Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
શ્યામગર્ત અને જૈન ધર્મગ્રંથોમાં વર્ણવેલ કૃષ્ણરાજિ અથવા તમસ્કાયને કોઈપણ પ્રકારનો સંબંધ જણાતો નથી, તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જૈન ગ્રંથોમાં વર્ણવેલ ભૌતિકશાસ્ત્રના આધારે આ શ્યામગર્ત(Black Hole)ની સમજ કઈ રીતે આપવી ? આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત (Special Theory of Relativity) અને જૈન ગ્રંથોમાં વર્ણવેલ ભૌતિકશાસ્ત્રનો ઉપયોગ કરી શ્યામગર્ત (Black Hole)ની સમજ નીચે પ્રમાણે આપી શકાય.
66
જૈન ધર્મગ્રંથો અનુસાર આ સમગ્ર બ્રહ્માંડમાં મુખ્ય છ મૂળભૂત દ્રવ્યો છે. 1. ધર્મ, 2. અધર્મ, 3. આકાશ, 4. પુદ્ગલ, 5. જીવ, 6. કાળ2
ધર્મ દ્રવ્ય પદાર્થને ગતિમાં સહાયક છે. તે એક અને અખંડ છે તથા સમગ્ર બ્રહ્માંડમાં તે વ્યાપ્ત છે. તે જ રીતે અધર્મ દ્રવ્ય પણ એક અને અખંડ છે તથા સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે પરંતુ તે પદાર્થને સ્થિર રાખવામાં સહાયક છે.27. આ બંને દ્રવ્ય અપૌદ્ગલિક હોવાથી આપણા અનુભવનો વિષય નથી. આકાશ પણ એક અખંડ દ્રવ્ય છે, પરંતુ બ્રહ્માંડમાં/લોકમાં રહેલ આકાશને લોકાકાશ કહે છે જ્યારે લોક/બ્રહ્માંડ બહારના આકાશને અલોકાકાશ કહે છે.
29
ધર્મ, અધર્મ અને આકાશ, આ ત્રણેય દ્રવ્ય નિષ્ક્રિય છે.28 અર્થાત્ તેના પોતાના ‘એકાદ ગુણધર્મ સિવાય અન્ય કોઈ ક્રિયા કે પરિવર્તન તેમાં થતું નથી. કાળ (time)ને પણ એક દ્રવ્ય માનવામાં આવ્યું છે. પુદ્ગલ દ્રવ્ય(matter)ના જે ગુણધર્મો આધુનિક વિજ્ઞાન સ્વીકારે છે, તે સઘળા ગુણધર્મોનો સ્વીકાર જૈન ભૌતિક વિજ્ઞાનમાં પણ થયેલ છે. પુદ્ગલ દ્રવ્ય અંગે આધુનિક ભૌતિક વિજ્ઞાનના ખ્યાલો (concepts) તથા જૈન ભૌતિક વિજ્ઞાનના ખ્યાલો (concepts) બિલકુલ સમાન છે. ક્યારેક તો વ્યાખ્યા પણ સમાન જોવા મળે છે. ફક્ત એ વ્યાખ્યાનું અર્થઘટન અથવા ઉદાહરણ ભિન્ન ભિન્ન જોવા મળે છે. ઉદા. ૫૨માણુ(atom)ની વ્યાખ્યા.
જૈન ધર્મગ્રંથો પ્રમાણે પ્રકાશ પણ પુદ્ગલ દ્રવ્યનું જ રૂપાંતર છે અર્થાત્ તે પૌદ્ગલિક31 છે. તેથી જે પ્રમાણે અન્ય ભૌતિક પદાર્થને ગુરુત્વાકર્ષણના નિયમો લાગુ પડે છે તે જ રીતે પ્રકાશને પણ ગુરુત્વાકર્ષણના નિયમો લાગુ પડે છે અર્થાત્ પ્રકાશને પણ ગુરુત્વાકર્ષણની અસર થાય છે. જ્યારે આધુનિક ભૌતિકવિજ્ઞાન પ્રકાશને તરંગ સ્વરૂપ માની અપૌદ્ગલિક માને છે. જેથી તેને તારાના કિરણના માર્ગચ્યવન માર્ગાન્તર(deviation of star light)ને સમજાવવા માટે સૂર્ય જેવા પ્રચંડ દ્રવ્યમાન ધરાવતા પદાર્થ દ્વારા આકાશને વાંકું વળેલ/સંકોચાઈ ગયેલ માનવું પડે છે; પરંતુ ઉપર બતાવ્યું તેમ 2500 વર્ષ પૂર્વે થયેલ સર્વજ્ઞ એવા તીર્થંકર મહાપુરુષો (શ્રી મહાવીર સ્વામી વગેરે)એ આકાશને અપૌદ્ગલિક તથા નિષ્ક્રિય તેમજ પ્રકાશને પૌદ્ગલિક માન્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org