________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાપત્ય
૧૦૫
છે. તેમાં એક અખંડ છે અને ખીજી ખંડિત છે. આ બંને મૂર્તિઓ કલાના સુંદર નમૂના છે, અને એમના મુખ ઉપરના ભાવ તથા અલંકારાની શુદ્ધિ મનોહર છે. બ્રહ્માના મંદિરમાં શિવ ગણેશ વગેરે બધી મૂર્તિ ઉત્તમ છે. નગરામાં જયાદિત્યની મૂર્તિ પણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. બ્રહ્મા અને સૂર્યની આ મૂર્તિઓ આખી મનુષ્યાકૃતિ જેટલી ઊંચી છે. સૂર્યની મૂર્તિ મેાઢેરાની મૂર્તિ જેટલી ભાવવાહી નથી. ખંભાતમાં વડા વાસુદેવની પોળમાં વિષ્ણુની મૂર્તિ છે તે પણ એ જ સમયની છે પણ તે નાની છે. શિવ મંદિરે. આ પ્રાચીન પાશુપતાના સ્થાનમાં છે અને સાદાં ને રસ વગરનાં છે. એમાં સૂર્ય, પાર્વતી વગેરેની બીજી સારી મૂર્તિએ અહીંતહીં પડેલી મળે છે.
ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીમાં જે મકાના બનેલાં છે તે પશ્ચિમની ઢબનાં છે; અને સ્થાપત્યની દૃષ્ટિએ તદ્દન નકામાં છે. ખીજે બધે બન્યું છે એમ ખંભાતમાં પણ એવાં મકાન નથી પશ્ચિમના સ્થાપત્યના નિયમ પ્રમાણે કે નથી આપણા દેશી નિયમ પ્રમાણે. એટલે ચાલુ સદી સ્થાપત્યને માટે તેા મુંબાઈ જેવાં મેટાં શહેરામાં ગણત્રીમાં લઈ શકાય.
For Private and Personal Use Only