ૧૦-૪-૧.
For Private and Personal Use Only