________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
મુસલમાન સમય મલીક ઉત્તજારે માહીમ અને મુંબઈ જે ગુજરાતને તાબે હતાં તે લઈ લીધાં. આ સાંભળી સુલતાને દીવ, ઘેધા અને ખંભાતથી લગભગ સાતસો વહાણનો કાફલો તૈયાર કરી મુખલીસ ઉભુકની સરદારી નીચે માહીમ મોકલ્યો. આ કાફલે વિજય કરી ઘણી માલમતા લૂંટી પાછો આવ્યો અને ભાલ સુલતાનને નજર કર્યો.૧૨ એક વખત સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં મલબારના ચાંચિયા ગુજરાતનાં બંદરને હરકત કરતા. એ સમાચાર સુલતાનને મુસ્તફાબાદ (જૂનાગઢ)થી અમદાવાદ આવતાં મળ્યા. આ સાંભળી સુલતાન ઘેઘા થઈ ખંભાત આવ્યો અને નૈકાસૈન્ય તૈયાર કરી પિતે તેમાં જઈ ચાંચિયાઓને મારી હઠાવ્યા.૧૩ ફરીથી જ્યારે સુલતાન જૂનાગઢ હતું તેને લાભ લઈ અમદાવાદમાં શાહજાદા અહમદખાને ગાદીએ બેસાડવાનું કાવવું થાય છે ત્યારે પણ સુલતાન ઘધે થઈ ખંભાત આવે છે અને એ સમાચાર અમદાવાદ જતાં બળ શમી જાય છે.
આ અરસામાં દક્ષિણનો બહાદુર ગીલાણ ડાભેલ બંદરે બળવો કરે છે. એણે ગુજરાતના બંદરે આગળ ચાંચિયાવૃત્તિ શરૂ કરી. ગુજરાતનાં બંદરને નડવાનું કારણ એ હતું કે મલીક ઉત્તજાર દક્ષિણથી નાસી ખંભાત આવ્યો હતો એની પુત્રીનું બહાદુર ગીલાએ માગું કર્યું હતું અને મલીકે તેની ના પાડી હતી. આમાં મલીકના વકીલને ગીલાએ મારી નંખાવ્યો. પરંતુ મલીકની પુત્રીને ગીલાણીને હાથમાંથી ખંભાતના લોકોએ મદદ કરી છોડાવી. આનું વેર વાળવા ગીલાણીએ ગૂજરાતનાં બંદરે આગળ ચાંચિયાવૃત્તિ શરૂ કરી જતાં આવતાં વહાણોને ત્રાસ આપવા માંડ્યું. કેટલાક વખત સુધી આ ત્રાસ એવો ચાલ્યો કે કઈ વહાણ ગૂજરાતનાં બંદરે ભાગ્યે જ આવી શકતું અને
પરિણામે સોપારી ન આવવાથી ગુજરાતીઓને પાનમાં ધાણા ખાવા પડેલા.18 બાબાસાએ કરેલું વર્ણન જેમ સિદ્ધરાજ જયસિંહને સમય ગુજરાતના ઇતિહાસના હિંદુ સમયમાં સુવર્ણ સમય ગણાય છે તેમ મુસલમાન અમલમાં સુલતાન મહમુદ બેગડાને રાજ્યકાળ સુવર્ણને સમય ગણાય છે. પંદરમી સદીના અંતમાં અને સોળમી સદીની શરૂઆતમાં આવેલા પરદેશી મુસાફરો ખંભાતનાં વખાણ હિંદુસ્તાનના પહેલી પંક્તિના શહેર તરીકે મુક્ત કંઠે કરે છે. એ બધું ખંભાતના વેપારને લગતું છે અને તેનું વર્ણન યંગ્ય સ્થળે થશે. સોળમી સદીની શરૂઆતમાં આવેલા મુસાફર બાબાસા લખે છે કે૧૫ ખભાતના અખાતમાં “ગંદારી' (Guendari) નદીમાં પેસતાં ખંભાતનું મહાન શહેર આવેલું છે.૧૧ એ શહેર ઘણું સુંદર છે અને એમાં હિંદુ (Gentiles) અને મુસલમાન
૧૨ એ જ પૃ. ૧૧૬-૧૭, ૧૩ એ જ પૃ. ૧૯૯, આમાં મીરાતે સિકંદરી સુલતાને ચાંચિયા સામે કાફલો મોકલ્યો એમ લખે છે. જ્યારે તબકાને અકબરી સુલતાન પિતે નૌકાસૈન્ય સાથે ગયો એમ લખે છે. સિકંદરી કરતાં તબકતે અકબરી વધારે વિશ્વસનીય હેવાથી એને મત લીધે છે. તારીખે ફિરિશ્તા ચાંચિયા વલસાડ તરફના હતા એમ લખે છે. પણ તબકાત અને સિકંદરી બને મલબારના લખે છે. ૧૪ એ જ પૃ. ૨૧૮-૧૯. 24 Stanley's Barbosa P. 64-66 ૧૬ બારબોસાએ ખંભાતના અખાતનાં કેટલાંક સ્થળોનું કરેલું વર્ણન. એનાં લખેલાં નામ હાલ બંધ બેસતાં નથી, મહી નદીને
For Private and Personal Use Only