________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
પરિશિષ્ટ વેદે કુંભને આપેલું સર્વશ્રેષ્ઠ દેવનું સ્વરૂપ, તેને માટે વાપરેલ પ્રજાપતિ શબ્દ, અને લિંગના અર્થમાં વાપરેલો વેતસ શબ્દ–જે નેતર કરતાં મંત્રાર્થમાં વધારે બંધ બેસે છે–એ બધું ભને શિવના જ્યોતિર્મય લિંગના અર્થમાં લેવા માટે વિદ્વાનોને પ્રેરે છે. સ્તંભ અને લિંગપૂજા આમાંથી બીજ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. એક તો ઠંભનો શિવના લિંગ સાથે સંબંધ કેવો અને કેવી રીતે થયો? બીજું સ્વતંત્ર લિંગપૂજા (Phallus worship)નો દંભ અને શિવલિંગ સાથે કાંઇ સંબંધ હશે? ત્રીજું સ્વતંત્ર લિંગપૂજાને સ્તંભ પૂજા સાથે સંબંધ હશે કે નહિ? અને એ બન્નેને કુંભ અને શિવલિંગપૂજા સાથે સંબંધ થયો હશે કે નહિ? આ પ્રશ્નોને લીધે દુનિયાના પ્રાચીન સમાજમાં સ્વતંત્ર લિંગપૂજ (Phallus worship) અને સ્તંભ પૂજા કેવી હતી તેને ટૂંકામાં વિચાર કરવો પડશે.
સ્વતંત્ર લિગપૂજા ઘણા પ્રાચીન કાળમાં દુનિયાના ઘણા ભાગમાં હતી. ૧૫ એનો શિવપૂજા અને શિવના લિગમાં અધ્યારેપ કયારે અને કેવી રીતે થયો એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે.૧૬ ભૂમધ્ય સમુદ્રના કિનારાથી હિંદની પૂર્વે આવેલા દેશો સુધી એ પૂજા અથવા એમાંથી નીકળેલી અન્ય પૂજાઓનો પ્રચાર હતો. વેદમાં લિંગને પૂજનારાઓની નિંદા કરેલી છે. ૧૭ એટલે વૈદિક આર્યોનો કેટલોક ભાગ અગર
પૂજક એ પૂજાને ધિક્કારતા હતા એમ સમજાય છે. મેહેન જે ડેરામાંથી જે લિગ નીકળ્યાં છે તે જોતાં અને એને સમય વિચારતાં વૈદક સમયની લગભગ હિંદુસ્તાનમાં આર્ય નહિ તો બીજી કોઈ જાતિ લિંગપૂજા કરતી એમ સ્પષ્ટ થાય છે. ૧૮ આથી એમ પણ કહી શકાય કે હિંદુસ્તાનમાં લિંગપૂજા આર્યોથી સ્વતંત્ર અને કદાચ એમના હિંદમાં આવતાં પહેલાંની હોય. પરંતુ હિંદમાં એની ઉત્પત્તિ કેવી રીતે અને કયારે થઈ એ જણાતું નથી. લિગ પ્રતીકમાં હાલની માફક કોઈ પણ વખતે અલીલતાનો ખ્યાલ પૂજનારાઓને આવ્યો હોય એમ સિદ્ધ થયું નથી. પશ્ચિમ એશિયાના દેશોમાં પૂજા અને એનું મૂળ
પશ્ચિમ એશિયાથી હિંદ સુધીના ભાગમાં પૂજાતા ઘણું દેવો અને દેવીઓમાં લિંગની ભાવના મૂળરૂપે હતી. એ કારણથી એ બધા દેવોને મૂર્ત સ્વરૂપ સ્તંભમાં મળતું. સ્તંભ ભૂમિમાં ઊર્ધ્વ-ઊભે
રૂપ વૈતર રૂતિ પુત્રનનનતિ નિમ્ | સાયણ તિનો હંસ: કુંવ્યાચનામ છે આ હિરદ્યમય વેતસ શબ્દ સંવેદમાં ૪-૫૮-૫માં કૃતવના સૂક્તમાં આવે છે. એ સૂક્તમાં દેવ સંબંધી ગોટાળે જ છે. છેવટ વૃતદેવ ગણે છે. આખા સતને ખરો અર્થ સમજાય તેવો નથી (obscure છે). સાયણાચાર્યને મત પાશ્ચાત્ય વિદ્વાને સ્વીકારતા નથી. સાયણ હિરણ્યવેતસનો અર્થ અસંભવ અમિ એટલે વિદ્યુત એવો કરે છે, પરંતુ તે બંધ નથી બેસતો. ધૃતના પૂરમાં હિરદ્યવેતસ ઊભું છે એમ મંત્ર કહે છે. પાશ્ચાત્ય વિદ્વાનો કાંઈ ખુલાસો કરતા નથી. પરંપરા લુપ્ત થવાથી અર્થ લુપ્ત થયો જણાય છે. એટલે અથર્વવેદના હિરતસ સાથે એને કાંઇ સંબંધ હોય તો વધુ શોધખાળથી પ્રકાશ પડે. 94 Phallism by E.S. Hartland. Enc. of Rel. and Ethics IX. 815-831. 19 W. Crooke: Hinduism. Enc. Rel. Ethics VI. P. 700. "The origin of the cult in India is obscure." ૧૭ રિાન્નવા : . ૭–૨૪-૫. આ મંત્રમાં ઉપથને પૂજનારાઓને પાસે ન આવવા દેવા ઈંદ્રને સ્તવે છે અને બીજામાં ઈંદ્ર શિનને પૂજનારાઓનું શહેર જીતી લઈ તેની સમૃદ્ધિ લઈ લીધાનું લખે છે. ૧૮ Marshall: Mohenjo Daro. pp. 58-63. એને સમય ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ પહેલાં ગણાય છે. પૃ. ૫૫માં લખે છે કે અવશેષોમાંથી જડેલી મર્તિ એ ઐતિહાસિક શિવ પહેલાંના પ્રાગૈતિહાસિક રિવની મૂર્તિ હશે.
For Private and Personal Use Only